સૂર્યનું ગુરુની રાશિમાં ગોચર થતાં જ બન્યા બુધાદિત્ય, શુક્રાદિત્ય રાજયોગ, ચમકી ઉઠશે આ રાશિના…
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ માર્ચ મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. 14મી માર્ચના ગ્રહોના રાજા સૂર્યએ મીન રાશિમાં ગોચર કર્યું છે. જ્યોતિષશાસ્ત્રમાં મીનને ગુરુની રાશિ માનવામાં આવે છે. મીન રાશિમાં ગોચર કરીને સૂર્યએ શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગનું નિર્માણ કર્યું છે. મીન રાશિમાં શુક્ર અને બુધ પહેલાંથી જ બિરાજમાન છે. હવે સૂર્યનું ગોચર થતાં બુધ અને સૂર્યની યુતિથી બુધાદિત્ય અને શુક્ર અને સૂર્યની યુતિથીથી શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ થયું છે. ચાલો જાણીએ મીન રાશિમાં બનેલાં આ બંને રાજયોગનું નિર્માણ કઈ રાશિના જાતકો માટે લાભદાયી સાબિત થશે-
વૃષભઃ વૃષભ રાશિના જાતકો માટે આ બંને રાજયોગ જીવનમાં સકારાત્મક પરિણામો લઈને આવી રહ્યા છે. દરેક ક્ષેત્રમાં સફળતા મળી રહી છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. આવકના નવા નવા માર્ગ ખુલી રહ્યા છે. તમારી વાણથી લોકો પ્રસન્ન થશે. વધારે પૈસા કમાવશો. કોઈ જગ્યાએ પૈસા અટવાયા હશે તો તે પાછા મળી શકે છે.
તુલાઃ તુલા રાશિના જાતકો માટે આ બંને રાજયોગ લાભદાયી સાબિત થઈ રહ્યા છે. આવકમાં વૃદ્ધિ થશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. બિઝનેસ કરી રહેલાં લોકો માટે આ સમયગાળો ખૂબ જ સારો રહેશે.
ધનઃ ધન રાશિના જાતકો માટે પણ શુક્રાદિત્ય અને બુધાદિત્ય રાજયોગ ખૂબ જ લાભદાયી રહેશે. આ સમયગાળામાં તમે કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. આ સમયે મિત્રોનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. કોઈ નવું કામ શરૂ કરવા માટે આ સમય ખૂબ જ સારો રહેશે. પરિવાર સાથે સારો સમય પસાર કરશો.