આ છે ભગવાન શિવજીની ફેવરિટ રાશિઓ, મહાશિવરાત્રિથી થશે અચ્છે દિનની શરૂઆત…
26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિનો તહેવાર ઉજવાશે. આ તહેવાર ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશના ઉજવવામાં આવે છે અને આ દિવસે ભોળાનાથની આરાધના, પૂજા, વ્રત કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. જ્યોતિષાચાર્યની ગણતરી અનુસાર આ મહાશિવરાત્રિનો આ દિવસ ભગવાન શિવજીની પ્રિય રાશિઓ માટે અચ્છે દિન લઈને આવી રહ્યો છે. આવો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
મેષઃ મેષ રાશિના જાતકો માટે મહાશિવરાત્રિથી અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. તમારા તમામ અટકી પડેલાં, બગડેલાં કામ પણ બની રહ્યા છે. કરિયર-કારોબારમાં પણ પ્રગતિ થશે. આવકના સ્રોત વધી રહ્યા છે. ઘરના વડીલોના સ્વાસ્થ્ય માટે આ સમય ખૂબ જ સારો રહેશે. ભાગ્યનો સાથ મળશે.
કર્કઃ કર્ક રાશિના જાતકોને આ સમયે અપરંપાર લાભ થઈ રહ્યો છે. દેવુ ચૂકવવામાં સફળતા મળશે. ખર્ચમાં ઘટાડો થતાં બેંક બેલેન્સમાં વૃદ્ધિ થશે. આવકમાં વૃદ્ધિ થતાં તમારી ખુશીનો પાર નહીં રહે. વિદ્યાર્થીઓ માટે આ સમય સારો રહેશે.
મકરઃ મકર રાશિના નોકરી-વેપાર કરી રહેલાં લોકો માટે મહાશિવરાત્રિથી અચ્છે દિનની શરૂઆત થઈ રહી છે. કોઈ જૂના રોકાણથી સારો એવો લાભ થશે. ભગવાન ભોળાનાથની વિશેષ કૃપા જોવા મળશે. આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ મજબૂત થશે.
કુંભઃ કુંભ રાશિના જાતકો માટે આ સમયગાલો લાભદાયી રહેશે. જો જીવનમાં કોઈ સમસ્યા સતાવી રહી હશે તો આજે એમાંથી પણ મુક્તિ મળશે. ઘર-પરિવારમાં જો કોઈ કલહ ચાલી રહ્યો હશે તો એમાંથી રાહત મળશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે. પિતાના સહયોગથી કોઈ મોટા કામમાં સફળતા મળશે.