February 3, 2026
એસ્ટ્રોલોજી

ચાંદી પહેરતાં જ ચમકી ઉઠે છે આ ત્રણ રાશિઓનું ભાગ્ય, જોઈ લો તમારા માટે ફાયદાકારક છે કે નહીં?

Spread the love


જ્યોતિષશાસ્ત્ર અને આયુર્વેદમાં ધાતુઓનું વિશેષ મહત્વ રહેલું છે. દરેક ધાતુ કોઈને કોઈ ગ્રહ સાથે જોડાયેલી હોય છે. ‘ચાંદી’ (Silver)ને શીતળતા અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, જેનો સીધો સંબંધ ચંદ્ર અને શુક્ર ગ્રહ સાથે છે. એવું માનવામાં આવે છે કે ચાંદી ધારણ કરવાથી મન શાંત રહે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બને છે.

જ્યોતિષીય ગણતરી મુજબ, ત્રણ એવી રાશિઓ છે જેમના માટે ચાંદી પહેરવી એ ભાગ્ય બદલવા સમાન સાબિત થઈ શકે છે. હિન્દુ ધર્મમાં ચાંદીને અત્યંત પવિત્ર ધાતુ માનવામાં આવે છે. ચાંદી પહેરવાથી માત્ર સુંદરતા જ નથી વધતી, પરંતુ તે કુંડળીમાં નબળા ચંદ્રને મજબૂત કરી સુખ-શાંતિ લાવે છે.

કર્કઃ કર્ક રાશિનો સ્વામી પોતે ‘ચંદ્ર’ છે. આ રાશિના જાતકો સ્વભાવે અત્યંત સંવેદનશીલ અને ભાવુક હોય છે. ચાંદી ધારણ કરવાથી કર્ક રાશિના જાતકોની માનસિક શાંતિ વધે છે અને તેમનો ગુસ્સો શાંત થાય છે. જો આ રાશિના લોકો ચાંદીની ચેઈન અથવા ચાંદીની વીંટી પહેરે તો તેમના જીવનમાં આવતા ઉતાર-ચઢાવ ઓછા થાય છે અને અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે.

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે ચાંદી ભાગ્યના દ્વાર ખોલનારી સાબિત થઈ શકે છે. જ્યોતિષ મુજબ આ રાશિના લોકો જો ચાંદી પહેરે તો તેમને સ્વાસ્થ્ય અને સંપત્તિ બંનેમાં લાભ થાય છે. ચાંદી આ રાશિના જાતકો માટે રક્ષણાત્મક કવચ તરીકે કામ કરે છે. તે નકારાત્મક ઉર્જાથી બચાવે છે અને આત્મવિશ્વાસમાં વધારો કરે છે. વૃશ્ચિક રાશિના લોકોએ કરિયરમાં સફળતા મેળવવા માટે હાથમાં ચાંદીનું કડું અથવા ગળામાં ચાંદીનું લોકેટ પહેરવું જોઈએ.

મીનઃ મીન રાશિનો સ્વામી ગુરુ છે, પરંતુ આ રાશિના લોકો માટે ચાંદી ‘શુભ ફળ’ આપનારી ધાતુ છે. મીન રાશિના જાતકો જો ચાંદી ધારણ કરે તો તેમની આર્થિક તંગી દૂર થાય છે અને આવકના નવા સ્ત્રોત ઉભા થાય છે. ચાંદી મીન રાશિના જાતકોના જીવનમાં સ્થિરતા લાવે છે. આ રાશિના જાતકોએ ચાંદીની વીંટી ટચલી આંગળીમાં પહેરવી જોઈએ, જેનાથી ધનલાભના યોગ પ્રબળ બને છે.

ચાંદી ધારણ કરવાથી થાય છે આ ફાયદાઓ-
કઈ રાશિના જાતકો માટે ચાંદી ધારણ કરવી શુભ માનવામાં આવે છે એ વિશે વાત કરી લીધા બાદ આગળ વધીએ અને વાત કરીએ ચાંદી ધારણ કરવાથી થતાં અન્ય ફાયદાઓ વિશે. માનસિક શાંતિની પ્રાપ્તિ માટે ચાંદી ધારણ કરવી જોઈએ. જે લોકોને વારંવાર ગુસ્સો આવે છે અથવા તણાવ રહે છે, તેમના માટે ચાંદી આશીર્વાદ સમાન છે. આયુર્વેદ મુજબ ચાંદી ત્વચાના રોગોમાં રાહત આપે છે અને શરીરની ગરમીને નિયંત્રિત કરે છે. જો કુંડળીમાં ચંદ્ર નબળો હોય તો ચાંદી પહેરવાથી માનસિક મજબૂતી મળે છે.

શું ધ્યાન રાખવું?
ચાંદી પહેરવાથી થતાં ફાયદાઓ અને પરિણામો વિશે વાત કરી લીધા બાદ અંતમાં એ વિશે પણ વાત કરીએ કે ચાંદી ધારણ કરતી વખતે કઈ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જ્યારે પણ તમે ચાંદી પહેરો, ત્યારે તેને ગુરુવાર અથવા સોમવારે પહેરવી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. પહેરતા પહેલા તેને ગંગાજળથી શુદ્ધ કરી ભગવાનના આશીર્વાદ લેવા જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!