Death Anniversary: ડાયરેક્ટરને પ્રેમ કર્યો, પણ અંત કરુણ આવ્યો હતો પ્રિયા રાજવંશનો…
ફિલ્મી જગતમાં અમુક કલાકારો એવા હતા, જેમણે પોતાના અભિનય અને જૂજ ફિલ્મો કરીને નામ કમાવી લીધું હતું. કમનસીબી એ હતી કે તેમને ઉંમરે સાથે આપ્યો નહોતો, પણ ચાહકોના દિલમાં આજીવન રાજ કરી લીધું હતું. વાત કરીએ 60ના દાયકાની જાજરમાન અને જાણીતી અભિનેત્રી પ્રિયા રાજવંશની. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રિયા રાજવંશે કામ કરીને ટોચની અભિનેત્રીઓને ટક્કર આપી હતી. આજે જ વાત શા માટે તો 27 માર્ચના પ્રિયા રાજવંશની પુણ્યતિથિ છે તો તેના વ્યક્તિગત જીવન અને ફિલ્મી કારકિર્દીની. સૌથી મોટી ચોંકાવનારી વાત એ હતી કે આ અભિનેત્રીએ ફિલ્મ નિર્માતાને પ્રેમ કરી હતી અને એના બદલામાં
22 વર્ષે લંડનમાં અભ્યાસ કર્યો હતો
પ્રિયા રાજવંશે નાની ઉંમરમાં વિદેશ અભ્યાસ કર્યો હતો. 22 વર્ષની ઉંમરે લંડનમાં અભ્યાસ કરી રહી હતી ત્યારે એક ફોટોગ્રાફરે તેનો ફોટો ખેંચ્યો હતો અને આ તસવીર ફિલ્મ નિર્માતા સુધી પહોંચી હતી. આ ફિલ્મ નિર્માતા ચેતન આનંદ હતા અને તેમને ફોટો જોયા પછી પ્રિયા રાજવંશ પસંદ પડી ગઈ હતી અને ફિલ્મમાં કામ કરવા માટે મન મનાવી લીધું હતું. સાત ફિલ્મોમાં અલગ અલગ પ્રકારની ભૂમિકામાં પોતાના ચાહકોમાં આગવું સ્થાન મેળવ્યું હતું.
પહેલી ફિલ્મ ‘હકીકત’ માટે સાઈન કરી
વર્ષ 1964માં પ્રિયા રાજવંશને ‘હકીકત’ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હતી. પ્રિયા રાજવંશની પહેલી ફિલ્મ સુપરહીટ સાબિત થઈ અને પ્રિયા રાતોરાત બોલીવુડમાં લોકપ્રિય બની ગઈ હતી. આ ફિલ્મમાં પ્રિયા રાજવંશે અંગમોની ભૂમિકા કરી હતી. ચેતન આનંદે હકીકત પછી ‘હીર રાંઝા’ બનાવી હતી. આ ફિલ્મમાં હીરનું પાત્ર ભજવનારી પ્રિયા રાજવંશે શાનદાર ભૂમિકા કરીને લોકોના દિલ જીતી લીધા હતા. હીર રાંઝા પછી પ્રિયા રાજવંશની જાણીતી ફિલ્મમાં ‘હસતે જખમ’, ‘હિંદુસ્તાન કી કસમ’, ‘સાહબ બહાદુર’, ‘કુદરત’ અને ‘હાથો કી લકીર’માં કામ કર્યું હતું.
અભિનેત્રી અને નિર્માતા વચ્ચે સંબંધો રહ્યા નહોતા
ચેતન આનંદે પ્રિયા રાજવંશને બે ફિલ્મોમાં કામ આપીને લોકપ્રિય અભિનેત્રી બનાવી દીધી હતી. ચેતન આનંદ અને પ્રિયા રાજવંશ વચ્ચે અભિનેત્રી અને નિર્માતા વચ્ચેના સંબંધો રહ્યા નહોતા, પરંતુ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. એટલું જ નહીં, પરણેલા ચેતન આનંદે પત્નીથી અલગ થઈને પ્રિયા રાજવંશ સાથે રહેવા લાગ્યા હતા પણ એ સંબંધોનો અંત કરુણ આવ્યો હતો.
પ્રિયા રાજવંશની કરાઈ હત્યાથી ઈન્ડસ્ટ્રીમાં ભૂકંપ
પ્રિયા રાજવંશ અને ચેતન આનંદ પોતાની જિંદગી મસ્ત જીવી રહ્યા હતા, પણ 1997માં ચેતન આનંદનું નિધન થયું હતું. ચેતન આનંદ પોતાની પ્રોપર્ટીનો મોટો હિસ્સો પ્રિયા રાજવંશને નામે કરી ગયા હતા, જ્યારે પહેલી પત્નીની બે દીકરીને પણ આપ્યો હતો અને આ જ બાબત પ્રિયા રાજવંશની હત્યા માટેનું કારણ બની હતી. 27 માર્ચ 2000ના સમાચાર મળ્યા હતા કે પ્રિયા રાજવંશની તેના ઘરમાં હત્યા કરવામાં આવી. હત્યાના આરોપમાં ચેતન આનંદના બંને દીકરા કેતન અને વિવેક આનંદની ધરપકડ કરી હતી. આ કેસમાં ચેતન આનંદના દીકરાને સજા થઈ હતી, પરંતુ 2011માં જામીન પણ મળી ગયા હતા. પણ ફિલ્મના ડાયરેક્ટરને પ્રેમ કરવાનું પ્રિયા રાજવંશ માટે મોંઘું પડ્યું હતું અને તેની કિંમત પોતાના મોતથી ચૂકવી હતી.