June 30, 2025
ટોપ ન્યુઝ

‘તત્કાળ ટિકિટ’ના દલાલો સામે રેલવેની ડિજિટલ સ્ટ્રાઈક: પ્રવાસીઓને મળશે હવે ટિકિટ

Spread the love

ઓનલાઈન તત્કાળ ટિકિટ બુક કરાવો છો અને હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું પડશે

નવી દિલ્હીઃ તત્કાળ રેલવે ટિકિટ બુક કરવામાં સામાન્ય પ્રવાસીઓને પરસેવો છૂટી જાય છે, જેના માટે ખાસ તો એજન્ટ્સ જવાબદાર છે. સોફ્ટવેરમાં ચેડા કરવાને કારણે એજન્ટ બે મિનિટમાં સીટ ફુલ કરે છે, પરંતુ હવે વધુ સતર્ક બનીને મહત્ત્વના પગલાં ભર્યા છે. જાણીએ મૂળ સ્ટોરી અને આઈઆરસીટીસીના મહત્ત્વના પગલાને.

રોજ લગભગ 2.25 લાખ પ્રવાસીઓ તત્કાળ ટિકિટ બુક કરાવે છે
જો તમે ઓનલાઈન તત્કાલ ટિકિટ બુક કરાવો છો અને હજુ સુધી તમારા IRCTC એકાઉન્ટને આધાર સાથે લિંક નથી કરાવ્યું, તો જલ્દી કરો. રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે જે વપરાશકર્તાઓના એકાઉન્ટ આધાર સાથે વેરિફાઇડ નથી તેમના એકાઉન્ટ બંધ થઈ શકે છે. રેલવેમાં રોજ લગભગ 2.25 લાખ પ્રવાસીઓ તત્કાળ ટિકિટ બુક કરાવે છે. 24 મે અને 2 જૂન વચ્ચેના ડેટા દર્શાવે છે કે બુકિંગ વિન્ડો ખુલતાની સાથે જ પહેલી મિનિટમાં ખૂબ ઓછી ટિકિટ (એસી માં સરેરાશ 5,615) બુક થાય છે, પરંતુ બીજી મિનિટમાં આ સંખ્યા અચાનક વધી જાય છે. આનું કારણ બોટ્સ અને નકલી એકાઉન્ટ્સ હોવાનું માનવામાં આવે છે. એના આગળ વધુ વિગતે વાત કરીએ.

એજન્ટ્સ પર રેલવેની આક્રમક કાર્યવાહી
લાંબા અંતરની મેલ-એક્સપ્રેસ ટ્રેનની ટિકિટ બુક કરવા માટે હવે પ્રવાસીઓ આઈઆરસીટીસીના સર્વર પર નિર્ભર રહે છે, જેમાં સામાન્ય રિઝર્વેશનની ટિકિટ તો બુક કરાવી લે છે, પરંતુ તત્કાળ ટિકિટ બુક કરવામાં મુશ્કેલ પડે છે. 10 વાગ્યાના સમયે આઈઆરસીટીસીની વેબસાઈટ ઠપ થઈ જાય છે અને ઓપન થતા ગણતરીની સેકન્ડમાં સીટ બુક થઈ જાય છે, જ્યારે જરુરિયાતમંદ પ્રવાસીઓને ટિકિટ વેઈટિંગ મળે છે. આ બધા માટે રેલવે એજન્ટ પર કળશ ઢોળી રહી છે, પરંતુ હવે આઈઆરસીટીસીએ એના માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જે લિંક કરવાનું પ્રવાસીઓ માટે ફાયદાકારક રહી શકે.

એજન્ટને મજા અને પ્રવાસીઓને સજા
આઈઆરસીટીસીએ હવે અનઓથોરાઈઝડ એજન્ટના બનાવટી ઈમેલ અને મોબાઈલ નંબર મારફત એકસાથે ટિકિટ બુક કરવાની કોશિશ નહીં કરી શકે, જેનાથી સામાન્ય જનતાને ટિકિટ મળવાની શક્યતા વધારે રહેશે. ગેરકાયદે એજન્ટ ખાસ કરીને બનાવટી ઈમેલ મારફત મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને બનાવટી પ્રોફાઈલ બનાવે છે. દા.ત. એ નામની વ્યક્તિને દિલ્હીથી આગ્રા જવું છે અને એજન્ટ 30 અલગ અલગ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરથી 30 બનાવટી એકાઉન્ટ બનાવે છે અને જ્યારે ટિકિટનું બુકિંગ શરુ થાય ત્યારે 30 અલગ અલગ એકાઉન્ટથી ટિકિટ બુક કરવાની કોશિશ કરે છે, જેથી સામાન્ય જનતાને ટિકિટ મળતી નથી.

એજન્ટની ગેરરીતિથી સર્વર પર લોડ વધે
આ એજન્ટ ડિસ્પોઝેબલ (એક વખત ઉપયોગ થનાર) ઈેમલ આઈડી અને મોબાઈલ નંબરથી એકાઉન્ટ બનાવે છે. ઓટીપી આવ્યા પછી બનાવટી એકાઉન્ટથી વેરિફાઈ કરે છે. એક વખત પ્રોફાઈલ બને તો સિસ્ટમમાં એક્ટિવ થાય અને પછી ભલે ઈમેલ બંધ હોય. હવે મૂળ વાત સમજો જો એક-એક પ્રવાસી માટે 30-30 વખત બુકિંગનો પ્રયાસ કરે તો સિસ્ટમ પર લોડ પડે. સમજો જો 1000 પ્રવાસી આવા એજન્ટ મારફથ ટિકિટ બુક કરાવે તો એકસાથે 30,000 ટિકિટ બુકિંગની કોશિશ કરે અને એની સીધી અસર પ્રવાસીઓના બુકિંગ પર પડે છે.

આઈઆરસીટીસી શું લાવી નવી ટેક્નિક?
હવે આઈઆરસીટીસીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) અને મશીન લર્નિંગ આધારિત બોટ ડિટેક્શન ટેક્નિકથી બનાવટી પ્રોફાઈલ, ડિસ્પોઝેબલ ઈમેલ આઈડી અને બોટ્સની ઓળખ કરને બ્લોક કરી દેશે. આઈઆરસીટીસીના દાવા અનુસાર આઈઆરસીટીસીએ છેલ્લા એક વર્ષમાં 3.5 કરોડ બનાવટી યૂઝર આઈડી ડિલીટ કર્યા છે, જ્યારે 60,000થી 65,000 નવા યૂઝર આઈડી બનાવવામાં આવતા હતા હવે સંખ્યા ઘટીને 10,000થી 12,000ની આસપાસ રહી છે. બુકિંગ સિસ્ટમ પરનો લોડ ઘટ્યો છે અને લોકો ટિકિટ બુક કરી રહ્યા છે. હાલમાં સાત હજારથી વધુ બનાવટી ઈમેલ આઈડી બ્લોક કર્યા છે, જેનાથી ટિકિટિંગ સિસ્ટમ વધુ મજબૂત બનશે. નવા બદલવાથી પ્રવાસીઓને ટિકિટ બુકિંગ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!