June 30, 2025
ઈન્ટરનેશનલવાંચન વૈવિધ્યમ

નોબેલ શાંતિ પુરસ્કાર માટે પાકિસ્તાને ટ્રમ્પને નોમિનેટ કર્યા, પણ પ્રક્રિયા શું છે?

Spread the love

અત્યાર સુધીમાં ભારતમાંથી કોને પુરસ્કાર મળ્યા છે? અમેરિકામાંથી કેટલા રાષ્ટ્રપતિને મળ્યા છે નોબેલ પીસ એવોર્ડ

રશિયા યુક્રેન સાથે યુદ્ધના મોરચે લડી રહ્યું છે, જ્યારે ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ દુનિયાને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલે તો નવાઈ નહીં. એના પૂર્વે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ જાહેર થઈ ચૂક્યું છે અને ઈરાન-ઈઝરાયલને યુદ્ધમાં ધકેલ્યા પછી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જશ ખાટવાની ખેવના જાગી છે. ડોનાલ્ડ ટ્રમ્પની મુરાદ આખરે નોબેલ શાંતિ પુરસ્કારની છે, જ્યારે એની પરોક્ષ જાહેરાત પાકિસ્તાને કરી નાખીને દુનિયાને ચોંકાવી છે. જાણીએ નોબેલ પુરસ્કાર માટે પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પની ભલામણ કરી પણ એમ મળે છે કે નહીં એની વાત કરીએ.

કાશ્મીરના પહલગામમાં 25 લોકોની નિર્મમ હત્યા કરવામાં આવ્યા પછી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ ગુમ થયા. પાકિસ્તાનની આતંકવાદીઓનો પોષવાની નીતિ સામે ભારતે આક્રમક પગલા ભરવાના ભાગરુપે ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું હતું, જેમાં ચાર દિવસના તણાવ પછી ભારત અને પાકિસ્તાને યુદ્ધવિરામ જાહેર કર્યુ હતું. આ યુદ્ધવિરામ અમેરિકાએ કરાવ્યું હોવાનો દાવો અને જશ ડોનાલ્ડ ટ્રમ્પે ખાટ્યો હતો અને એને ભારતે ફગાવ્યા પછી પાકિસ્તાને ટ્રમ્પની મધ્યસ્થીનું ઋણ ચૂકવવા નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા છે પણ પાકિસ્તાને નોમિનેટ કરવાથી પુરસ્કાર એમ કંઈ મળતો નથી. વાસ્તવમાં નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરવા પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, કઈ રીતે મળે છે, કોણ ડિસાઈડ કરે છે અને આ બધા સવાલના જવાબમાં જણાવીએ.

નોબેલ શાંતિ પુરસ્કારની નોમિનેટની પ્રક્રિયા શું છે?
નોબેલ પુરસ્કારની પ્રક્રિયા બહુ લાંબી છે તથા કોને આપવામાં આવે છે એ પણ જાણીએ. નોબેલ શાંતિ પુરસ્કારની શરુઆત આલ્ફ્રેડ નોબલની વસિયતથી થઈ હતી. આ પુરસ્કાર કેમિસ્ટ્રી, ફિઝિક્સ, ફિઝિયોલોજી અથવા મેડિસીન, શાંતિ અને સાહિત્યનો સમાવેશ થાય છે. સૌથી પહેલો પુરસ્કાર 1901માં આપ્યો હતો. શાંતિ કેટેગરીમાં આ પુરસ્કાર આપવામાં આવે છે, જે બંને દેશ વચ્ચે શાંતિ, ભાઈચારો, હથિયારો ઓછા કરવાની કામગીરી માટે નોંધ લેવાય છે. નોર્વેજિયન નોબેલ સમિતિ નોબલ શાંતિ પુરસ્કાર માટે સિલેક્ટ કરે છે. નોબેલ પીસ પ્રાઈઝ માટે કોઈ પણ વ્યક્તિ, સંગઠન અથવા આંદોલનને નોમિનેટ કરવામાં આવે છે પણ શરત એ છે કે ગમે તે વ્યક્તિને નોમિનેટ કરી શકે નહીં એના માટે મર્યાદિત લોકોની યાદીના નામની ભલામણ કરી શકાય છે.

