June 30, 2025
નેશનલ

સોનમ બેવફાઃ લગ્ન પછી પ્રેમી સાથે વફાદારી પણ જેની સાથે ફેરા ફર્યા એને દગો કર્યો, કારણ?

Spread the love

પતિ, પત્ની ઔર વોઃ સંબંધો કે સમાજ તૂટી રહ્યો છે, રાજા રઘુવંશી હત્યા પાછળનું રહસ્ય શું?

મધ્ય પ્રદેશના ઈન્દોરના રહેવાસી 30 વર્ષીય વેપારી રાજા રઘુવંશીની હત્યા મેઘાલય કરવામાં આવ્યા પછી એમપીથી લઈને મેઘાલય અને પાટનગર દિલ્હી શુધ્ધા હલી ગયું હતું. રાજકીય દખલગીરી પછી એક સામાન્ય વ્યક્તિનો કેસ હાઈ પ્રોફાઈલ બની ગયો હતો. લગ્નના માંડ પખવાડિયું થયું ત્યાં પતિની પત્નીએ ઠંડે કલેજે હત્યા કરાવી દીધી અને પછી નિર્દોસ બનીને સિમ્પથી કાર્ડ પ્લે કર્યું અને એની ઝાળમાં ખુદ પોતે ફસાઈ ગઈ. મૂળ વાત કરીએ કે પતિની હત્યાનું કારણ શું અને સોનમ બેવફા શા માટે બની. લગ્ન, હનીમૂન અને પછી હત્યા. આ વાત એક ફિલ્મી સ્ટોરી જેવી લાગે, પણ હકીકત છે. આઠમી જૂનના રાતના યુપીના ગાજીપુર જિલ્લામાં સોનમે સરેન્ડર કર્યા પછી તમામ અટકળો પર પડદો પડી ગયો હતો. નવમી જૂનના એટલે ગઈકાલે ગાજીપુર મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવી ત્યારે તેને 72 કલાકના ટ્રાન્ઝીટ રિમાન્ડ મંજૂર કર્યા હતા.

પોલીસે સોનમને માસ્ટરમાઈન્ડ ગણાવી
મૂળ સ્ટોરી ક્યાંથી શરુ થઈ તો પોલીસ કહે છે કે સોનમ પોતાના પ્રેમી રાજ કુશવાહ અને સુપારી કિલર્સ સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરીને પ્રેમીનો વિશ્વાસ જીત્યો. પોતાની પ્રેમી સાથે પ્લાનિંગ કરીને પતિ રાજાની હત્યાનું પ્લાનિંગ કર્યું અને મેઘાલયના શિલોંગમાં યોજનાને પાર પાડી હતી. અગિયારમી મેના સોનમની એ તસવીર પણ વાઈરલ થઈ હતી, જેમાં રાજા રઘુવંશી સાથે લગ્ન કર્યાં હતા. બીજી બાજુ નવમી જૂનના સોનમ ઢાબા પર બેસેલી જોવા મળી હતી. પોલીસે રાજા રઘુવંશીની હત્યાની માસ્ટરમાઈન્ડ ગણાવી હતી, જેમાં સોનમનો અસલી ચહેરો બહાર આવતા ખળભળાટ મચી ગયો. સમાજ રચના અને લગ્ન, સંબંધો અને સમાજની રચના પર પણ સવાલો થવા લાગ્યા છે.

રઘુવંશીની હત્યા પછી સોનમ ગાયબ થવાથી પગેરું સંકેલાયું
રાજા રઘુવંશીનો મૃતદેહ બીજી જૂનના મેઘાલયના શિલોંગની એક ખાઈમાંથી મળ્યો હતો, પરંતુ તેની પાસેનો સામાન ગાયબ હતો. આ મુદ્દે પોલીસને લૂંટફાટનો કેસ લાગે, પરંતુ સૌથી મોટો સવાલ હતો કે પત્ની સોનમ ક્યાં હતી. પતિ સાથે હનીમૂન પર ગયેલી સોનમ ગાયબ હતી. પરિવારે શંકા વ્યક્ત કર્યા પછી સોનમનું અપહરણ કે લોકલ ગેંગે પૈસા માટે કોઈએ વેચી મારી. એક કરતા અનેક અટકળો વહેતી થયા પછી દેશ આખાનું આ ઘટના પર ગયું પણ એ જ વખતે સોનમ સહી સલામત મળી આવી હતી, પરંતુ ત્યારથી કેસ આખો ઊંધો પડી ગયો. કેન્દ્રીય પ્રધાન શિવરાજ સિંહે ચૌહાણથી લઈને મધ્ય પ્રદેશના સીએમ અને ગૃહમંત્રી અમિત શાહ સુધી મામલો પહોંચ્યો હતો.

