સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટી વધુ એક આપ્યો આંચકો, એલજીના પક્ષમાં આપ્યો મહત્ત્વનો ચુકાદો
આમ આદમી પાર્ટી (આપ)ને સુપ્રીમ કોર્ટ તરફથી આજે વધુ એક ફટકો પડ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે એલજીને MCD (Municipal Corporation Of Delhi)માં કાઉન્સિલરોને નોમિનેટ કરવાનો અધિકાર છે. આ માટે દિલ્હી રાજ્ય સરકારની સંમતિ જરૂરી નથી. વધુમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (એલજી) સરકારની સલાહ વગર MCDમાં 10 નોમિનેટેડ કાઉન્સિલરોની નિમણૂક કરી શકે છે.
દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા જણાવાયું છે કે એમાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું નથી. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારની એ દલીલને પણ ફગાવી દીધી હતી કે એલજી એલ્ડરમેન દ્વારા નોમિનેટ કરવા માટે એમએસડીની સહાલ માનવાનું જરુરી છે.
જસ્ટિસ પીએસ નરસિંહાની બેન્ચે આજે આ સંબંધમાં ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચમાં જસ્ટિસ જેબી પારડીવાલાનો સમાવેશ થાય છે. ચુકાદો આપતા કહ્યું હતું કે એલ્ડરમેનની નિમણૂક એલજીની બંધારણીય કર્તવ્ય છે અને એનું પાલન કરવા માટે રાજ્યની કેબિનેટની સલાહ લેવાનું પણ જરુરી નથી.
અહીં એ જણાવવાનું કે એમએસડીની સ્થાયી ચૂંટણી પણ રોકી દેવામાં આવી હતી કારણ કે તેમાં નામાંકિત કાઉન્સિલરો પણ મતદાન કરે છે. એમસીડી (MCD)માં આમ આદમી પાર્ટી પાસે 134 અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) પાસે 104 ચૂંટાયેલા કાઉન્સિલર છે. આ સિવાય એમસીડીમાં 10 નોમિનેટેડ કાઉન્સિલરની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમની નિમણૂક લેફ્ટનન્ટ ગવર્નર વિનય કુમાર સક્સેના કરશે.
આ મુદ્દે કોર્ટે જણાવ્યું છે કે દિલ્હી નગર નિગમ (એમસીડી) અધિનિયમની કલમ 3(3)બી (આઈ) એલજીને એલ્ડરમેનને નિયુક્ત કરવાનો અધિકાર આપે છે. દિલ્હીના એડિમિનિસ્ટ્રેટરના અધિકારની રૂએ મળેલો અધિકારમાં કોઈ નિયમોનું ઉલ્લંઘન થતું નથી.
અહીં એ જણાવવાનું કે ડિસેમ્બર 2022માં દિલ્હીમાં પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 134 વોર્ડમાં જીત મળી હતી, જ્યારે ભાજપને 104 વોર્ડમાં જીત મળી હતી. પાલિકામાં ભાજપના પંદર વર્ષના એકચક્રી શાસનનો અંત આવ્યો હતો. બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીને નવ વોર્ડમાં જીત મળી હતી. હાલમાં પાલિકામાં આમ આદમી પાર્ટીના પક્ષમાં બહુમત છે.