પુરસ્કાર માટે કોણ નોમિનેટ કરી શકે?
કોઈ પણ દેશના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન, કેબિનેટ મંત્રી, સરકારી કર્મચારી. નેધરલેન્ડના હેગમાં આંતરરાષ્ટ્રીય કોર્ટ અને હેગમાં પર્મેનન્ટ કોર્ટ ઓફ આર્બિટ્રેશનના સભ્ય, ઈન્સ્ટિટ્યૂટ ડી ડ્રોઈટ ઈન્ટરનેશનલ, યુનિર્વસિટીના પ્રોફેસર, એમરિટી પ્રોફેસર, વિદેશ નીતિના ડાયરેક્ટર, એવી વ્યક્તિ જેમને પહેલા નોબલ શાંતિ પુરસ્કાર મળ્યો હોય, નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત સંગઠનના મુખ્ય ડાયરેક્ટર, નોર્વેજિયન નોબેલ સમિતિના પૂર્વ સલાહકારનો સમાવેશ થાય છે.

2026 માટે ટ્રમ્પને નોમિનેટ કર્યા
ડોનાલ્ડ ટ્રમ્પને 2026 માટે નોબેલ શાંતિ પુરસ્કાર માટે પાકિસ્તાને નોમિનેટ કર્યા છે, પણ હવે સમજી ગયા કે સામાન્ય લોકો પણ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકે નહીં, પરંતુ ઉપરના લોકો જ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કરી શકે છે. નોમિનેટ કરવા માટે રાષ્ટ્રીય સાંસદ, સરકારના કર્મચારી(સાંસદ, પ્રધાન), આંતરારાષ્ટ્રીય કોર્ટના જજ. યુનિવર્સિટીના પ્રોફેસર, પૂર્વ નોબલ પુરસ્કાર વિજેતા, સંયુક્ત રાષ્ટ્રસંઘ અને અન્ય આંતરારાષ્ટ્રીય સંગઠનના અધિકારી, અમુક એનજીઓ અને માનવઅધિકાર સંસ્થા સહિત અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય હોય.

નોબેલ પુરસ્કાર ઓસ્લોમાં આપવામાં આવે છે
વર્ષ 2025માં આ પુરસ્કાર માટે 338 ઉમેદવારને નોમિનેટ કર્યા હતા, જેમાં 244 વ્યક્તિ અને 94 સંગઠન હતા. 2024માં 286 લોકોને નોમિનેટ કર્યા હતા, જ્યારે 2016માં સૌથી વધુ એટલે 376 લોકોને નોમિનેટ કર્યાં હતા, પરંતુ કયા વર્ગ માટે કોને નોમિનેટ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો કરતી નથી. નોર્વેજિયન નોબલ કમિટી એક ઓનલાઈન નોમિનેટેડ ફોર્મ લોન્ચ કરે છે, જેનો ઉપયોગ નોમિનેશન માટે કરાય છે. પ્રક્રિયા પણ જટિલ હોય છે, જ્યારે વિજેતાને નોર્વેજિયન કમિટી કરે છે. આ સમિતિમાં નોર્વેજિયન સંસદવતીથી નિયુક્ત પાંચ સભ્ય સામેલ હોય છે. નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વે સ્થિત ઓસ્લોમાં આપવામાં આવે છે, જ્યારે બાકી નોબેલ પુરસ્કાર સ્ટોકહોમ, સ્વીડનમાં આપવામાં આવે છે.

પસંદગી કઈ રીતે કરવામાં આવે છે?
સૌથી મહત્ત્વનો સવાલ એ છે કે નોબેલ પુરસ્કાર વિજેતાની પસંદગી કઈ રીતે કરવામાં આવે છે. નોમિનેશન પછી નોમિનેટેડ લિસ્ટમાં લોકોને પસંદ કરવાની પ્રક્રિયા સપ્ટેમ્બરથી શરુ થાય છે. નોબેલ શાંતિ પુરસ્કાર દર વર્ષે ડિસેમ્બરમાં આપવામાં આવે છે, જ્યારે સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધી પસંદગીની પ્રક્રિયા કરવામાં આવે છે. સપ્ટેમ્બરમાં નોર્વેજિયન નોબલ કમિટી પ્રક્રિયા શરુ કરે છે. ફેબ્રુઆરી સુધીમાં નોમિનેશન કમિટી સુધી પહોંચવાનું રહે છે એના પછી નોમિનેશન પર વિચાર કરતી નથી. ફેબ્રુઆરી-માર્ચમાં નોમિનેશન લિસ્ટમાં લોકોના નામની પસંદગીની શોર્ટ લિસ્ટ તૈયાર કરાય છે. માર્ચથી ઓગસ્ટ વચ્ચે એડવાઈઝર દ્વારા તૈયાર કરેલી શોર્ટ લિસ્ટને રિવ્યૂ કરે છે અને નામને પસંદ કર્યા પહેલા વિચાર કરે છે.

