June 30, 2025
ટોપ ન્યુઝનેશનલ

અનુરાગ ઠાકુરનો એ વીડિયો પોસ્ટ કરીને PM Narendra Modiએ દેશવાસીઓને કરી ખાસ અપીલ…

Spread the love

જાતિ ગણતરીઃ અનુરાગ ઠાકુર VS રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ વચ્ચે ધમાલ
Anurag Thakur, Rahul Gnadhi & Akhilesh Yadav
નવી દિલ્હીઃ લોકસભાના ચાલી રહેલાં ચોમાસુ અને બજેટ સેશન દરમિયાન ભાજપાના સાંસદ અનુરાગ ઠાકુર અને વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી બાદ ખૂબ જ મોટો હોબાળો થયો હતો જેમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કનૌજથી સાંસદ અખિલેશ યાદવે પણ દખલગિરી કરી હતી.
હવે આ મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાંસદ અનુરાગ ઠાકુરની સ્પીચનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરીને ખાસ સંદેશો આપ્યો છે. આવો જોઈએ શું છે આ ખાસ સંદેશો-


લોકસાભામાં ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન અનુરાગ ઠાકુરે આજે બજેટ પર ભાષણ આપ્યું હતું અને આ દરમિયાન તેમણે વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી પર ટીકાસ્ત્ર છોડ્યા હતા. અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીનું નામ લીધા વિના જ તેમની તરફ ઈશારો કરતાં એમની જાતિ પૂછી લીધી હતી. બસ ત્યારથી જ વિપક્ષ તેમનો વિરોધ કરી રહ્યું છે. જોકે, ભાજપના સાંસદો અનુરાગ ઠાકુરના સમર્થનમાં છે. હવે ખૂદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનુરાગ ઠાકુરને સમર્થન આપ્યું છે.
પીએમ મોદીએ મંગળવારે સાંજે લોકસભામાં અનુરાગ ઠાકુરના સંબોધનનો વીડિયો પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે જ તેમણે કેપ્શનમાં એવું પણ લખ્યું હતું કે મારા યુવાન અને ઊર્જાથી ભરપૂર યુવાન સાથી અનુરાગ ઠાકુરને ચોક્કસ સાંભળવા જોઈએ. તેમણે તથ્યોને ખૂબ જ સુંદર રીતે રજૂ કરીને ઈન્ડિ ગઠબંધનના ગંદા રાજકારણનો પર્દાફાશ કર્યો છે.
અહીં એ જણાવવાનું કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાતિ ગણતરી કરાવવા અંગે સંસદમાં અનુરોધ કરી રહ્યા છે. પહેલા દિવસે પણ આ મુદ્દે સંસદમાં નિવેદન આપ્યું હતું, જ્યારે મંગળવારે પણ પોતાની પાર્ટી સત્તામાં આવશે તો જાતિ ગણતરી કરાવીને રહેશે એવો દાવો કર્યો હતો. આ દાવા પછી વાત વણસી હતી.
અલબત્ત, ત્યાર બાદ ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધીની જાતિ પર ઉઠાવેલા સવાલોને કારણે લોકસભામાં ધમાલ મચી ગઈ હતી. બજેટ પર ભાષણ દરમિયાન અનુરાગ ઠાકુરે કહ્યું કે જેમની જાતિની જ ખબર નથી તેઓ જાતિ ગણતરીની વાત કરે છે. અનુરાગ ઠાકુરના આ નિવેદનથી વિપક્ષી સાંસદો ખૂબ નારાજ થઈ ગયા અને હંગામો મચાવવા લાગ્યા. જોકે, બાદમાં અનુરાગ ઠાકુરે પોતાના બચાવમાં કહ્યું કે તેમણે કોઈનું નામ લીધું જ નથી. અનુરાગ ઠાકુરના નિવેદનન વચ્ચે રાહુલ ગાંધીએ પણ તેમની વાત રજૂ કરી હતી અને એની સાથે વચ્ચે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ પણ રાહુલના બચાવમાં આવીને સંસદમાં પોતાનું વલણ રજૂ કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!