હજુ પણ પોલીસને ચાર સવાલનું રહસ્ય અકબંધ
પોલીસે કેસમાં ખુલાસો કર્યો કે સોનમ સાથે મળીને કૂલ પાંચ લોકો રાજા રઘુવંશીની હત્યામાં સામેલ હતા. પતિની હત્યા માટે સોપારી આપી હતી. સોનમે ષડયંત્ર રચનાર મુખ્ય આરોપી હતી, જ્યારે સોનમનો પ્રેમી રાજ કુશવાહા હતો. સોપારી કિલર તરીકે ત્રણ નામ બહાર આવ્યા હતા, જેમાં વિક્કી ઠાકુર, આકાશ રાજપૂત, આનંદ. હત્યા પછી સોનમની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ ચાર સવાલ ઊભા થયા છે, જેમ કે શું સોનમે રાજા રઘુવંશીની હત્યાની સોપારી આપી. સોનમના પ્રેમી રાજ કુશવાહાએ હત્યા હાયર કર્યા હતા. સોનમે પોતાના પ્રેમી રાજ કુશવાહા અંગે રાજા રઘુવંશીને લગ્ન પહેલા કેમ જણાવ્યું નહીં. અને છેલ્લે શું સોનમ લગ્નમાં મળેલા પૈસા અને ઘરેણા લઈને ભાગવા ઈચ્છતી હતી.

હનીમૂન પર જવાની ટિકિટ બુક કરી પણ વાપસીની નહીં
લગ્ન પછી સોનમે પોતે બહાર જવા માટે કોઈ રસ દાખવ્યો નહોતો, પરંતુ અચાનક એક દિવસ તેને મેઘાલયમાં ટિકિટ બુક કર્યાની જાણકારી આપી હતી. ટિકિટ બુકિંગ કરાવ્યું હોવાની માહિતી આપી પણ રિટર્ન કરી નથી. પોલીસને શક થયો કે તેને જાણી જોઈને ટિકિટ બુક કરાવી નહોતી. હત્યાની યોજના બનાવ્યા પછી ભાગી જવાની યોજના બનાવી હતી. પોલીસના જણાવ્યાનુસાર રાજ કુશવાહા હત્યા વખતે મેઘાલયમાં નહોતી, પરંતુ ફોન મારફત સંપર્કમાં હતો. ત્રણેય કોન્ટ્રાક્ટ કિલર્સ સોનમ અને રાજ કુશવાહાના સંપર્કમાં હતા. પોલીસને એક સીસીટીવી ફૂટેજમાં રાજા રઘુવંશી અને સોનમ નજરે પડેલા જોવા મળ્યા હતા. સીસીટીવી ફૂટેજમાં રાજા બાઈક પર બેઠો હતો, પરંતુ સોનમ ફોન પર બીજા કોઈની સાથે ચેટિંગ કરતી હતી. પોલીસને શક હતો કે તે રાજ કુશવાહા પોતાનું લોકેશન શેર કરતી હતી. હત્યા માટે સોનમ રાજાને એવી જગ્યાએ લઈ જવા ઈચ્છતી હતી, જ્યાં કોઈની અવરજવર હોય નહીં. હત્યા પછી સોનમ અને કિલર શિલોંગથી આસામ પહોંચ્યા, ત્યાર પછી અલગ અલગ થઈ ગયા હતા.

લગ્ન જ દીકરા માટે મોતનું કારણ બનશે એની કલ્પના કરી નહોતી પરિવારે
રાજા અને સોનમ બંને ઈન્દોરના રહેવાસી છે, પરંતુ લગ્ન પહેલા બંને પરિવારમાં કોઈ ઓળખાણ નહોતી. બંનેના પરિવારે સમાજના સામૂહિક લગ્નસંમેલનમાં કરી હતી. લગ્ન પછી રાજાએ અનેક વખત સોનમ સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી, પરંતુ વાત કરવા અથવા મળવા માટે તૈયાર નહોતી. રાજાએ ફિલ્મ જોવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો, પરંતુ તેની માએ કહ્યું હતું કે તેમના ઘરે આવી કોઈ મુલાકાતની પરંપરા હોતી નથી. રાજા રઘુવંશીના પરિવારને પણ કલ્પના નહોતી કે આ લગ્ન એક દિવસ દીકરા માટે મોતનું કારણ બની જશે. 31 મેના વિદાય મુહૂર્ત હોવા છતાં ત્રણ દિવસ પછી વિદાય કરી હતી સોનમની અને એ વાતનો પણ રાજા રઘુવંશીના પરિવારને આશ્ચર્ય હતું એના પછી જાણવા મળ્યું હતું કે સોનમનો અફેર રાજ કુશવાહા નામના યુવક સાથે હતો. તે સોનમના પિતાની પ્લાયવુડ ફેક્ટરીમાં કામ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!