બલુચિસ્તાનની ‘સ્વતંત્રતા’ માટે પાકિસ્તાન જ નહીં ચીન પણ જવાબદાર, આ રહ્યા કારણો?
બલુચિસ્તાનમાં હાલમાં ચાલી રહેલા બળવો અને હિંસક ઘટનાઓ પાછળ કેવળ સ્થાનિક અસંતોષ નહીં પરંતુ પાકિસ્તાની સત્તાવાળાઓની વર્ષોથી ચાલતી દમનકારી અને ભ્રષ્ટ નીતિઓ પણ પૂરતી જવાબદાર છે. બલુચિસ્તાન, જેને કુદરતી ખનિજ સંપત્તિ, ગ્લોબલ લોકેશન અને વિશાળ જમીન માટે જાણવામાં આવે છે, ત્યાંના સ્થાનિક લોકોને વર્ષોથી પ્રાથમિક હકોથી વંચિત રાખવામાં આવ્યા છે. પાકિસ્તાની સેનાઓ દ્વારા નિયમિત કાર્યવાહી, વિદ્રોહીને કબ્જે લેવાની ઝંઝાવાત જેવી મિશન અને સ્થાનિક લોકો સાથે થતી અત્યાચારની ઘટનાઓ એ લોકોમાં રોષ અને વિદ્રોહની લાગણી જગાવી રહી છે.
બલુચિસ્તાનમાં બળવા માટે ચીનના લોકોની નારાજગી પણ જવાબદાર છે, જેનું કારણ પાકિસ્તાને અહીંના વિસ્તારમાં આવનારા ગ્વાદર પોર્ટ બનાવવાનો કોન્ટ્રાક્ટ ચીનને આપ્યો છે. પાકિસ્તાનના ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ જોવામાં આવે તો સૌથી મોટો પ્રાંત છે, જ્યાંનો 44 ટકા હિસ્સો છે, પરંતુ વસ્તીની સંખ્યા બહુ ઓછી છે. સંસાધનોથી ભરપુર એવા બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાનની કિન્નાખોરીને કારણે ગરીબી પ્રવર્તે છે. એરપોર્ટ નિર્માણ માટે ચીનના મહત્ત્વાકાંક્ષી ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર યોજના અન્વયે તૈયાર કરવામાં આવશે. સીપીઈસી યોજના અન્વયે 2015થી શરુ કરવામાં આવેલા કોરિડોર બેલ્ટ એન્ડ રોડ ઈનિશિયેટિવનો હિસ્સો છે, પરંતુ એક દાયકા પછી આ પ્રોજેક્ટમાં કોઈ ગતિ નથી. ચીનના લોકો પ્રત્યે સ્થાનિકોમાં જોરદાર ગુસ્સો છે, તેથી કામમાં ગતિ નથી અને સુરક્ષાના ગંભીર સવાલો ઊભા થયા છે.
ગ્વાદર પોર્ટની વાત કરી ત્યારે પાકિસ્તાનનું દુબઈ બનાવવાની વાત કરી હતી. બલુચિસ્તાન પ્રાંતમાં ચીનને 62 અબજ ડોલરના પ્રોજેક્ટનું નિર્માણ કરવાના હતા, જેમાં એરપોર્ટ, હાઈ-વે, રેલવે સ્ટેશન, પોર્ટ, પાવર પ્લાન્ટ સહિત અન્ય યોજનાનો સમાવેશ હતો. પાકિસ્તાન પોતાની મર્યાદા કરતા મોટા સપના બતાવ્યા હતા, પરંતુ લોકોની અપેક્ષા પ્રમાણે કામકાજ અને રોજગારી મળી નહોતી. વધતી મુશ્કેલીઓને કારણે અલગાવવાદનો રસ્તો પકડ્યોને ચીનના નાગરિકોને પણ ટાર્ગેટ બનાવ્યા હતા.
ચીનની વધતી દખલગીરી વચ્ચે ગ્વાદરમાં ઠેર ઠેર ચીનની હાઈ સિક્યોરિટી જેલમાં પરિણમી ગઈ, જ્યારે ગધેડાને મારવાની ફેક્ટરી બનાવી છે. આ ફેક્ટરીમાં આફ્રિકાથી ગધેડા મગાવીને તેની કતલ કરીને ચીન મોકલવામાં આવે છે, જ્યાં દર વર્ષે 2.16 લાખ ગધેડાના ચામડા અને માસને મોકલવામાં આવે છે. ગધેડાનું માસ ચીનના હેબેઈ પ્રાંતમાં લોકપ્રિય છે, જ્યારે રેસ્ટોરાંમાં વિશેષ ઉપયોગ કરાય છે. ગધેડાના ચામડાનો પારંપારિક દવામાં ઉપયોગ કરે છે, જ્યારે અમુકમાં જડીબુટ્ટી, ગોળી, ક્રિમ બનાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં તેના ઉત્પાદનમાં 160 ટકા વધારો થયો છે, જ્યારે 2027 સુધીમાં 200 ટકાનો વધારો થશે.
તાજેતરના સમયમાં તૂંટેલા વિસ્ફોટ, રસ્તા રોકો, અને સેનાના વાહનવટાણ પર થયેલા હુમલાઓ એ બધું પ્રતિસાદ રૂપ છે જેનો બીજ પાકિસ્તાનની નીતિએ રોપ્યા છે. સ્થાનિક સંસ્થાઓ અને હ્યુમન રાઈટ્સ સંગઠનો પણ બલુચિસ્તાનમાં બની રહેલા પરિસ્થિતિઓને “માનવાધિકાર ઉલ્લંઘન” તરીકે ઓળખી રહ્યા છે. અનેક લોકોએ ગાયબ કરાઈ જવાની ફરિયાદો કરી છે અને કેટલાક તો મૃત હાલતમાં મળ્યા છે – જેને “એક્સટ્રા જ્યુડિશિયલ કિલિંગ” તરીકે ઓળખી શકાય. વિશ્વના વિવિધ દેશો હવે આ વિસ્તારમાંની પરિસ્થિતિ તરફ નજર કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ આ મુદ્દા પર ધ્યાને લઈ, પાકિસ્તાન પર દબાણ બનાવવાની જરૂરિયાત છે જેથી બલુચિસ્તાનના લોકો શાંતિ અને સમાન અધિકારથી જીવી શકે. એટલે જ પાકિસ્તાનથી અલગ થઈને બલુચિસ્તાન સ્વતંત્રતાની માગ કરી રહ્યું છે.