June 30, 2025
એસ્ટ્રોલોજી

હોળી પર ગ્રહોના રાજા સૂર્ય કરશે ગોચર, ત્રણ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ…

Spread the love

દુનિયાભરમાં 14મી માર્ચના ધામધૂમથી રંગોના પર્વ હોળીની ઉજવણી કરવામાં આવશે. હોળીનો દિવસ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ લાભદાયી રહેશે કારણ કે ગ્રહોના રાજા સૂર્ય બે વખત પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. જેને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે.

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 14મી માર્ચના સૂર્ય મીન રાશિમાં ગોચર કરશે અને ત્યાર બાદ 18મી માર્ચના બપોરે ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્રના સ્વામી શનિ અને રાશિ મીન છે. આવી સ્થિતિમાં આ નક્ષત્ર પર શનિની સાથે સાથે ગુરુનો પ્રભાવ પણ જોવા મળે છે. સૂર્યના આ ગોચરને કારણે અમુક રાશિના જાતકોને પારાવાર લાભ થઈ રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-

મેષઃ મેષ રાશિના જાતકોને આ સમયે આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થશે. ઘર, જમીન કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે. વેપાર કરી રહેલાં લોકોને આ સમયે ભરપૂર નફો થઈ રહ્યો છે. આર્થિક સ્થિતિ સારી રહેશે. ખર્ચમાં કમી આવતા જ તમે પૈસાની બચત પણ કરી શકશો.

તુલાઃ તુલા રાશિના જાતકોના માન- સન્માનમાં વૃદ્ધિ થશે. આર્થિક સ્થિતિ સુધરશે. નોકરી-વેપાર કરી રહેલાં લોકોને પણ આ સમય સારો રહેશે. સૂર્યનું ગોચર આ રાશિના જાતકોને પારાવાર લાભ કરાવશે. આ સમયે નોકરી-ધંધામાં લાભ થઈ રહ્યો છે.

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમયગાળો આકસ્મિક ધનલાભ કરાવનારો રહેશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. સરળતાથી પૈસા બચાવવામાં સફળ થશો. પરિવાર સાથે હસી-ખુશીમાં સમય પસાર કરશો. સંતાન તરફથી આ સમયે કોઈ સારા સમાચાક સાંભળવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં ખુશહાલી આવશે. મહત્ત્વના કામ પૂરા થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!