June 30, 2025
બિઝનેસમુંબઈ

હવે મુંબઈ શ્રીમંત રહ્યું નથી, કોણે પડાવી લીધો એશિયાની ધનવાનોની રાજધાનીનો દરજ્જો?

Spread the love

મુંબઈઃ હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ-2025ની યાદી બહાર પાડવામાં આવી છે અને આ યાદીમાં જોવા મળેલાં આંકડાઓ અનુસાર હવે મુંબઈ ધનવાનોનું શહેર નથી રહ્યું નથી. મુંબઈમાં રહેલાં શ્રીમંતોની સંખ્યા ઘટી ગઈ છે અને દુનિયાના ટોપ-10 ધનવાન વ્યક્તિઓની યાદીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનું નામ પણ નથી. ચાલો જોઈએ મુંબઈ અને અંબાણીને કોણે પાછળ મૂકી દીધા છે અમીરીની બાબતમાં…

ચીનના શાંઘાઈએ પહેલી જ વખત એશિયાની ધનવાનોની રાજધાની તરીકે ઓળખાતા મુંબઈને પાછળ મૂકી દીધું છે. શાંઘાઈમાં 92 અબજોપતિઓ છે જ્યારે મુંબઈમાં અબજોપતિની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા વર્ષના આંકડાઓ પર નજર કરીએ તો ગયા વર્ષે મુંબઈમાં અબજોપતિની સંખ્યામાં 93 જેટલી હતી જેમાં આ વર્ષે ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવે મુંબઈમાં 90 અબજોપતિ છે.

2025ની હુરુન ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર ભારત 284 અબજોપતિઓ સાથે ત્રીજા સ્થાને જ્યારે 10 વર્ષમાં પહેલી જ વખત 870 અબજોપતિ સાથે પહેલાં સ્થાને છે. વાત કરીએ પડોશી દેશ ચીનની તો ચીનમાં 823 અબજોપતિઓ રહે છે. ભારતના અબજોપતિઓની વાત કરીએ તો આ સંખ્યામાં નજીવો જ વધારો જોવા મળ્યો છે. યાદીમાં સામે આવેલા આંકડાઓ અનુસાર 175 ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં વધારો જોવા મળ્યા જ્યારે 109 અબજોપતિઓની સંપત્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતના અબજોપતિઓના સંપત્તિમાં 10 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી અને બેંગલોર તેમ જ મુંબઈના 40 વર્ષથી નીચેના અબજોપતિઓની સંખ્યા સાત છે.

ટોપ-10 શ્રીમંતોની યાદીમાં સ્થાન ના હાંસલ કરી શકનારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી આજની તારીખમાં પણ ભારત અને એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ છે. અંબાણી પરિવાર પારે 8.6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે ગૌતમ અદાણી અને તેમનો 8.3 લાખ કરોડ રૂપિયા સાથે આ યાદીમાં બીજા સ્થાને છે. દિલીપ સંઘવી, અઝીમ પ્રેમજી, કુમાર મંગલમ બિરલા અને સાયરસ પુનાવાલા સહિતના અનેક ઉદ્યોગપતિની સંપત્તિમાં વૃદ્ધિ થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!