મુગેમ્બો ખુશ હુઆઃ પાકિસ્તાનની સરકારે આર્મી ચીફ અસીમ મુનીરને આપ્યું પ્રમોશન
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધો વચ્ચે પાકિસ્તાન સરકાર માટે મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ આર્મી ચીફને પ્રમોશન આપવામાં આવ્યું છે. પાકિસ્તાનના હાલના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરને શાહબાઝ શરિફ સરકારે વિશિષ્ટ પ્રમોશન આપી દેશના સૌથી ઉંચા લશ્કરી પદ “ફિલ્ડ માર્શલ” તરીકે નિમણૂક કરી છે. આ જાહેરાતથી માત્ર લશ્કરી સત્તામાં જ નહીં, પરંતુ રાજકીય સ્તરે પણ મોટી અસર જોવા મળી રહી છે.
ફિલ્ડ માર્શલનો દરજ્જો સામાન્ય રીતે ખાસ લશ્કરી સિદ્ધિઓ અને રાષ્ટ્રસેવા માટે આપવામાં આવે છે. અત્યારે ઘણા નિષ્ણાતો આ નિર્ણયને શહબાઝ સરકાર અને લશ્કરની નજીકતીને દૃઢ કરતી ઘટના તરીકે જુએ છે. બીજી બાજુ, દેશની લોકશાહી અને નાગરિક નિયંત્રણના મુદ્દાઓ પર પણ ચર્ચા ઉદભવી છે. જોકે, ફિલ્ડ માર્શલનું પ્રમોશન આપ્યા પછી એ પ્રમોશન પણ શંકાના દાયરામાં છે કે આ પ્રમોશન આપ્યું છે કે જાતે લીધું છે. એના ભૂતકાળની વાત પણ જાણીએ.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફની કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. શાહબાઝ શરીફે ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ અંગે પણ માહિતી આપી હતી. અહીં એ જણાવવાનું કે જનરલ અયુબ ખાન પછી અસીમ મુનીર પાકિસ્તાનના બીજા ફિલ્ડ માર્શલ બન્યા છે. અહીં સૌથી મોટો ફરક એ છે કે અસીમ મુનીરને કેબિનેટની મંજૂરીથી આપવામાં આવ્યું છે, જ્યારે જનરલ અયુબ ખાને પોતાની મેળે ફિલ્ડ માર્શલ જાહેર કર્યા હતા.
આ અગાઉ મુનીરે પાકિસ્તાનને દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે મુસ્લિમો અને હિંદુઓ સાથે રહી શકતા નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે પહેલગામ આતંકવાદી હુમલા પહેલા આસીમ મુનીરે દ્વિ-રાષ્ટ્ર સિદ્ધાંતની હિમાયત કરી હતી અને કહ્યું હતું કે હિન્દુઓ અને મુસ્લિમો સાથે રહી શકતા નથી. આપણા પૂર્વજો માનતા હતા કે આપણે હિન્દુઓથી અલગ છીએ, આપણા વિચારો, ધર્મ અને પરંપરાઓ અલગ છે. આ બે રાષ્ટ્ર સિદ્ધાંતનો પાયો છે. દ્વિ-રાષ્ટ્રની હિમાયત કર્યા પછી તેમની ટિપ્પણીને ભારત સહિત અન્ય દેશના નિષ્ણાતોએ વખોડી નાખી હતી.