June 30, 2025
ટોપ ન્યુઝમુંબઈ

બ્લેક મન્ડેઃ મુંબઈમાં ચાલતી ટ્રેનમાંથી પડતા અનેક પ્રવાસી ઘવાયા, પાંચના મોત

Spread the love

મુંબઈઃ મધ્ય રેલવેમાં ચાલતી લોકલ ટ્રેનમાંથી પ્રવાસીઓ પડતા મોટી દુર્ઘટના ઘટી. આજે સવારે મુમ્બ્રા અને દીવા વચ્ચે પુરપાટ વેગે જતી લોકલ ટ્રેનમાંથી પડતા અનેક પ્રવાસીઓને ઈજા પહોંચી હતી, જેમાં પાંચના મોત થયા હોવાની શંકા છે. ટ્રેનમાંથી દસથી બાર પ્રવાસી ટ્રેનમાંથી પડ્યા પછી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ક્યારે અકસ્માત થયો?
પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારે 9.20 વાગ્યાના સુમારે કસારાથી સીએસએમટી લોકલ ટ્રેન (સવારના 8.11 વાગ્યે)માંથી મુમ્બ્રા સ્ટેશન નજીક ફાસ્ટ ટ્રેક પર પડ્યા હતા. ચાલતી ટ્રેનમાંથી પડેલા અસરગ્રસ્ત પ્રવાસીઓને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે ઘવાયેલા પ્રવાસીઓની કલવા સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

અકસ્માતથી ટ્રેનસેવા પર અસર
અકસ્માત અંગે મધ્ય રેલવે જણાવ્યું છે કે કસારાથી સીએસએમટી આવનારી પેક ટ્રેનમાં આ બનાવ (દીવા-મુમ્બ્રા ડાઉન ફાસ્ટ લાઈનમાં) બન્યો હતો. લોકલ ટ્રેનના ફૂટબોર્ડ પર ટ્રાવેલ કરનારા પ્રવાસીઓ અકસ્માતનો ભોગ બન્યા હતા. આ અકસ્માતની તપાસ હાથ ધરવામાં આવી છે તથા અકસ્માત પછી ટ્રેનસેવા પર અસર થઈ હતી.

પીડિતની ઉંમર 30-35 વર્ષ
અકસ્માતના પીડિત લોકો લોકલ ટ્રેનમાં લટકીને ટ્રાવેલ કરતા હતા, જે પીક અવર્સ હોવાથી ટ્રેન પ્રવાસીઓથી ખીચોખીચ હતી, જેમાં અમુક પ્રવાસીઓ ટ્રેનના ફૂટબોર્ડ પર લટકીને ટ્રાવેલ કરતા હતા, જે લોકો ભોગ બન્યા હતા. પીડિત લોકોની ઉંમર 30-35 વર્ષની છે. ટ્રેનમાંથી પડનારા પ્રવાસીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મધ્ય રેલવેએ શું કહ્યું
કસારા લોકલ ટ્રેનના ગાર્ડના નિવેદન અનુસાર સવારે 9.30 વાગ્યાના સુમારે આ અકસ્માતની જાણ થઈ હતી. અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નવા એસી રેકમાં ઓટોમેટિક ક્લોઝ ડોરવાળી રેક મળ્યા પછી આ પ્રકારના અકસ્માતનું જોખમ ઘટશે, એમ મધ્ય રેલવેના અધિકારીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!