June 30, 2025
ટોપ ન્યુઝ

સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદાની આજે ફરી સુનાવણીઃ સરકાર મુશ્કેલીમાં, વક્ફ બોર્ડમાં બિનમુસ્લિમોને એન્ટ્રી?

Spread the love

નવી દિલ્હીઃ વક્ફ બિલને લઈ વિરોધ પક્ષે સરકારની સાથે મુસ્લિમ સંગઠનોએ જોરદાર પ્રદર્શન કરવાની સાથે સુપ્રીમ કોર્ટમાં પણ ધા નાખી છે. સંસદના બંને ગૃહની સાથે રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર માર્યા પછી સુપ્રીમ કોર્ટમાં અરજીની સુનાવણી મુદ્દે મંગળવારે જોરદાર દલીલો થઈ હતી. સુનાવણી વખતે સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન એક્ટ, 2025માં અમુક મુખ્ય જોગવાઈઓ પર રોક લગાવવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, જેમાં વક્ફ જાહેર કરેલ સંપત્તિઓ પર બિન અધિસૂચિત કરવા અને કેન્દ્રીય વક્ફ પરિષદો તથા બોર્ડમાં બિન-મુસ્લિમોને સામેલ કરવાની બાબત સામેલ હતી.

હિંદુ ધાર્મિક ટ્રસ્ટમાં રાખશો મુસ્લિમોને?
સુપ્રીમ કોર્ટે આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેનો સરકારે વિરોધ કર્યો હતો અને વચગાળાના આદેશ પૂર્વે વિસ્તૃત સુનાવણ કરવાની અપીલ કરી હતી. વક્ફ સંશોધન એક્ટ, 2025 બંધારણની વિરુદ્ધ 72 અરજી સંબંધિત સુનાવણી માટે ચીફ જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ સંજય કુમાર અને ચીફ જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠ સમક્ષ કરવામાં આવી હતી. આવતીકાલે બપોરના બે વાગ્યે વધુ સુનાવણી કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને બોર્ડમાં બિન મુસ્લિમોને સામેલ કરવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી હતી અને સવાલ કર્યો હતો કે શું હિંદુ ધાર્મિક ટ્રસ્ટમાં મુસ્લિમોને સામેલ કરવા માટે તૈયાર છે?

તુષાર મહેતા વિરુદ્ધ સિબ્બલ, ધવન અને સિંઘવી
કેન્દ્ર સરકાર વતીથી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને મુસ્લિમ સંગઠન તથા વ્યક્તિગત અરજદાર વતીથી કપિલ સિબ્બલ, રાજીવ ધવન, અભિષેક સિંઘવી, સીયુ સિંહ સહિત અન્ય વરિષ્ઠ વકીલોની દલીલ સાંભળ્યા પછી ચીફ જસ્ટિસે નોટિસ જારી કરીને એક વચગાળાનો આદેશ પસાર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને કહ્યું હતું કે સમાનતા સંતુલિત થશે. એની સાથે કહ્યું કે અમુક જોગવાઈઓના ગંભીર પરિણામો આવી શકે છે, તેમાંય ખાસ કરીને જે ન્યાયિક રીતે માન્યતા પ્રાપ્ત વક્ફ સંપત્તિઓને નબળી બનાવી શકે છે.

વક્ફ તરીકે જાહેર મિલકતોને વક્ફ તરીકે રદ્દ નહીં કરો
કોર્ટ દ્વારા વકફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને વકફ તરીકે રદ કરવી જોઈએ નહીં, પછી ભલે તે વપરાશકર્તા દ્વારા વકફ હોય કે ખત દ્વારા વકફ, ​​જોકે કોર્ટ વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજી પર સુનાવણી કરી રહી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે સંશોધિત કાયદામાં એક જોગવાઈ પર પ્રતિબંધ મૂકવાનો પણ સંકેત આપ્યો હતો, જેમા કહ્યું કે ક્લેક્ટર દ્વારા તપાસ કરવા સુધી સંપત્તિ સરકારની જમીન છે કે નહીં. વક્ફ સંપત્તિને વક્ફ નહીં માનવામાં આવે.

વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોને એન્ટ્રી આપવા મુદ્દે સવાલ
ચીફ જસ્ટિસે કહ્યું કે સામાન્ય રીતે જ્યારે કોઈ કાયદો બન્યા પછી તેમાં કોર્ટ કોઈ હસ્તક્ષેપ કરતી નથી, પરંતુ આ કેસ અપવાદરુપ હોઈ શકે છે. જો વક્ફ તરીકે જાહેર કરાયેલી મિલકતોને વક્ફ તરીકે રદ્દ કરવામાં આવે છે તો તેના ગંભીર પરિણામ ઊભા થઈ શકે છે. સુનાવણી વખતે બેન્ચ અને સોલિસિટરની વચ્ચે પણ ગંભીર દલીલો થઈ થઈ હતી, જ્યારે કોર્ટે પણ વક્ફ પ્રશાસનમાં બિન મુસ્લિમોને એન્ટ્રી આપવા મુદ્દે સવાલ કર્યા હતા. એટલું જ નહીં, હિંદુ ધાર્મિક સંસ્થામાં પણ સમાન કાયદો લાગુ પડતો નથી.

આ પણ વાંચો
Waqf Amendment Act: વક્ફ કાયદાને પડકારતી અરજીની આજે સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!