રેલવે ટ્રેક પર ઊભા રહીને સેલ્ફી લેવાનું યુવકને ભારે પડ્યું…
સોશિયલ મીડિયા પરનું આંધળુ વળગણ મોટી મુસીબત નોતરી શકે છે, જેમાં નાના-મોટા હોય કે પણ આંખો બંધ કરીને બુદ્ધિનું પ્રદર્શન કરવા બરાબર છે. તાજેતરમાં મહારાષ્ટ્રના થાણેમાં ચોંકાવનારો બનાવ બન્યો હતો. રેલવે ટ્રેક પર ઊભા રહીને સેલ્ફી લેવાનું યુવાન માટે જીવલેણ સાબિત થયું હતું. એક યુવક ટ્રેક પર ઊભા રહીને સેલ્ફી લેતો હતો ત્યારે ટ્રેનની ચપેટમાં આવી ગયો હોવાનું જાણવા મળ્યુ હતું.
થાણેમાં રેલવે ટ્રેક પર ઊભા રહીને યુવાને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે અચાનક તેજ રફતારની ટ્રેને યુવાનને જોરદાર ટક્કર મારી હતી. આ બનાવમાં યુવકનું મોત થયું હતું. પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
24 વર્ષના યુવકનું થયું મોત
થાણેમાં અંબરનાથ અને બદલાપુર સ્ટેશનની વચ્ચે ફ્લાયઓવરની નીચે યુવકે સેલ્ફી લેવાના ચક્કરમાં ટ્રેને ટક્કર મારી હતી, જ્યાં યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું. મૃતક યુવકની ઓળખ સાહિર અલી તરીકે કરવામાં આવી છે. 24 વર્ષનો યુવક મૂળ પશ્ચિમ બંગાળનો રહેવાસી છે. ઘટનાસ્થળના સાક્ષીએ કહ્યું હતું કે રેલવે ટ્રેક પર યુવક સેલ્ફી લઈ રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રેનનો શિકાર બન્યો હતો. ટ્રેનના લોકો પાઈલટે યુવકને ચેતવવા માટે હોર્ન પણ માર્યો હતો, પરંતુ યુવકે તેનો ધરાર અવગણના કરી હતી.
રેલવેની ચેતવણી અવગણશો નહીં
આ અકસ્માત અંગે રેલવે પોલીસ (આરપીએફ અને જીઆરપી) ઘટનાસ્થળે પહોંચ હતી. મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસે અકસ્માતનો કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. રેલવે પ્રશાસન દ્વારા વારંવાર ચાલતી ટ્રેન નહીં પકડવા તેમ જ ચાલતી ટ્રેનમાંથી ઉતરવાની ચેતવણી આપી છે, જ્યારે રેલવે સ્ટેશનના પરિસરમાં કોઈ પણ જાતના વીડિયો ઉતારવાની મનાઈ ફરમાવી છે. રેલવે ટ્રેક પર પણ વીડિયો ઉતારવા અથવા સેલ્ફી નહીં લેવાની મનાઈ કરવામાં આવી હોવા છતાં નાગરિકો દ્વારા જીવને જોખમમાં પ્રયાસ કરવામાં આવે છે. આ બાબત મુદ્દે પ્રવાસીઓને ખાસ અનુરોધ કરવામાં આવે છે કે પોતાના જીવને જોખમમાં મૂકે નહીં, એમ અધિકારીએ જણાવ્યું હતું.