Pahalgam Terror Attack: 26 વર્ષનો એ જવાન કોણ હતો, જેને સાત દિવસ પહેલા કર્યા હતા લગ્ન?
પરિવાર સાથે વેકેશન-હનીમૂન માટે પહલગામ જવાનું ભારે પડ્યું એ વીર સપુતોને, કોણ હતા?
પુલવામાં એટેક હોય કે પહલગામ, પણ દેશમાં દર વખત આતંકવાદી હુમલા પછી દરેકના માટે સુરક્ષાનો સવાલ ગંભીર ઊભા થાય છે. મુંબઈ હોય કે દિલ્હી કે પછી કાશ્મીર પણ સરકારની પ્રતિક્રિયા હોય કે વિપક્ષની પણ સૌની વાત એક જ હોય છે. વર્ષોથી કાશ્મીરમાં ભારત પૈસો, પાવર અને આર્મીનો ઉપયોગ કરીને પણ એ શિશ ઝુકાવવા દેતું નથી, પરંતુ મુઠીભર સ્થાનિકો, હરામખોરોનો પોષનારોને કારણે દેશને શબક શિખવાડવાની જરુર છે. સરકાર સરકારી કામ કરે છે, પણ જાહેર જનતાએ શું કરવાનું એ નક્કી કરી લેવું જોઈએ.
દેશે એક સાથે ત્રણ વિર જવાનને ગુમાવ્યાં
એ નરાધમોએ ભારતીય નાગરિકો, ભારતીય જવાન, એર ફોર્સના કે રેલવેના કર્મચારીને છોડ્યા નહીં. સૌથી ચોંકાવનારો વીડિયો અને તસવીર હતી, જેમાં યુવતી એટલે હજુ માંડ લગ્ન કરે અઠવાડિયું થયું હતું. આંખોની સામે પોતાના પતિની મારપીટ કરવાની સાથે તેને બંદૂકથી વિંધી નાખવામાં આવ્યો હતો. ગણતરીની મિનિટમાં સુહાગન યુવતી વિધવા બની જાય છે. આસપાસના હાજર લોકોને મદદ કરવા માટે આજીજી કરતી હતી પોતાના પતિ માટે. સાત જન્મના સથવારે રહેવાના ફેરા ફરનારી નવવધૂ હતી નેવી ઓફિસર લેફ્ટનન્ટ વિનય નરવાલની પત્ની હિમાંશી નરવાલ. દેશે એક નહીં એકસાથે ત્રણ જવાન ગુમાવ્યા હતા. લેફ્ટનન્ટ વિનય નરવાલની સાથે બીજા બે સર્વિંગ ડિફેન્સ ઓફિસર હતા, જેમાં આઈબીના અધિકારી મનીષ રંજન અને એરફોર્સના કોર્પોરેલ ટેજ હેલયાંગ હતા.
સાત દિવસ પહેલા લગ્ન થયા હતા વિનય નરવાલના
શહીદ લેફ્ટનન્ટ વિનય નરવાલ હરિયાણાના કરનાલનો રહેવાસી હતો. ઈન્ડિયન નેવીમાં હતો અને કોચીમાં પોસ્ટેડ હતો. સાત દિવસ પહેલા જ લગ્ન કરનારા વિનય નરવાલ પત્ની સાથે હનીમૂન પર આવ્યો હતો. કહેવાય છે કે ત્રણ વર્ષ પહેલા ઈન્ડિયન નેવી જોઈન કરી હતી. વિનય નરવાલ કરનાલની સંત કબીર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. એના પછી દિલ્હીમાંથી એન્જિનિયરિંગ કર્યું હતું. સીડીએસ મારફત ત્રણ વર્ષ પહેલા ઈન્ડિયન નેવીમાં જોઈન કર્યા પછી હિમાંશી સાથે લગ્ન કર્યા હતા. હિમાંશી પીએચડી કરે છે અને ઓનલાઈન ક્લાસીસ પણ ચલાવે છે.
