ચિનાબ બ્રિજનું નિર્માણ કરવામાં મહિલા એન્જિનિયરનું પ્રદાન નોખું છે, કોણ છે માધવી લતા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાશ્મીરવાસીઓને ચિનાબ બ્રિજની ભેટ આપી. ભારતીય રેલવેએ નવો ઈતિહાસ રચતા કાશ્મીરમાં દુનિયાનો સૌથી ઊંચા બ્રિજનું નિર્માણ કર્યું, જ્યાંથી વંદે ભારત ટ્રેન દોડાવવાનું સપનું પૂરું કર્યું. આ બ્રિજ ભારતીય રેલવે જ નહીં, દુનિયા માટે પણ એક પડકારજનક સિદ્ધિ છે. વડા પ્રધાન મોદીએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યા પછી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપ્યા પછી કાશ્મીરવાસીઓ માટે આ બ્રિજ અને રેલસેવા વધુ ઉપયોગી બને એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જમ્મુ કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ પણ કાશ્મીરના વિકાસ માટે આ રેલવ્યવહાર વધુ ઉપયોગી બનશે એવી આશા સેવી, પણ આ યોજનાને સાકાર કરવામાં એક મહિલાનું યોગદાન પણ મોટું છે અને એનું નામ છે માધવી લતા.
પુલના પાયાથી લઈ આર્કને મજબૂત કરવામાં પ્રદાન
વડા પ્રધાન મોદીએ ઉદ્ધાટન કરેલ ચિનાબ બ્રિજ ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ ક્ષેત્રે મોટી સિદ્ધિ છે. આ પુલનું નિર્માણ કરવામાં ભારતીય રેલવે અને સરકારને દાયકાઓ લાગ્યા છે, જેમાં અસાધારણ હવામાન સાથે આતંકવાદના છાયાનું બળ પણ જવાબદાર હતું. ખેર બ્રિજને તૈયાર કરવામાં ભારતીય સાયન્સ ઈન્સ્ટિટ્યૂટના માધવી લત્તાએ પોતાના 17 વર્ષ સમર્પિત કર્યા છે. આ પ્રોજેક્ટમાં ઉત્તર ભારત રેલવેના રોક એન્જિનિયર માધવી લતાએ મોટું યોગદાન આપ્યું છે. કોન્ટ્રાક્ટર કંપની એફકોન્સ સાથે મળીને માધવી લતાએ પુલના નિર્માણથી લઈ આર્કને વધુ મજબૂત બનાવવા માટે ફાળો આપ્યો હતો.
ચિનાબ બ્રિજની ખાસ વિશેષતા
ચિનાબ બ્રિજની નદીની સપાટી પરથી 359 મીટરની ઊંચાઈ ધરાવે છે, જેની ઊંચાઈ એફિલ ટાવર કરતા વધુ છે, જ્યારે તેના પાછળનો કૂલ ખર્ચ 1,486 કરોડ રુપિયાનો છે. કનેક્શનની વાત કરીએ તો રિયાસી જિલ્લાની ઘાટીમાં બનેલો પુલ દુનિયાનો સૌથી ઊંચો રેલ આર્ચ બ્રિજ છે. પુલની લંબાઈ 1,315 મીટર અને સ્ટીલનો મેઈન આર્ક 467 મીટર લાંબો છે, જે સમગ્ર દુનિયા માટે ગૌરવની વાત બન્યો છે.
માધવી લતા શિયર મિકેનિઝમમાં માસ્ટરી
માધવી લતા એમટેકથી લઈને પીએચડી કર્યું હતું, પરંતુ તેમની માસ્ટરી માટીની મજબૂતાઈ અને માઈક્રો લેવલનું શિયર મિકેનિઝમમાં છે. ઈમેજ બેઝ્ડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જિયો સિન્થેટિક્સમાં થનારા માઈક્રો ફેરફારને સમજવા અને પુલની મજબૂતાઈને જોડવાનું કામ કર્યું હતું. આ જ બાબત ચિનાબ બ્રિજને સ્થિર અને ટકાઉ બનાવવા માટે મદદ મળી. રોક એન્જિનિયરિંગમાં પણ માધવી એક્ટિવ છે, જેમાં કમ્પોઝિટ રોક માસ સંખ્યાત્મક મોડલિંગ અને ટનલના ઢોળાવ અને સ્થિરતાનું વિશ્લેષણનું કામ કરે છે.
માધવી લત્તાએ PhD ચેન્નઈ આઈઆઈટીમાં કર્યું
કોણ છે માધવી લતા તો સિવિલ એન્જિનિયરિંગ વિભાગમાં જિયોટેક્નિકલ એન્જિનિયરિંગ ક્ષેત્રે ચેન્નઈ આઈઆઈટીમાં પીએચડી કર્યું હતું. એના પછી આઈઆઈએસસીમાં પોસ્ટડોક્ટરલનું રિસર્ચ કર્યું હતું. તેમને આઈઆઈટી ગુવાહાટીમાં આસિસ્ટંટ પ્રોફેસર તરીકે પણ કામ કર્યું હતું. એના પછી તેઓ 2003માં આઈઆઈએસસીમાં જોડાયા હતા.
એમટેક કર્યા પછી વૈજ્ઞાનિક બની સફળતા હાંસલ કરી
માધવી લતાએ કહ્યું હતું કે બાળપણમાં ડોક્ટર બનવાનું સપનું હતું, પરંતુ પરિવારનો સહકાર મળ્યો નથી. બી.ટેક કરીને શિક્ષક બનવાની દિશામાં આગળ વધી અને એના પછી રિસર્ચવર્કમાં ઝંપલાવ્યું પણ વૈજ્ઞાનિક બનવાનું સપનું તો એમટેક કરતી વખતે જોયું. જોકે, હવે દુનિયા માટે અજાયબી સમાન પુલ બનાવીને માધવી લતાએ ઈતિહાસ રચ્યો છે.