June 30, 2025
મનોરંજનહોમ

Raj Kapoor Special-6: રાજ કપૂરની શરતને કારણે નીતુ કપૂરે પછી ફિલ્મોમાં કામ કર્યું નહીં…

Spread the love

હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરે ફિલ્મી દુનિયામાં આગવી ઓળખ ઊભી કરી હતી. ફિલ્મી દુનિયાની જાકજમાળથી પોતાની અંગત જિંદગીને દૂર રાખી હતી. રાજ કપૂરે નિયમ બનાવ્યો હતો કે ઘરની વહૂ-દીકરી ઈન્ડસ્ટ્રીમાં કામ નહીં કરે.
આ જ કારણથી રણધીર કપૂર સાથે લગ્ન કરનારી અભિનેત્રી બબીતાએ લગ્ન પછી ફિલ્મોમાં કામ ના કર્યું હતું. બબીતા સાથે નીતુ કપૂરને પણ ફિલ્મી દુનિયાથી અંતર રાખવું પડ્યું હતું. ઋષિ કપૂર સાથે લગ્ન કર્યા પછી નીતુ કપૂરે પણ શા માટે ફિલ્મો ના કરી એનું મજાનું કારણ હતું.
નીતુ કપૂરે પોતાના સસરા અને સાસુ કૃષ્ણા કપૂર સાથે ઘનિષ્ઠ સંબંધ હતા. નીતુ કપૂરે કહ્યું હતું કે મારા સાસુ-સસરા મને બહુ પ્રેમ કરે છે અને તેમની દીકરી માને છે. જોકે, જ્યારે મારી સગાઈ થઈ ત્યારે પાર્ટી ચાલી રહી હતી એ વખતે મેં રાજ કપૂરને પૂછ્યું હતું કે તમે શું લેશો પેપ્સી કે કોક.
એ વખતે રાજ કપૂરે જવાબ આપ્યો હતો કે મને મારા ઘર માટે બીજી કૃષ્ણા મળી છે. નીતુ કપૂર કહે છે એ સાંભળીને હું થોડા સમય માટે ડરી ગઈ હતી, પરંતુ ધીમે ધીમે મારું બોન્ડિંગ સારું થઈ ગયું હતું. ફિલ્મ લાઈનમાં નીતુ કપૂરે ઓછી ફિલ્મો કરી હતી, પરંતુ છેલ્લે વરુણ ધવન, કિયારા અડવાણી અને અનિલ કપૂર સાથેની ફિલ્મ જુગ જુગ જિયોમાં જોવા મળી હતી.
જોકે, હવે તો નીતુ કપૂર દીકરા રણબીર કપૂરની દીકરી રાહા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે છે. પણ સસરા રાજ કપૂરની શરતને કારણે નીતુ કપૂરે ફિલ્મોમાં કામ કરવાનું બંધ કર્યું તે કર્યું. એ શરતને આજીવન નિભાવી પણ ખરી. એ શરત મૂકી હોવા છતાં રાજ કપૂરે ક્યારેય પોતાના દીકરા કે પૌત્ર યા પૌત્રી પર કોઈ જીદ રાખી નહોતી. એટલે દીકરા કે દીકરીઓને રોકી શક્યા નહીં. એટલું જ નહીં, દીકરાના દીકરા માટે પણ ફિલ્મ લાઈનના દરવાજા બંધ કર્યાં નહોતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!