June 30, 2025
ધર્મ

270 વર્ષ પછી પદ્મનાભસ્વામી મંદિરમાં મહાકુંભઅભિષેકમ થશેઃ જાણો પરંપરાનું મહત્ત્વ

Spread the love

કેરળના વિશ્વ પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં 270 વર્ષ પછી આઠમી જૂનના મહા કુંભઅભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે. કુંભઅભિષેકમ પરંપરાનું શું મહત્ત્વ છે અને આટલા વર્ષો પછી કેમ થશે એનું મહત્ત્વ જાણીએ. કેરળની રાજધાની તિરુઅનંતપુરમ સ્થિત વિશ્વ પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં લગભગ ત્રણ સદી પછી એક દુર્લભ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 270 વર્ષ પછી આઠમી જૂનનના કુંભઅભિષેકમનું આયોજન કરવામાં આવશે, જ્યાં ભગવાન વિષ્ણુને સમર્પિત પ્રાચીન મંદિરના લાંબા સમયથી જીર્ણોદ્ધારનું કામ પેન્ડિંગ હતું.

મંદિરના જીર્ણોદ્વારનું કામ પેન્ડિંગ હતું, જે તાજેતરમાં પૂરું થયું છે. આ મંદિર પૂરા થયા પછી ભવ્ય રીતે મંદિરમાં ભવ્ય અભિષેક એટલે મહાકુંભઅભિષેકમનું આયોજન કર્યું છે. હવે સવાલ થાય કે મહાકુંભઅભિષેક શું છે, જે મંદિરમાં થનારી પારંપારિક હિન્દુ અનુષ્ઠાન છે. આ અનુષ્ઠાનનો ઉદ્દેશ આધ્યાત્મિક ઊર્જા પ્રાપ્ત કરવાનો છે અને મંદિરમાં પવિત્રતા જાગૃત કરવાનો છે. એવી પણ માન્યતા છે કે અનુષ્ઠાન મારફત સ્થાપિત દેવી-દેવતાઓના સમન્વય અને એક કરવામાં આવે છે. મંદિરની પ્રતિષ્ઠાનો એક ભાગ માનવામાં આવે છે.

નવા મંદિર નિર્માણનું કામ પૂરું થયા પછી કોઈ મંદિરના જીર્ણોદ્ધાર પછી અભિષેક કરવામાં આવે છે એવું પણ કહેવાય છે મંદિર નિર્માણ અથવા જીર્ણોદ્વાર પછી દેવીદેવતાની પ્રાણપ્રતિષ્ઠા અને મંદિરના શુદ્ધિકરણ માટે આયોજન કરવામાં આવે છે. કુંભઅભિષેકમમાં કુંભનો આશય છે માથું, જે મંદિરના શિખરનો નિર્દેશ કરે છે અને અભિષેકનો અર્થ સ્નાન અનુષ્ઠાનનો છે. કુંભઅભિષેકમ માટે પવિત્ર નદીઓનું પાણી ઘડામાં લાવવામાં આવે છે અને મંદિરના શિખરને અનુષ્ઠાનપૂર્વક સ્નાન કરવામાં આવે છે, જેમાં ઘડાનું બલિદાન લેવાય છે.

270 વર્ષ પછી કેમ?
શ્રી પદ્મનાભસ્વામી મંદિરના મેનેજરે કહ્યું કે આ સદીઓ જૂના મંદિરનો લગભગ 270 વર્ષ પછી મોટા પાયે જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે, તેથી મંદિરમાં મહા કુંભઅભિષેકમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પરંપરાનું પાલન કરવામાં આવશે. નવનિર્મિત મંદિરમાં તજિકાકુડમ (ગર્ભગૃહમાં ત્રણ અને ઓટ્ટક્કલ મંડપ ઉપર) અભિષેક કરવામાં આવશે. વિશ્વસેનની મૂર્તિની ફરી સ્થાપના કરવામાં આવશે તેમ જ મુખ્ય મંદિરમાં તિરુવંબાડી શ્રી કૃષ્ણ મંદિરમાં અષ્ટબંધ ક્લસમ જેવા અનુષ્ઠાનનો સમાવેશ કરવામાં આવશે. અગાઉ કોવિડ મહામારીને કારણે જીર્ણોદ્રારનું કામ તબક્કાવાર પૂરું કરવામાં આવ્યું હતું.

દુનિયામાં જાણીતું મંદિર
કેરળના પાટનગર સ્થિત શ્રી પદ્મનાભસ્વામી મંદિર દુનિયાભરમાં જાણીતું છે. મંદિરમાં કેરળ અને દ્રવિડ શૈલીના મિશ્રણથી બનાવ્યું છે. એનો ઈતિહાસ આઠમી સદી જૂનો છે, જ્યારે વર્તમાન નિર્માણકાર્ય અઢારમી સદીમાં ત્રાવણકોરના મહારાજા માર્તંડ વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. આ મંદિરમાં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી ભગવાન પદ્મનાભસ્વામીની પૂજા કરવામાં આવે છે. ભગવાન શ્રીહરિ પોતાના પ્રિય અનંત નાગ પર સૂતા છે. અહીં ભગવાન શ્રી વિષ્ણુની પ્રતિમા પ્રાપ્ત થઈ હતી, ત્યાર પછી મંદિરનું નિર્માણ કરાવ્યું હતું, જે અઢાર ફૂટની પ્રતીમા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!