June 30, 2025
નેશનલ

સોનમ બેવફાઃ રાજ સોનમને ‘દીદી’ કહેતો તો પછી પ્રેમ કોની સાથે હતો?

Spread the love

ત્રીજી વ્યક્તિ સાથે ભાગવાની ફિરાકમાં હતી સોનમ રઘુવંશી?

ઈન્દોરના રાજા રઘવુંશીના મર્ડર કેસમાં રોજે રોજ અવનવા રહસ્યો ખુલી રહ્યા છે. સોનમ રઘુવંશીએ પતિની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાની સાથે તેના પ્રેમી રાજ કુશવાહ અને ત્રણ કિલરની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને એક પછી એક રાજ જાણવા મળી રહ્યા છે, જ્યારે સોનમ અને રાજ બંને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરી રહ્યા છે, પરંતુ સોનમ હજુ ગેમ રમી રહી હોવાની પોલીસને શંકા છે. મેઘાલયમાં પતિ રાજા રઘુવંશની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલી પત્ની સોનમ સહિત પ્રેમી અને ત્રણ કિલરવતીથી અનેક રહસ્યો પરથી પડદો ઉઠી રહ્યો છે. અત્યાર સુધીમાં એ સ્પષ્ટ થયું નથી કે પ્રેમી રાજ માસ્ટરમાઈન્ડ છે કે પત્ની સોનમ.

રાજનો પ્યાદું બનાવી ઉપયોગ કર્યો
પોલીસને શંકા છે કે સોનમ રઘુવંશી ફક્ત રાજને પ્યાદાના માફક ઉપયોગ કરવા ઈચ્છતી હતી અને રાજાને મારવા માટે તેને રાજનો ઉપયોગ કર્યો છે. સોનમ રાજને આ હત્યાનો માસ્ટરમાઈન્ડ ગણાવી રહી છે, જ્યારે રાજ સોનમને કહે છે. મૂળ પૂછપરછમાં સોનમે બધાનો ઉપયોગ ફક્ત રાજા રઘુવંશીને છેતરવા માટે કર્યો હતો અને પ્રેમનું વચન આપીને હત્યા કરાવી. રાજનો ઉપયોગ કરીને અન્ય ત્રીજી વ્યક્તિ સાથે ભાગી જવાની ફિરાકમાં હતી અને હવે ત્રીજી વ્યક્તિ કોણ હોય શકે એના પર પોલીસ તપાસ કરી રહી છે.

ત્રીજી વ્યક્તિએ મદદ કરી હોઈ શકે
એવું કહેવાય છે કે સોનમ રઘુવંસી પરિવારના પ્લાયવુડ બિઝનેસમાં કામ કરતી હતી અને સોનમ-રાજ વચ્ચે તો કોઈ પ્રેમ નહોતો. સોનમના ભાઈ ગોવિંદે પણ કહ્યુ હતું કે રાજ તો સોનમને દીદી કહેતો હતો અને રાખડી પણ બાંધતી હતી. આ સંજોગોમાં સવાલ એ થાય છે કે સોનમ અને રાજ વચ્ચે કોઈ લવસ્ટોરી કઈ રીતે શક્ય બને. પોલીસને એવી પણ શંકા છે કે સોનમ સાથે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલી હોઈ શકે છે. પ્યાદાના માફક ઉપયોગ કરીને સોનમ ત્રીજી વ્યક્તિએ આ યોજનામાં મદદ કરી હોઈ શકે છે.

શિલોંગ અને ઈન્દોરમાં સીન રિક્રેએટ કરાશે
હવે સમગ્ર કેસની વિગતવાર માહિતી માટે હવે પોલીસ શિલોંગ જઈને સીન પણ રિક્રિયેટ કરશે અને આરોપીઓને ઈન્દોર પણ લઈ આવવામાં આવશે. રાજાની હત્યા પછી સોનમ ઈન્દોરમાં ક્યાં રોકાઈ અને કોને કોને મળી હતી એની પણ પોલીસ માહિતી બહાર લાવવા મથી રહી છે. હાલમાં તમામ આરોપીઓની પૂછપરછ થઈ રહી છે.

દસ રુપિયાની નોટ નવ વર્ષ પછી ફરી વાયરલ
રાજા રઘુવંશી અને પત્ની સોનમ લગ્ન પછી હનીમૂન પર મેઘાલય ગયા હતા, જ્યાં રાજાની હત્યા કરવામાં આવી. આ હત્યામાં ખુદ પત્નીએ જ પતિને માર્યાના અહેવાલથી દેશભરમાં આ કેસની ચર્ચા છે, ત્યારે આ જ સોનમને હવે સોશિયલ મીડિયા પર પણ વાયરલ નોટ સાથે જોડી દેવામાં આવી છે. 2016માં દસ રુપિયાની નોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેના પર લખ્યું હતું સોનમ ગુપ્તા બેવફા હૈ. આ નોટ પણ એ વખતે આખા દેશમાં ચર્ચાનું કારણ બની હતી. નોટબંધી વખતે પણ 2000 રુપિાયની નોટ પર પણ સોનમ ગુપ્તા રાષ્ટ્રીય સ્તરે બેવફાનું પ્રતીક હોવાનું ગણાવ્યું હતું અને હવે આ જ સોનમ ગુપ્તાને સોનમ રઘુવંશી સાથે લોકોએ જોડીને પતિનો વિશ્વાસઘાત કરવાની સાથે સરખાવી રહ્યા છે.

પત્ની પણ આક્રમક બની કરે છે પતિની હત્યા
ભારતમાં પતિ પત્નીને ત્રાસ આપીને મારી નાખવાનું પ્રમાણ પહેલા વધુ હતું. સમાજ શિક્ષિત બન્યા પછી એમાં ઘટાડો થયો હશે, પરંતુ હવે એનાથી ઊલટી ગંગા વહી રહી છે. પત્ની ત્રીજા પક્ષ માટે પતિની હત્યા કરતા ખચકાતી નથી. ઈન્દોરમાં સપના રઘુવંશીના કેસ સાથે મેરઠના સૌરભની હત્યા હોય કે પછી બિજનૌરના નૌશાદનું મર્ડર હોય એની પણ દેશમાં ચર્ચા જાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!