પહલગામ એટેકઃ મિશન રેડી, ગમે ત્યારે ગમે તે જગ્યાએ નૌકાદળે આપ્યાં ‘ગંભીર’ સંકેત
પહલગામ હુમલા પછી આતંકવાદીઓની શોધ માટે ભારત સરકાર આકાશ પાતાળ એક કરી રહ્યું છે, જ્યારે તેમને સમર્થન આપનાર પડોશી દેશ પાકિસ્તાન પર પણ આક્રમક પગલાં ભરી દીધા છે. સિંધુ સંધિને ફોક કરવાની સાથે પાકિસ્તાનના રહેવાસીઓને 48 કલાકમાં ભારત છોડવાનો આદેશ આપ્યો છે. આંતરરાષ્ટ્રીય સંબંધો વણસવાની સાથે ભારતની ત્રણેય પાંખને સજ્જ રહેવાનો પણ આદેશ આપ્યો છે. એની વચ્ચે ભારતીય નૌકાદળની એક પોસ્ટ વાઈરલ થઈ છે, જેમાં લખ્યું છે કે મિશન રેડી.
છેલ્લા બે દિવસથી ભારતીય નૌકાદળે દરિયામાં હિલચાલ વધારી છે, જેમાં એક પોસ્ટ જોરદાર વાઈરલ થઈ છે. ભારતીય નૌકાદળે લખ્યું છે મિશન રેડી, એનીટાઈમ, એનીવ્હેર, ઓનીહાઉ. આ પોસ્ટ અત્યારે સૌથી વધુ લોકોમાં ચર્ચાનું કારણ બની છે. પહલગામમાં આતંકવાદીઓના હુમલામાં 26 પર્યટકના મોત પછી આ પોસ્ટને લઈ નેવી તમામ મોરચે લડવા માટે સજ્જ હોવાનો સંકેત આપે છે.
નૌકાદળે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે પાવર ઈન યુનિટી, પ્રેઝન્સ વિથ પર્પઝ. એની સાથે નેવીએ અમુક ટેગ્સનો પણ ઉપયોગ કર્યો છે, જેમાં લખ્યું છે કે મિશન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે જેના માટે લખ્યું છે કે મિશન રેડી, એનીટાઈમ, એનીવ્હેર, એનીહાઉ. એના સિવાય ઈન્ડિયન આર્મી અને એર ફોર્સ વતીથી પણ આ પ્રકારની પોસ્ટ લખવામાં આવી છે. પરિણામે સોશિયલ મીડિયા પર યુદ્ધની અટકળો વહેતી થઈ છે. કહેવાય છે કે વોટર સર્જિકલ સ્ટ્રાઈક, એર સ્ટ્રાઈક પછી હવે નૌકાદળ તરફથી કોઈ સ્ટ્રાઈક કરવામાં આવશે.
હાલના તબક્કે ભારત સરકાર અને ત્રણેય નૌકાદળના વડા સાથે બેઠક કરવામાં આવી રહી છે, જ્યારે તેની અધ્યક્ષતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. પીએમ મોદીએ પણ કહ્યું હતું કે આતંકવાદીઓ વિરુદ્ધ એક્શન લેવામાં આવશે.આતંકવાદીઓએ કલ્પના નહીં કરી હોય એવી કાર્યવાહી કરવામાં આવશે. હવે લોકોના મનમાં પણ એવો સવાલ કરવામાં આવી રહ્યો છે કે શું સમય આવી ગયો છે.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર યુદ્ધમાં નૌકાદળની મહત્ત્વની ભૂમિકા છે, કારણ કે જો અરબ સાગરમાં ભારત પોતાની શિપ તહેનાત કરે તો પાકિસ્તાનને ફટકો પડશે. ઇંધણના પુરવઠામાં અવરોધની સાતે અન્ય ચીજવસ્તુઓનો પુરવઠો ખોરવાઈ શકે છે. કારગિલ યુદ્ધ વખતે પણ નૌકાદળે પોતાની ક્ષમતાનો પરિચય આપ્યો હતો અને સરકાર પાસે પણ આ વિકલ્પ ખુલ્લો છે.