June 30, 2025
ટોપ ન્યુઝ

Tariff Policy: શું ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફ ખતમ થશે?

Spread the love

અમેરિકા અને યુરોપિયન સંઘની વચ્ચે ઝીરો ટેરિફ લાગુ પડી શકે છે, કારણ કે બંને વિકસિત રાષ્ટ્ર છે, જ્યારે ભારત ને અમેરિકા વચ્ચે ઘણી બધી અસમાનતાઓ છે. ભારત અને અમેરિકાની વચ્ચે પ્રસ્તાવિત બાયલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ (બીટીએ) અન્વયે ઝીરો ટૂ ઝીરો ટેરિફ પોલિસીની સંભાવના નથી, કારણ કે બંને દેશ વચ્ચે અલગ અલગ સ્તર છે. બંને દેશના નિષ્ણાતોનું માનવું છે કે ભારત અને અમેરિકાના જવાબી ટેરિફ વૃદ્ધિના ઉકેલ માટે અમેરિકાને ઝીરો ટૂ ઝીરો ટેરિફનો પ્રસ્તાવ મૂકી શકે છે.

એક અધિકારીએ કહ્યું છે કે અમેરિકા અને યુરોપિયન સંઘ (ઈયુ)ની વચ્ચે ઝીરો ટૂ ઝીરો ટેરિફ શક્ય છે, કારણ કે બંને દેશ વેલ ડેવલપ છે. અમેરિકા અને ભારતની વચ્ચે સમજૂતી હમેશા એક પેકેજ સમજૂતી હશે, જેમાં સામાન અને બિન ટેરિફ અવરોધ જેવા મુદ્દાનો સમાવેશ હશે.

ભારત અને અમેરિકા વચ્ચે અંતર શું છે તો તેઓ ઈલેક્ટ્રોનિક્સમાં ઝીરો ટેરિફ લગાવે તો આપણે પણ ઈલેક્ટ્રોનિક્સમાં એમ કરવું પડશે. જોકે, વેપાર સમજૂતી એ રીતે થશે નહીં અને યોગ્ય વિચારણા નથી. ભારત અને અમેરિકાની વચ્ચે માર્ચથી બીટીએ બિઝનેસ ટૂ પર વાતચીત ચાલી રહી છે. બંને પક્ષ આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પહેલા તબક્કાને પૂરો કરવાનું લક્ષ રાખ્યું છે, જેનો ઉદ્દેશ વેપારને હાલના 191 અબજ ડોલરથી 2030 સુધીમાં 500 અબજ ડોલરની સપાટીએ પહોંચશે.

આ મુદ્દે અધિકારીએ કહ્યું હતું કે સમજૂતી માટે કામકાજ શરુ થયું છે. ટ્રેડ સમજૂતી મુદ્દે ભારત અન્ય દેશની તુલનાએ આગળ છે. ભારત અને અમેરિકાની સમજૂતી અન્વયે ચર્ચા-વિચારણા કરવાનો નિર્ણય લીધો છે. આગામી સપ્તાહમાં ચર્ચા કરવાનો નિર્ણય ભારત અને અમેરિકાના અધિકારીઓની વચ્ચે નિર્ણય લેવામાં આવ્યો છે, જે 29મી માર્ચ પછી સંપન્ન થઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!