પહલગામમાં વારંવાર આતંકવાદી હુમલા કેમ થાય છે, જાણો પર્યટન અને ધાર્મિક મહત્ત્વ?
પહલગામમાં આતંકવાદી હુમલામાં 28 હિંદુના મોત થયા. છેલ્લા અનેક વર્ષોથી અમરનાથ યાત્રા વખત યા એ યાત્રા પૂર્વે હુમલા થયા છે. આ વખતે અમરનાથ યાત્રા પૂર્વે અને ઉનાળા વેકેશનની રજા વખતે જ અમરનાથ જવાના માર્ગના બેઝ કેમ્પ તરીકે જાણીતા પહલગામમાં હુમલો થયો. વારંવાર પહલગામની આસપાસ થનારા આતંકવાદી હુમલા પાછળનું કારણ પણ છે. પર્યટકો અને ધાર્મિક યાત્રાળુ માટે જાણીતા પહલગામના આ વખતના હુમલાએ ભારત સાથે દુનિયાના દેશોની ઊંઘ હરામ કરી નાખી. આ હુમલાને કારણે કાશ્મીરના પર્યટન, હોટેલ અને ઔદ્યોગિક ક્ષેત્રને કરોડો રુપિયાનો ફટકો પડી શકે છે.
શ્રીનગરથી બે કલાક દૂર આવેલું છે પહલગામ
મિનિ સ્વિટઝર્લેન્ડ તરીકે ઓળખાતા પહલગામ શ્રીનગરથી બે કલાક દૂર આવેલું છે. પહલગામની બાયરસન ઘાટી પર્યટકો માટે વિશેષ જાણીતી છે. પહલગામથી પાંચ કિલોમીટર દૂર બાયરસન ઘાટી લોકપ્રિય છે, જ્યાંની હરિયાળી, ગ્લેશિયર, સુંદર ઘાસના મેદાનવાળા વિસ્તારોની વચ્ચે દેવદારના વૃક્ષો કુદરતના સાંનિધ્યમાં લોકો ટ્રેકિંગ માટે પણ વિશેષ જાય છે, જ્યારે આઠ કિલોમીટર દૂરનું તળાવ પણ આકર્ષણનું કેન્દ્ર છે, જે 12,100 ફૂટની ઊંચાઈ પર આવેલુ છે.
7,000 ઊંચાઈ પર આવેલું ગોલ્ફ કોર્સ દુનિયામાં જાણીતું
સમગ્ર વિસ્તાર ગાઢ જંગલોથી ઘેરાયેલો છે, જ્યાં આતંકવાદીઓ કઈ રીતે પહોંચે છે એ પણ સંશોધનનો વિષય છે. સ્થાનિક લોકો ઘોડેસવારી કરી જાય છે, જ્યારે સામાન પણ ટટ્ટુ મારફત પહોંચાડે છે. અહીંયા બૈતાબ વેલીનું નામ પણ સની દેઓલ ફેમ ફિલ્મ બૈતાબ પરથી પડ્યું હતું, જ્યારે ટ્રેકિંગ-એડવેન્ચર માટે આરુ વેલીને પસંદ કરે છે. પહલગામનું બીજું મોટું એટ્રેક્શન 7000 ફૂટની ઊંચાઈ પર આવેલું ગોલ્ફ કોર્સ માટે ભારત જ નહીં, દુનિયાભરના ગોલ્ફ રમનારા માટે એટ્રેક્શન છે.
હિન્દી ફિલ્મો માટે જાણીતું છે પહલગામ
બેસરન ઘાટી પર્યટકો માટે જ નહીં, પરંતુ બોલીવુડની ફિલ્મો માટે જાણીતું છે. અહીંની કુદરતી સુંદરતાને કારણે બોલીવુડની અનેક ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જે પૈકી કાશ્મીર કી કલી (1964), આરજુ (1965), જબ જબ ફૂલ ખિલે (1965), કભી કભી (1976), સત્તે પે સત્તા (1982), રોટી અને બૈતાબ (1983)માં વગેરેનો સમાવેશ થાય છે.
