પાપી ગ્રહ કેતુ કરશે ગોચર, આ રાશિઓનું જાગી ઉઠશે ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહો અને નક્ષત્રના પ્રભાવ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે અને તેમની અસર જાતક પર જોવા મળે છે. ગ્રહોના ગોચરની સારી અને ખરાબ એમ બંને અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને આવા જ એક ગોચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે ત્રણ મહિના બાદ થવાનું છે અને એને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 18મી મેના પાપી ગ્રહ કેતુ કન્યા રાશિમાંથી નીકળીને સિંહ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે. કેતુનું આ ગોચર ખૂબ જ ખાસ માનવમાં આવી રહ્યું છે. કેતુ એક રાશિમાં દોઢ વર્ષ એટલે કે 18 મહિના સુધી રહે છે અને એટલે જ તેનું રાશિ પરિવર્તન મહત્ત્વનું માનવામાં આવે છે. ચાલો જોઈએ આખરે સિંહ રાશિમાં થઈ રહેલું કેતુનું ગોચર કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે.
મિથુનઃ મિથુન રાશિના જાતકો માટે કેતનું ગોચર શુભ પરિણામો લઈને આવી રહ્યું છે. આ રાશિના જાતકો માટે સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે. તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળી રહી છે. આર્થિક સમસ્યામાંથી મુક્તિ મળશે. ઘર-પરિવારનો સંપૂર્ણ સાથ-સહકાર મળશે. બિઝનેસમાં જેટલી મહેનત કરશો એનું પૂરું ફળ મળશે.
વૃશ્ચિકઃ કેતુનું સિંહ રાશિમાં થઈ રહેલું ગોચર આ રાશિના જાતકો માટે લાભદાયી રહેશે. કામના સ્થળે પગારવધારો અને પ્રમોશન થવાના યોગ બની રહ્યા છે. પાર્ટનરશિપથી પણ લાભ થશે. ભાગ્યનો સંપૂર્ણ સાથ મળશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
ધનઃ ધન રાશિમાં જાતકો માટે આ સમયગાળો એકદમ શાનદાર રહેશે. આ સમયે જો કોઈ જૂની બીમારી સતાવી રહી હશે તો એમાંથી પણ મુક્તિ મળશે. નવો વેપાર શરૂ કરવા અનુકૂળ સમય છે. સંતાન તરફથી પણ સારા સમાચાર સાંભળવા મળશે. વૈવાહિક જીવનમાં મીઠાશ વધશે.
મીનઃ મીન રાશિના જાતકો માટે કેતુનું સિંહ રાશિમાં થનારું ગોચર આર્થિક મોર્ચે રાહતના સમાચાર લઈને આવશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. આ સમયે તમને કોઈ મોટી સિદ્ધિ હાંસિલ થશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત થશે. બિઝનેસમાં કોઈ મોટી ડીલ ફાઈનલ થશે.