બાંગ્લાદેશમાં કટોકટીની સ્થિતિ: સેના પ્રમુખે ઇમર્જન્સી બેઠક બોલાવી
ભારત પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષવિરામની સત્તાવાર જાહેરાત વચ્ચે પડોશી દેશ બાંગ્લાદેશમાં કટોકટીની પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. શેખ હસીનાને રાતોરાત ભગાડનાર વચગાળાની સરકાર બનાવનારા મોહમ્મદ યુનુસના લશ્કરી પ્રશાસન સામે ઘર્ષણ વધી રહ્યું છે અને એને લઈ યુનુસે બાંગ્લાદેશ મુક્તિની યુદ્ધની વાત કરી છે.
બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના પ્રમુખ મોહમ્મદ યુનુસ અને સેના પ્રમુખ વકાર-ઉઝ-જમાનની વચ્ચે ખેંચાખેંચી ચાલી રહી છે. રિપોર્ટ અનુસાર આર્મી ચીફ વતીથી તાત્કાલિક મોટી બેઠક બોલાવી છે, જેથી ભવિષ્યને લઈને એક્શન પ્લાન બનાવી શકાય. બાંગ્લાદેશમાં ઈમર્જન્સીની સ્થિતિ ઊભી થઈ રહે છે, ત્યારે સેના પ્રમુખ યુનુસ પર દબાણ ઊભું કરી રહ્યા છે કે દેશમાં વહેલામાં વહેલી તકે ચૂંટણીની જાહેરાત કરવામાં આવે. તેમની સૌથી મોટી ચિંતા વિદેશી હસ્તક્ષેપને કારણે દેશમાં અસ્થિરતા ઊભી થવાની શંકા છે, કારણ કે યુનુસને અમુક લોકો વિદેશી એજન્સીના કઠપુતળી માને છે.
સૂત્રોના જણાવ્યાનુસાર વકાર-ઉઝ-જમાન શેખ હસીના અને ખાલિદા જીયાની પાર્ટીને એક કરવા ઈચ્છે છે. એની સાથે ચૂંટણીમાં ભાગ લેવાનો પણ તેમનો ઉદ્દેશ છે. એની વચ્ચે યુનુસ સરકારે કાર્યકારી આદેશો મારફત કેદીઓની મુક્તિ માટે ચિંતા વ્યક્ત કરી છે. મીડિયાના અહેવાલ અનુસાર પહેલા પણ સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ સેના વકાર-ઉઝ જમાનની સાથે સંપૂર્ણ એકમત છે. બીજી બાજુ યુનુસ વતી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ)ની નિયુક્તિએ સેનામાં વિભાજનની શંકા ઊભી કરી છે. આ નિમણૂક પણ સેનાના પ્રમુખની ગેરહાજરીમાં કરવામાં આવી છે.
જનરલ જમાને સશસ્ત્ર દળ ડિવિઝનના પ્રિન્સિપાલ સ્ટાફ ઓફિસર લેફ્ટનન્ટ જનરલ કમરુલ હસનને બરખાસ્ત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને યુનુસે રોક્યા હતા. આ બનાવ સત્તાના નિયંત્રણ અને પ્રભાવને લઈ બંને પક્ષની વચ્ચે તણાવ ઊભો થયો. યુનુસની સરકારને લઈ સેનાનું માનવું છે કે તેઓ દેશની કાયદો-વ્યવસ્થાને અસરકારક રીતે નિયંત્રણ મેળવી શકતા નથી, જેથી સેનામાં અસંતોષ વધ્યો છે. યુનુસની વિદેશ નીતિ અને આંતરિક ટકરાવમાં વધારો થયો છે. ખાસ કરીને તેમની સરકારે પાકિસ્તાન અને ચીનની સાથે વધતી નજીદીકી અંગે સેનાએ ચિંતા વ્યક્ત કરી છે.
અલબત્ત, મોહમ્મદ યુનુસ અને વકાર-ઉઝ-જમાને વચ્ચેનો તણાવ, ચૂંટણીની માંગ, વિદેશી હસ્તક્ષેપ અંગેની ચિંતા અને સેનાની આંતરિક ગતિવિધિઓને લઈ દેશમાં કટોકટી જેવી સ્થિતિ ઉભી થાય તો નવાઈ નહીં.