વિવાદ થાય તો વોટિંગ પણ કરાય છે
નોબલ પુરસ્કારની સમિતિમાં જો મતભેદ અથવા એક નામ પર સર્વસમંતિ સધાય નહીં તો વોટિંગ પણ કરવામાં આવે છે. અલગ અલગ નામ મળ્યા પછી તો છેલ્લે વોટિંગ કરવામાં આવે છે અને જેના નામ પર બહુમતી મળ્યા પછી ફાઈનલ મહોર મારવામાં આવે છે. અમેરિકામાંથી કોને મળ્યા છે નોબલ શાંતિ પુરસ્કારની યાદીમાં રાષ્ટ્રપતિ વુડરો વિલ્સન (ફર્સ્ટ વર્લ્ડ વોર સમાપ્ત કરવા અને રાષ્ટ્રસંઘનું નિર્માણ કરવા મદદ કરી હતી), રાષ્ટ્રપતિ જિમી કાર્ટરને 2002માં સન્માનિત કરવામાં આવ્યા હતા, 2007માં ક્લાયમેટ ચેન્જ માટે ઉપરાષ્ટ્રપતિ અલ ગોરે, 2009માં આંતરરાષ્ટ્રીય કૂટનીતિ અને સહયોગને મજબૂત બનાવવાના પ્રયાસ માટે બરાક ઓબામાનું નામ છે.

ભારતમાંથી કોને મળ્યા છે પુરસ્કાર
નોબેલ શાંતિ પુરસ્કાર 1901થી 2024 વચ્ચે 142 પુરસ્કાર વિજેતા જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 111 વ્યક્તિ, 31 સંગઠનને 105 વખત આપ્યા છે. રેડ ક્રોસ જેવી ઈન્ટરનેશનલ સંસ્થાને ત્રણ વખત (1917, 1944 અને 1963)માં નોબલ શાંતિ પુરસ્કાર આપ્યો હતો. પાકિસ્તાને ડોનાલ્ડ ટ્રમ્પને શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ કર્યા પછી ટ્રમ્પે નિવેદન આપ્યું કે હું ગમે તેટલું કરું પણ મને શાંતિ નોબેલ પુરસ્કાર નહીં આપે. આ અગાઉ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બની ચૂક્યા છે પણ પસંદ કર્યા નથી, જ્યારે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી અંદરોઅંદર પુરસ્કાર મળે એવી ઈચ્છા રાખે છે. તેમની તુલનામાં બરાક ઓબામા રાષ્ટ્રપતિ બન્યાના નવ મહિનામાં તેમને પુરસ્કાર મળ્યો હતો, જ્યારે એના અંગે ટ્રમ્પે ટીકા કરી હતી. ભારતમાં કોને મળ્યો છે નોબેલ શાંતિ પુરસ્કાર તો મધર ટેરેસા, કૈલાશ સત્યાર્થીને મળ્યા છે, જ્યારે સાહિત્યમાં રવિન્દ્રનાથ ટાગોર, સીવી રમન (ભૌતિક વિજ્ઞાન), હર ગોવિંદ ખુરાના (ફિઝિયોલોજી), સુબ્રમણ્યમ ચંદ્રશેખર (ભૌતિક વિજ્ઞાન), અમર્ત્ય સેન (અર્થશાસ્ત્ર), વેંકટરામન રામકૃષ્ણન (રસાયણ વિજ્ઞાન), અભિજીત બેનરજી (અર્થશાસ્ત્ર)ને મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!