Pahalgam Terror Attack: સર્વ પક્ષોની બેઠકમાં સરકારે ‘સુરક્ષામાં ભૂલ’ સ્વીકારી, બેઠકમાં શું થયું?
શ્રીનગર-નવી દિલ્હીઃ પહલગામના આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો તણાવમાં આવી ગયા છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદને કારણે દર વખત ભારતમાં આતંકવાદી હુમલા થાય છે. પહલગામના હુમલાને લઈ ગુરુવારે સાંજે સંસદના પરિસરમાં સર્વ પક્ષની બેઠકમાં રાજનાથ સિંહ અને ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. સર્વદળની બેઠકમાં પહલગામમાં થયેલી સુરક્ષા ચૂકની વાત સરકારે સ્વીકારી હતી. મોટા ભાગના પક્ષોએ સુરક્ષામાં ચૂક અને ઘટનાસ્થળે પ્રોપર સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બેઠકમાં રાહુલ ગાંધીએ સરકારને કર્યો સવાલ
પહલગામના હુમલામાં 28 જણનાં મોત પછી ભારત સરકાર એક્શનમાં આવી ઈ છે. પાકિસ્તાન માટે સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવ્યા પછી પાકિસ્તાનીઓની અવરજવર બંધ કરવાની સાથે ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. પાકિસ્તાન પર અનકે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એની સાથે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ગૃહ પ્રધાન અમિત શાહે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી, ત્યાર બાદ સંસદના પરિસરમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ ઉપસ્થિત રહ્યા હતા. વિપક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતા ઉપસ્થિત રહ્યા હતા અને બૈસરન ઘાટીમાં સુરક્ષા કર્મચારીઓ શા માટે ઉપસ્થિત રહ્યા નથી એમ જણાવ્યું હતું.
સ્થાનિક ઓપરેટર્સે પરવાનગી વિના બુકિંગ શરુ કર્યું
રાજકીય પક્ષો દ્વારા સવાલ કરવામાં આવ્યા પછી સરકારે જણાબ આપ્યો તો કે મોટા ભાગનો રુટ જૂન મહિનામાં ખોલવામાં આવે છે, કારણ કે અમરનાથ યાત્રાના પ્રવાસીઓ અહીં પહેલો પડાવ હોવાથી રેસ્ટ કરે છે, પરંતુ આ વખતે સ્થાનિક ઓપરેટર્સે સરકારને જાણકારી વિના 20 એપ્રિલથી બુકિંગ શરુ કર્યું હતું અને એની જાણકારી સ્થાનિક પ્રશાસનને પણ નહોતી. આ જ કારણસર ત્યાં સુરક્ષા વ્યવસ્થા નહોતી. દર વર્ષે અમરનાથ યાત્રા પૂર્વે આર્મીને તહેનાત કરવામાં આવે છે.
આઈબીના નિર્દેશકે આપ્યું પંદર મિનિટનું પ્રેઝન્ટેશન
સર્વ દળની બેઠકમાં ઈન્ટેલિજન્સ બ્યુરો (આઈબી)ના નિર્દેશકે પંદર મિનિટનું પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં હુમલા સંબંધિત જાણકારી આપી હતી. આ બેઠકમાં તમામ પક્ષના નેતાઓએ હુમલાની ટીકા કરી હતી અને કડક કાર્યવાહી કરવા માટે તમામ પક્ષના નેતાઓએ સરકારને સમર્થન આપ્યું હતું. બેઠક પછી આમ આદમી પાર્ટી (આપ)ના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે કહ્યું કે તમામ પક્ષ સરકારે આતંકવાદીઓના સ્થળોનો નાશ કરવા માટે નિર્ણાયક કાર્યવાહી માટે સમર્થન આપે છે. વિપક્ષે સરકારને સુરક્ષામાં ચૂક મુદ્દે ગંભીર સવાલ કર્યા પણ આતંકવાદ સામેની લડાઈમાં તમામ લોકો એકસાથે રહીને સરકારને સમર્થન આપવાની વાત કરી છે.
આ પણ વાંચો
પહલગામ હુમલા પછી સરકારે સિંધુ જળ સંધિને અટકાવી, પાકિસ્તાન પર શું અસર થશે?