અમરનાથ જતી વખતે સૌથી પહેલું પહલગામ આવે છે
અમરનાથ યાત્રાની શરુઆત ચંદનવાડીથી થાય છે. અહીંના પહાડી વિસ્તારોમાં સ્લેજિંગ, સ્નો પ્લે એક્ટિવિટીઝથી જાણીતો છે. ગરમીઓમાં ખાસ કરીને લોકો એપ્રિલ-મે મહિનામાં વિશેષ ફરવા જાય છે, તેમાંય લોકો માટે સ્નોફોલના અનુભવ માટે ડિસેમ્બર-જાન્યુઆરીમાં જાય છે. લિદ્દર નદીમાં રાફટિંગ, ફિશિંગ, રિવરસાઈડ પિકનિક લોકોમાં વિશેષ લોકપ્રિય છે. પહલગામનો ઉલ્લેખ હિંદુ ધર્મગ્રંથોમાં પણ કરવામાં આવ્યો છે. અમરનાથ જવા માટેનું સૌથી પહેલો બેઝ કેમ્પ પહલગામમાં થાય છે.
શંકર ભગવાને નંદીને પહલગામ છોડી મૂક્યા હતા
પુરાણી વાયકા પ્રમાણે અમરનાથમાં કુદરતી રીતે બરફથી શિવલિંગ થાય છે, જ્યારે શિવલિંગ પણ ગાયબ થઈ જાય છે એનું રહસ્ય છે. ભગવાન શિવ અને માતા પાર્વતી અમરનાથની યાત્રા વખતે શંકર ભગવાને નંદીને પહલગામ છોડી મૂક્યો હતો, જ્યારે શેષનાગને શેષનાગ તળાવ, ગણેશજીને મહાગુણ પર્વત પર અને ચંદ્રમાને ચંદનવાડી અને પંચ તત્વોને પંચતરણીમાં મૂક્યા હતા. એના ભગવાન શિવ અને પાર્વતીજી આગળ વધ્યા હતા. પહલગામથી અમરનાથનો રસ્તો 68 કિલોમીટરનો છે.
ખીર ભવાની, મમલેશ્વર મંદિર બાજાર મસ્જિદ લોકપ્રિય
ખીર ભવાની મંદિર ગંદરબલ જિલ્લાના તુલમુલ ગાંમાં છે. અમરનાથના માફક ખીર ભવાની પણ લોકપ્રિય તીર્થસ્થળ પૈકીનું એક છે. ઉપરાંત, 2,200 ફૂટની ઊંચાઈ પરની લિદર નદી કિનારે મમલેશ્વર મંદિર આવેલું છે, જે શંકર ભગવાને ગણેશજીનું માથું કાપીને તેના સ્થાને હાથીનું માથું લગાવી દીધું હતું, જે એક પ્રાચીન મંદિર છે. આ ઉપરાંત, પહલગામથી દૂર ત્રણ કિલોમીટર અંતરે બાબા હરકૃષ્ણ ગુરુદ્વારા ગુરુ હર કૃષ્ણને સમર્પિત છે. નાની ઉંમર ગુરુ હર કૃષ્ણ ગુરુ પદની પ્રાપ્તિ થઈ હતી, જે પંજાબીઓ માટે વિશેષ મહત્ત્વ છે. પહલગામના બજારમાં આવેલી મુઘલ કાળમાં બનાવેલી મસ્જિદ છે. પહલગામના મુખ્ય બજારમાં આવેલી મસ્જિદનું મુસ્લિમ બિરાદરોમાં મહત્ત્વ છે. આ હુમલાને કારણે સમગ્ર કાશ્મીરના વેપાર-ઉદ્યોગો પર ગંભીર અસર થશે. અહીંની ટૂરિઝમ ઈન્ડસ્ટ્રીનું મૂલ્ય લગભગ વાર્ષિક 12,000 કરોડની છે.