June 30, 2025
વાંચન વૈવિધ્યમ

પાકિસ્તાનનો ‘નાપાક’ બચાવ, ‘ફોલ્સ ફ્લેગ ઓપરેશન’નો ઉપયોગ, જાણો શું છે?

Spread the love

પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધોમાં તણાવ ઊભો થયો છે. ભારત સરકારને આતંકવાદીઓ વિરુદ્ધ મજબૂત પગલા ભરવા માટે સર્વ પક્ષીય દળોએ સમર્થન આપ્યું છે. પાકિસ્તાન આતંકવાદીઓને પોષી રહ્યું હોવાનું સીધું સ્પષ્ટ કહીને પણ ભારતને વળતો જવાબ આપ્યો છે કે જો ભારત એક પણ નિર્દોષ નાગરિકને ટાર્ગેટ કરશે તો અમે પણ સાંખી લઈશું નહીં. આતંકવાદને પોષે જ પણ સમર્થન નહીં આપતા હોવાનું કહીને પાકિસ્તાનના નેતાઓ દોષનો ટોપલો ભારત પણ ઢોળે છે, તેમાંય વળી ભારત પર આક્ષેપ મૂકતા કહ્યું હતું કે ભારત ‘ફોલ્સ ફ્લેગ ઓપરેશન’ની રણનીતિ અપનાવી રહ્યું છે.

‘ફોલ્સ ફ્લેગ’ એટલે શું હવે તમારા મનમાં સવાલ થાય તો ભારતમાં થનારા આતંકવાદી હુમલા મુદ્દે જે નેતાઓ ‘ફોલ્સ ફ્લેગ’નો આક્ષેપ કરે છે તે ભૂતકાળના યુદ્ધોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ઈતિહાસની વાત કરવામાં આવે તો ‘ફોલ્સ ફ્લેગ’માં આર્મી એવી કાર્યવાહી કરવામાં આવે છે, જેમાં એક દેશમાં છુપાઈને, જાણી જોઈને પોતાની સંપત્તિને નુકસાન પહોંચાડે છે અને પોતાના નાગરિકોને જોખમમાં નાખે છે. બીજી બાજુ એવું પુરવાર કરવામાં આવે છે કે દુશ્મન દેશો કરે છે. એની આડમાં દેશ પોતાના દુશ્મનો પર હુમલો કરે છે. આ નીતિ મારફત યુદ્ધ શરુ કરવાન દોષ પ્રતિદ્વંદી દેશ પર નાખે છે, જ્યારે જવાબી કાર્યવાહીમાં યુદ્ધની જાહેરાત કરે છે.

ઈતિહાસની વાત કરીએ તો દેશ પોતાના દેશ પર જ હુમલાનું નાટક કરે છે અને પછી દુનિયા સામે દુશ્મન દેશ પર દોષનો ટોપલો ઢોળે છે. 1939મં જ્યારે જર્મનીએ પોલેન્ડ સામે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે જર્મનીએ પોતાના એક રેડિયો ટાવર પર હુમલો કર્યો હતો, ત્યાર પછી એવો સંદેશ વહેતો કર્યો હતો કે પોલેન્ડે જર્મીનીના રેડિયો ટાવર પર કબજો કર્યો હતો અને એ પછી જર્મનીએ પોલેન્ડ પર હુમલો કરવાની તક મળી અને યુદ્ધની શરુઆત કરી હતી.

એ જ રીતે રશિયાએ આ જ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ક્રિમિયા પર હુમલો કર્યો હતો. એ વખતે રશિયાએ ક્રિમિયાના રસ્તાઓ પર અમુક લોકોને મોકલી દીધા હતા અને પછી દાવો કર્યો હતો કે આ લોકો યુક્રેનના હતા અને રશિયાને સમર્થન કરે છે. આ જ આધારે ફોલ્સ ફ્લેગના દાવા મારફત રશિયાએ કાર્યવાહી કરી હતી. ફોલ્સ ફ્લેગનો રશિયાનો બહુ જૂનો અનુભવ છે અને અત્યારે યુક્રેનની સામે અજમાઈશ કરે છે. એના કોઈ નક્કર પુરાવા મળ્યા નથી, પરંતુ અમેરિકા સતત દાવા કરે છે. આ જ આધારે રશિયાએ યુકેન પર હુમલા કર્યા હતા.

ભારતમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓની ઘૂસણખોરી કરી રહ્યા છે અને એના વિરુદ્ધ ભારત ચોકન્ના રહે છે, પણ અમુક લોકોની મિલિભગતને કારણે ઘૂસણખોરીને અટકાવવામાં ભારત નિષ્ફળ રહે છે, તેથી દર અઠવાડિયે કાશ્મીરમાં છમકલું થાય છે અને એથે પાકિસ્તાન કપટ કરી રહ્યું છે. આ વખતે ભારતે પાકિસ્તાનની ઔકાત દેખાડી દેવી જોઈએ, એવું નિષ્ણાતે જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!