16 એપ્રિલના લગ્ન કર્યાં હતા વિનય અને હિમાંશીએ
26 વર્ષના વિનય નરવાલે 16 એપ્રિલના હિમાંશી સાથે લગ્ન કર્યા હતા અને 19મી એપ્રિલના રિસેપ્શન રાખ્યું હતું. હનીમૂન માટે યુરોપ જવાના હતા, પણ વિઝા નહીં મળતા 21 એપ્રિલના કાશ્મીર ફરવા આવ્યા હતા અને પહલગામમાં ફરવા આવ્યા ત્યારે આતંકવાદીઓનો શિકાર બન્યો. મે મહિનામાં તો જન્મદિવસ હતો અને ઘરે જઈને પાર્ટી આપવાના હતા, પણ મારા પતિનું નામ અને ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી. હિમાંશી સામે વિનયને ગોળી મારી હતી અને એના પછી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા હતા. એના વીડિયો જોઈને દેશ આખો હચમચી ગયો હતો. બુધવારે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમસંસ્કાર આપતા ધ્રૂસકે ધૂસ્કે રડીને સલામી આપતો વીડિયો વાઈરલ થયો હતો.
અરુણાચલના કોર્પોરેલ ટેજ હેલિયાંગ પણ શિકાર
બીજો જવાન એટલે 30 વર્ષનો કોર્પોરેલ ટેજ હેલિયાંગના ડિસેમ્બરમાં લગ્ન થયા હતા. ડિસેમ્બરમાં રજા નહીં મળતા અત્યારે રજા મળતા હનીમૂન પર ગયો હતો. હેલિયાંગના પિતા ટેજ ટેડ અરુણાચલ પ્રદેશના ગામના સરપંચ છે. હેલિયાંગના ભાઈ પણ ટેજ માલી ઈન્ડિયન આર્મીમાં છે અને હાલમાં શ્રીનગરમાં પોસ્ટિંગ છે. હેલિયાંગ હ્યુમેનિટીઝમાં ગ્રેજ્યુએશન કર્યું છે તથા સાત-આઠ વર્ષ પૂર્વે ઈન્ડિયન એરફોર્સ જોઈન કર્યું હતું. અરુણાચલના લોઅર સુબનસિરી જિલ્લાના તાજાંગ ગામના રહેવાસી કોર્પોરેલ ટેજ હેલિયાંગ ઈન્ડિયન એરફોર્સના શ્રીનગર સ્થિત બેઝ કેમ્પમાં ડ્યૂટી પર હતા. પત્ની સાથે હનીમૂન માટે પહલગામ ગયા ત્યારે હુમલાનો શિકાર બન્યા.
આઈબીમાં સેક્શન અધિકારીએ ગુમાવ્યો જીવ
ત્રીજો જવાન એટલે અધિકારી બિહારના રોહતાસ જિલ્લાના અરુહી ગામના રહેવાસી મનીષ રંજન આઈબીમાં હૈદરાબાદમાં બે વર્ષથી સેક્શન ઓફિસર પર તહેનાત હતા. 2010માં લગ્ન કર્યા હતા અને 12 વર્ષનો દીકરો અને આઠ વર્ષની દીકરી પણ છે. પિતા પશ્ચિમ બંગાળના ઝાલદામાં શિક્ષક હતા અને માતાપિતા ઝાલદામાં રહેતા હતા. પત્ની અને બે બાળકોની સાથે કાશ્મીર ફરવા ગયા હતા. ત્રણ દિવસ પહેલા હૈદરાબાદથી વૈષ્ણોદેવી દર્શન કરવા ગયા હતા ત્યારબાદ કાકાના કહેવાથી કાશ્મીર ફરવા ગયા હતા, જ્યાં અન્ય લોકોને ગોળી મારી ત્યારે મનીષે પત્ની અને બાળકોને ત્યાંથી ભાગી જવાનું કહ્યું. એ વખતે એમને ગોળી મારી પણ પરિવાર બચી ગયા હતા.
આ પણ વાંચો
પહલગામ હુમલામાં 28 જણના મોતઃ સર્ચ ઓપરેશન વચ્ચે હુમલાખોરની તસવીર આવી, 3 સ્કેચ જારી