April 9, 2026
મનોરંજન

અમિતાભ-જયાની એ ફિલ્મમાં કિશોર કુમારે અધવચ્ચે ગીતો ગાવાની કરી હતી મનાઈ, કારણ?

Spread the love

આજે આપણે એ ફિલ્મની વાત કરીએ, જેમાં મુખ્ય લીડ ભૂમિકા નિભાવનાર અભિનેત્રીનું જ કાફી હતું. ફિલ્મની વાર્તા ભાવનાઓની ટકરાવ, ઈર્ષા અને માનવીની નબળાઈઓ દર્શાવી હતી અને એ ફિલ્મ હતી અભિમાન, જે 1973માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની અનેક સ્ટોરી છે, જ્યારે આજે પણ સીત્તેરના દાયકાના ચાહકો ફિલ્મની સ્ટોરી યાદ હશે, પરંતુ આ ફિલ્મની એક અજાણી સ્ટોરી છે, જે તમે નહીં જાણતા હો એની વાત કરીએ.

જાણીતા નિર્દેશ ઋષિકેશ મુખરજીએ નિર્દશન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અભિનેતા અમિતાભ બચ્ચન અને જયા બચ્ચન હતી. બંને કલાકારોએ ફિલ્મમાં શાનદાર અભિનય કર્યો હતો, જેમાં બંનેની કેમેસ્ટ્રીમાં અનેક સીનને દમદાર બન્યા હતા. આ ફિલ્મની સ્ટોરી કંઈક એવી હતી કે પતિ-પત્નીની સિમ્પલ ફિલ્મ હતી. બંને સંગીતના એક જ ક્ષેત્રમાં પ્રવીણ હોય છે, પરંતુ એમાં મ્યુઝિક પર બહુ ભાર આપવામાં આવ્યો હતો.

આ ફિલ્મના ગીતો કિશોર કુમાર અને લતા મંગેશકરે પોતાનો અવાજ આપ્યો હતો. કિશોર કુમારે આ ફિલ્મમાં બે ગીત રેકોર્ડ કર્યા હતા, જેમાં મીત ના મિલા રે મન કા અને તેરે મેરે મિલન કી યે રૈન, જ્યારે તેરી બિંદિયા રે, અબ તો હૈ તુમસે હર ખુશી અપની ગીતોએ ફિલ્મને ચાર ચાંદ લગાવ્યા હતા, જેની ધુન આજે પણ લોકો ગણગણાવે છે.

પરંતુ આ ફિલ્મની એક અજાણી વાત કોઈને ખબર નહોતી, કારણ કે આ ગીતોના શૂટિંગ વખતે કિશોર કુમારને ખબર પડી હતી કે આ ફિલ્મની સ્ટોરી પોતાની જિંદગી આધારિત છે. મળતી માહિતી અનુસાર અભિનેત્રી જયા ભાદુરીના અભિનયમાં કિશોર કુમારની પહેલી પત્ની રુમા ઘોષ ઈન્સ્પાયર હતી, એના પછી કિશોર કુમારે આગળ ફિલ્મોના ગીતનું શૂટિંગ કરવાની મનાઈ કરી હતી.

કિશોર કુમારે ગાવાની મનાઈ કર્યા પછી ફિલ્મમાં મોહમ્મદ રફીએ અવાજ આપ્યો હતો. ફિલ્મના ગીતો પણ સુપરહીટ રહ્યા હતા. ફિલ્મના ગીતો પણ આજે પણ રેડિયો અને પ્લેલિસ્ટમાં પણ ટોપમાં છે. કહેવાય છે કે ફિલ્મ બોક્સઓફિસ પર નિષ્ફળ રહી હતી, પરંતુ આ ફિલ્મને કલ્ટ ક્લાસિક અને ઈમોશનલ ડ્રામા તરીકે જોવામાં આવે છે. આ ફિલ્મને ઈન્ડિયન ફિલ્મની કારકિર્દી અને વ્યક્તિગત સંબંધોમાં ઊભા થનારા ટકરાવ દર્શાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!