June 30, 2025
ટોપ ન્યુઝ

પુરીની રથયાત્રામાં બલભદ્રના રથ સાથે મોટી દુર્ઘટના, આઠ ઈજાગ્રસ્ત

Spread the love

ઓડિશા: ઓડિશાના પુરીમાં હાલ ચાલી રહેલી પ્રસિદ્ધ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રામાંથી ફરી એક વખત ચિંતા કરાવે એવા અને મોટી દુર્ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.
મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર રથમાંથી ભગવાન બલભદ્રની મૂર્તિને ઉતારતી વખતે ભક્તો પડી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં આઠ સેવકોને ઈજા પહોંચી હોવાના અહેવાલ મળી રહ્યા રહ્યા છે. તમામ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે, આઠમાંથી પાંચ સેવકોને ગંભીર ઈજા પહોંચી છે. સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં ભગવાન બલભદ્ર રથમાંથી પડી જતા દેખાઈ રહ્યા છે.


જોકે, આ પહેલી વખત નથી કે રથ યાત્રામાં આવી દુર્ઘટના સર્જાઈ હોય. આ પહેલાં પણ સાતમી જુલાઈના રોજ રથ ખેંચતી વખતે નાસભાગ મચી હતી, જેમાં 400થી વધુ શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી હતી અને ગૂંગળામણને કારણે એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઘટના બન્યા બાદ રથયાત્રાને રોકી દેવામાં આવી હતી અને બીજા દિવસે એટલે કે આઠમી જુલાઈએ સવારે 9.00 કલાકે ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


આ ઘટના અંગે જિલ્લાના મેજિસ્ટ્રેટ સિદ્ધાર્થ શંકરે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભગવાન બલભદ્રના રથ ખેંચી રહેલા સેવકો સાથે એક નાનકડી દુર્ઘટના થઈ છે, જેમાં આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સ્થિતિ સ્થિર છે. દરમિયાન ભગવાન બલભદ્રને ફરી રથ પર બિરાજમાન કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ હાલમાં એકદમ કાબુમાં કરી લીધી છે.
અહીંયા તમારી જાણકારી માટે કે 1971થી જ પુરીમાં એક દિવસની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ જ વર્ષે બે દિવસ રથયાત્રા યોજવાનો નિર્ણય કરાયો છે. દર વર્ષે ઓડિશા તેમજ અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓ hajaroni સંખ્યામાં રથયાત્રામાં જોડાવવા માટે પુરી પહોંચે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!