ઇમરજન્સી દરમિયાન કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ કેમ મૂકાયો?
ઈમરજન્સીનો ભોગ દેવાનંદ, મનોજ કુમાર પણ બન્યા હતા..
ઈમરજન્સી ભારતના રાજકારણ માટે સૌથી મોટી બ્લેક ડે ગણાય છે, જ્યારે ફિલ્મી દુનિયાના અમુક સિતારા પર પણ સેન્સરશિપ આવી ગઈ હતી. જાણીતા સિંગર કિશોર કુમાર માટે કહેવાય છે કે ઓલ ઈન્ડિયા રેડિયો અને ડીડી પર પણ કિશોર કુમારના ગીતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ 1975-1977 દરમિયાન રાજકીય ઉથલપાથલ વચ્ચે કિશોર કુમાર પર પરોક્ષ રીતે સેન્સરશિપનો ભોગ બન્યા હતા. સરકારના નિયમોનું પાલન કરવાનો ઈનકાર કરતા તેમના પર કાર્યવાહી થઈ અને તેમના ગીતો પર એટલે ઓલ ઈન્ડિયા રેડિયો (એઆઈઆર) અને દૂરદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેનાથી સંગીતપ્રેમીને આઘાત લાગ્યો હતો, પરંતુ કિશોર કુમાર પણ ઝૂકે એ બીજા. એવું તો શું થયું હતું એ જાણીએ.
ઈમરજન્સી પૂર્વે કિશોર કુમારે નામ કમાવ્યું હતું
કહેવાય છે કે આ અભૂતપૂર્વ સેન્સરશિપ, જે લોકપ્રિય બિનાકા ગીતમાલા સંગીત કાઉન્ટડાઉનની પૃષ્ઠભૂમિમાં કરવામાં આવ્યું હતું. એટલે ભારતીય ઈતિહાસમાં સૌથી વધુ રાજકીય કિન્નાખોરીનો ભોગ કિશોર કુમાર બન્યા હતા. અનેક પડકારો વચ્ચે કિશોર કુમારે પોતાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો, તેની સાથે સાથે પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. બિનાકા ગીતમાલાની વાત કરીએ તો ભારતની સ્વતંત્રતા પછી ઓલ ઈન્ડિયા રેડિયોએ હિન્દી ફિલ્મના સંગીતના પ્રસારણ પર સખત નિયમો લાગુ કર્યા હતા, તેનાથી સંગીતપ્રેમીઓ માટે એક કપરો તબક્કો હતો અને એની ક્ષતિપૂર્તિ માટે બિનાકા ગીતમાલા શરુ કર્યુ હતું, જે 1952માં રેડિયો સીલોન (આજનું શ્રીલંકા બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન)ની શરુઆત કરેલ રેડિયો શો હતો, જે ભારતીય રેડિયો પ્રેમીઓ માટે બહુ ઝડપથી પસંદગીનો કાર્યક્રમ બન્યો હતો. 1970 સુધીમાં કિશોર કુમારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ગાયિકી મારફત સારી એવી પ્રસિદ્ધિ મેળવી હતી.
સંજય ગાંધી સામે કિશોર કુમારે નમતું જોખ્યું નહોતું
1975માં પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ઈમર્જન્સીને કારણે કિશોર કુમાર માટે અવરોધ ઊભો કર્યો અને અવરોધ ઊભો કરનારા ઈન્દિરા ગાંધીના દીકરા સંજય ગાંધી હતા. 1976માં સંજય ગાંધીના દિમાગમાં આવ્યું કે ગીતો ભરી શામ એ સરકારી યોજનાને પ્રોત્સાહન માટે બનાવી હતી અને કિશોર કુમારને ભાગીદારી માટે આમંત્રણ આપ્યું હતું. પણ કિશોર કુમારે એને મનાઈ કરી. સ્પષ્ટ મનાઈ કર્યા પછી કિશોર કુમાર પર આફત સવાર થઈ હતી. એક વખત કિશોર કુમારે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે જે હું કરવા ઈચ્છતો નથી એ પછી કોઈનો આદેશ હોય તો પણ હું કરતો નથી. કિશોર કુમારે સંજય ગાંધી સામે નમતું જોખ્યું નહોતું.
પ્રતિબંધ હટાવ્યા પછી દુખી મન મેરે ગીત વગાડ્યું હતું
કિશોર કુમારે ઈનકાર કરવાને કારણે તેમનો વિરોધ પણ થયો. વિદ્યા ચરણ શુક્લાની આગેવાની હેઠળના આઈટી મંત્રાલયે સખત કાર્યવાહી કરવી પડી. કિશોર કુમારના ગીતોને ત્રણ મહિના માટે ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓએ તેમના રેકોર્ડને લોક કરવાનો રેકોર્ડ આપ્યો હતો. રેકોર્ડ કરનારી કંપનીઓને પણ વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જેમાં એચએમવીએ એનું પાલન કર્યું હતું, જ્યારે પોલીડોરે વિરોધ કર્યો હતો. કઠોર પ્રતિબંધ પછી પણ કિશોર કુમારનો પ્રભાવ તેમના ચાહકો પર અકબંધ રહ્યો હતો. અંતે કિશોર કુમાર સાથે સંબંધ સુધારવાની પહેલ પણ વિદ્યા ચરણ શુક્લાએ કરી હતી. 14 જૂન, 1976માં કિશોર કુમારને ઔપચારિક રીતે મદદ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી અને એના બે દિવસ પછી 16 જૂનના પ્રતિબંધ હટાવ્યો હતો. પ્રતિબંધ હટ્યા પછી ઓલ ઈન્ડિયા રેડિયો પર કિશોર કુમારનું ગીત વગાડવામાં આવ્યુ હતું અને શબ્દો હતા દુખી મન મેરે, જે કિશોર કુમાર(ફંટુસ ફિલ્મનું એક હજાર દુખી ગીત પૈકીના પહેલા નંબર ગણી શકાય એવું પણ એ વખત માટે તો) ગીત જાણે વિજયી ગીત હતું. કિશોર કુમારના ગીતો પરથી પ્રતિબંધ હટ્યા પછી ચાહકોમાં રાહત અને ખુશીની લાગણી વ્યાપી હતી.
ઈમરજન્સી પૂર્વે આંધી ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો
વેલ, કિશોર કુમાર સિવાય દેવ આનંદ પણ પ્રતિબંધ મૂકાયો હતો, જ્યારે મનોજ કુમાર તો કોર્ટમાં ઢસડી પણ ગયા હતા. 1975માં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોલે, દિવાર, જય સંતોષી મા આવ્યા પછી વધુ એક ફિલ્મ આવી હતી, જે ઈન્દિરા ગાંધીને કારણે ચર્ચામાં રહી હતી. 1975માં ગુલજારની ફિલ્મ આંધી રિલીઝ થઈ અને ઈન્દિરા ગાંધીના જીવન સાથે મળતી હોવાથી પહેલી કાતર મૂકાઈ હતી અને એના પછી વારો દેવાનંદ અને મનોજ કુમારનો હતો વધુ વાત આગામી સપ્તાહે કરીશું.