PM Modiએ તમિલનાડુમાં ₹ 8,300 કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્યાસ અને ઉદઘાટન કર્યું
રામેશ્વરમઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમિલનાડુના રામેશ્વરમમાં રૂ. 8,300 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રેલ અને રોડ પ્રોજેક્ટનું ભૂમિપૂજન અને લોકાર્પણ કર્યું હતું. નવા પમ્બન રેલ બ્રિજ – ભારતના પ્રથમ વર્ટિકલ લિફ્ટ સી બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું અને રોડ બ્રિજ પરથી એક ટ્રેન અને એક જહાજને લીલી ઝંડી આપી હતી અને પુલની કામગીરી નિહાળી હતી. તેમણે રામેશ્વરમના રામાનાથસ્વામી મંદિરમાં દર્શન અને પૂજા પણ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, રામનવમીનો પાવન પર્વ છે. અગાઉ અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં સૂર્યનાં દિવ્ય કિરણોએ રામ લલાને ભવ્ય તિલકથી શણગાર્યા હતા. ભગવાન શ્રી રામનું જીવન અને તેમના શાસનકાળમાંથી સુશાસનની પ્રેરણા રાષ્ટ્રનિર્માણ માટે મહત્ત્વપૂર્ણ પાયાનું કામ કરે છે.” તમિલનાડુના સંગમ યુગના સાહિત્યમાં પણ ભગવાન શ્રી રામનો ઉલ્લેખ છે એમ જણાવીને તેમણે રામેશ્વરમની પવિત્ર ભૂમિ પરથી તમામ નાગરિકોને શ્રી રામનવમીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
નવો પમ્બન પુલ ટેકનોલોજી અને પરંપરાનાં જોડાણનું પ્રતીક
આજે રામનાથસ્વામી મંદિરમાં પ્રાર્થના કરીને હું ધન્યતા અનુભવું છું. આ વિશેષ દિવસે તેમને રૂ. 8,300 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ સોંપવાની તક મળી હતી. આ રેલવે અને રોડ પ્રોજેક્ટ તમિલનાડુમાં કનેક્ટિવિટીને નોંધપાત્ર રીતે પ્રોત્સાહન આપશે. તેમણે તમિલનાડુનાં લોકોને આ પરિવર્તનકારી પહેલો માટે અભિનંદન આપ્યાં હતાં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રામેશ્વરમ ભારતરત્ન ડૉ. કલામની ભૂમિ છે, જેમનું જીવન વિજ્ઞાન અને આધ્યાત્મિકતા કેવી રીતે એકબીજાની પૂરક એમ દર્શાવે છે. રામેશ્વરમનો નવો પમ્બન પુલ ટેકનોલોજી અને પરંપરાનાં જોડાણનું પ્રતીક છે.
પુલ ઇઝ ઑફ ટ્રાવેલ એમ બંનેને ટેકો આપે છે
હજારો વર્ષ જૂનું એક શહેર હવે 21મી સદીની ઇજનેરી અજાયબીથી જોડાયેલું છે. તેમણે સમર્પણ અને સખત મહેનત બદલ ઇજનેરો અને કામદારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પુલ ભારતનો સૌપ્રથમ વર્ટિકલ લિફ્ટ રેલવે સી બ્રિજ છે, જે મોટા જહાજોને નીચેની તરફ જવાની સુવિધા આપે છે અને સાથે-સાથે ઝડપી ટ્રેનની મુસાફરી કરી શકે છે. તેમણે આજે વહેલી સવારે નવી ટ્રેન સેવા અને જહાજને લીલી ઝંડી આપવાનો ઉલ્લેખ કર્યો હતો તથા આ નોંધપાત્ર પ્રોજેક્ટ માટે તમિલનાડુનાં લોકોને અભિનંદન આપ્યાં હતાં. આ પુલની માંગ ઘણાં દાયકાઓથી જળવાઈ રહી છે એ વાત પર ભાર મૂકીને મોદીએ કહ્યું હતું કે, લોકોનાં આશીર્વાદથી આ પુલને પૂર્ણ કરવાનો લહાવો મળ્યો છે. પમ્બન પુલ ઇઝ ઑફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઑફ ટ્રાવેલ એમ બંનેને ટેકો આપે છે, જે લાખો લોકોનાં જીવન પર સકારાત્મક અસર કરે છે. નવી ટ્રેન સેવાથી રામેશ્વરમથી ચેન્નાઈ અને દેશનાં અન્ય ભાગો વચ્ચે જોડાણમાં વધારો થશે. આ વિકાસથી તમિલનાડુમાં વેપાર અને પ્રવાસનને લાભ થશે, ત્યારે યુવાનો માટે રોજગારી અને વેપારની નવી તકોનું સર્જન પણ થશે.
દેશમાં રેલવેનો ઝડપથી વિકાસ કરી રહ્યું છે
છેલ્લાં 10 વર્ષમાં ભારતે તેના અર્થતંત્રનું કદ બમણું કર્યું છે. આ ઝડપી વૃદ્ધિનું એક મુખ્ય કારણ દેશનું નોંધપાત્ર આધુનિક માળખું છે. છેલ્લાં એક દાયકામાં રેલવે, રોડ, એરપોર્ટ, બંદરો, વીજળી, પાણી અને ગેસ પાઇપલાઇન્સ જેવી માળખાગત સુવિધાઓ માટેનું બજેટ લગભગ છ ગણું વધી ગયું છે. અત્યારે દેશભરમાં મેગા પ્રોજેક્ટ્સ ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે. ઉત્તરમાં જમ્મુ અને કાશ્મીરમાં ચિનાબ પુલનું નિર્માણ થયું છે, જે દુનિયાનાં સૌથી ઊંચા રેલવે પુલોમાંનો એક છે. પશ્ચિમમાં અત્યારે મુંબઈ દેશનાં સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઘર છે. પૂર્વમાં આસામનો બોગીબીલ પુલ પ્રગતિનો પુરાવો છે, જ્યારે દક્ષિણમાં વિશ્વના કેટલાક વર્ટિકલ લિફ્ટ બ્રિજ પૈકીનો એક પમ્બન બ્રિજ તૈયાર થઈ ગયો છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર પૂર્ણતાના આરે છે. દેશની પ્રથમ બુલેટ ટ્રેન પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે, ત્યારે વંદે ભારત, અમૃત ભારત અને નમો ભારત જેવી આધુનિક ટ્રેનો રેલવે નેટવર્કને વધારે અદ્યતન બનાવી રહી છે.