Lok Sabha Results: ઉદ્ધવ ઠાકરે મુંબઈમાં પોતાનો દબદબો જાળવી શક્યા, શા માટે?
મુંબઈઃ લોકસભાની ચૂંટણીમાં ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની અપેક્ષા પ્રમાણે પરિણામો આવ્યા નહીં એના વિશ્લેષણો હજુ ચાલુ છે. મહારાષ્ટ્રમાં મહાયુતિની સામે મહાવિકાસ આઘાડીને ફાયદો થયો. હિંદુઓની તુલનામાં મુસ્લિમ મતો ભાજપ-શિવસેના અને એનસીપીને મળવાની તુલનામાં કોંગ્રેસ-શિવસેના-એનસીપીને વધુ મળ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના સ્થાપક બાળ ઠાકરે જે પાર્ટીની સ્થાપના કરી ત્યારે તેમની નીતિથી વિપરીત દીકરા ઉદ્ધવ ઠાકરેએ મુસ્લિમો માટે પોતાના દરવાજા ખોલી નાખ્યા પછી મુસ્લિમોના સૌથી વધુ મત મળ્યા હોવાનું કહેવાય છે અને એના કારણે મુંબઈની છ બેઠક પર શિવસેનાને વધારે ફાયદો થયો હતો.
લોકસભાની ચૂંટણીમાં મુસ્લિમ સમુદાય માટે ઉદ્ધવ ઠાકરે વિશ્વાસ જીતવામાં સફળ રહ્યા અને મુસ્લિમ વસ્તી ધરાવનારા વિસ્તારોમાં માનખુર્દ, કુર્લા, ગોવંડી, અણુશક્તિનગર, મુંબ્રા-દેવી, ચાંદીવલી, ઘાટકોપર પશ્ચિમ, ભાયખલા, મલાડ-માલવણી વગેરે વિસ્તારોમાંથી ઉદ્ધવ ઠાકરે અને મહાવિકાસ આઘાડીના પક્ષોને એકતરફી વોટ મળ્યા હતા. અને પરિણામ એ આવ્યું કે ઉદ્ધવ ઠાકરેના ખાતામાં ચારમાંથી ત્રણ બેઠક મળી. બીજી બાજુ મહાવિકાસ આઘાડીના ખાતામાં ચાર સીટ આવી, જે આંકડા પુરવાર કરે છે કે મુસ્લિમોના એકતરફી મતદાનને કારણે આ પાર્ટીને ફાયદો થયો હતો.
લોકસભાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરની શિવસેનાના ઉમેદવાર અરવિંદ સાવંતની દક્ષિણ મુંબઈની સીટની વાત કરીએ તો સાવંતે યામિની જાધવને હરાવ્યા હતા. અહીંની સીટ પર વરલીથી 64,844 વોટ પડ્યા હતા, જ્યારે શિવડીથી 76,053 વોટ, મલબાર હિલથી 39,573 વોટ મળ્યા હતા, જ્યારે મુમ્બાદેવીથી મુસ્લિમોની વધારે વસ્તી ધરાવનારા વિધાનસભાના વિસ્તારમાં 77,469, કોલાબામાં 48,913 વોટનો સમાવેશ થાય છે. અરવિંદ સાવંતે 3,95,655 વોટથી જીત મળી હતી. બીજી બાજુ યામિની જાધવની વરલી સીટ પરથી 58,129, શિવડીથી 59,190 વોટ મળ્યા હતા, જ્યારે ભાયખલા (મુસ્લિમ વિસ્તાર ધરાવનારા)થી 40,817 અને મલબાર હિલથી 87,860 વોટ મળ્યા હતા. એની સામે મુમ્બાદેવીથી 36,690 વોટ મળ્યા હતા, જ્યારે કોલાબાથી 58,645 વોટ મળ્યા હતા.
મુંબઈની સાઉથ સેન્ટ્રલ સીટ પરથી ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અનિલ દેસાઈ 3,95,138 વોટથી વિજેતા રહ્યા, જ્યારે તેમના હરીફ શિંદે જૂથના ઉમેદવાર રાહુલ શેવાળે સાથે હતો. રાહુલ શેવાળેને 3.41 વોટ મળ્યા હતા. અનિલ દેસાઈને વધારે મુસ્લિમ ધરાવનારા વિસ્તાર ચેમ્બુરથી 61,355 (રાહુલ શેવાળેને 58,477), ધારાવીથી 76,677 (39,820), સાયનથી 70,931 (61,619), વડાલાથી 49,114 (59,740) અને માહિમથી 55,498 (69,488) મત મળ્યા હતા.
મુંબઈ નોર્થ-ઈસ્ટની લોકસભા બેઠક પર શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય દીના પાટીલ વિજેતા રહ્યા હતા. સંજય દીના પાટીલને 4.50 લાખ મત મળ્યા હતા, જ્યારે મિહિર કોટેચાને 4.21 લાખ મળ્યા હતા.