હાર્ટ એટેકનું જોખમ ઘટાડવા અપનાવો ‘જાપાનીઝ વોકિંગ ટેક્નિક’
રોજ ફક્ત 30 મિનિટ આ સરળ રીત અનુસરો, બ્લડ પ્રેશર, ડાયબિટીસ અને વધેલા વજન પર પણ મળશે અસર
જાણીતી અભિનેત્રીનું અચાનક કાર્ડિયાક એરેસ્ટને કારણે નિધન થયું. એના અગાઉ ક્રિકેટના મેદાનમાં સિક્સર માર્યા પછી અચાનક ખેલાડીનું મોત થયું, જ્યારે રોજ આવા અનેક કિસ્સા બની રહ્યા છે,જે એક રિસર્ચનો વિષય છે. તંદુરસ્ત લોકો પણ અચાનક મોતને ભેટવાની બાબત સામાન્ય કહી શકાય નહીં, પરંતુ શરીરને આરોગ્યપ્રદ રહેવાનું ફાયદાકારક છે અને આ વાત આપણા હાથમાં છે. નિષ્ણાતોના જણાવ્યાનુસાર જાપાનીઝ વોકિંગ ટેક્નિક તમને વધુ તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે.
વોકિંગ ટેક્નિક શરીરને રાખે છે એક્ટિવ
જાપાન સમગ્ર દુનિયામાં લાંબા આયુષ્ય અને શ્રેષ્ઠ આરોગ્ય માટે આગવી ઓળખ ધરાવે છે. જાપાનના લોકો ખાસ કરીને એક એવી સરળ અને અસરકારક ટેક્નિકનું પાલન કરે છે, જેને જાપાનીઝ વોકિંગ ટેક્નિક તરીકે ઓળખે છે. જાપાનીઝ વોકિંગ ટેક્નિકથી શરીર એક્ટિવ રહે છે, જ્યારે તેનાથી ડાયબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હાર્ટ એટેક જેવી બીમારીનું જોખમ ઘટાડી શકાય છે.
10,000 પગલા ચાલવાથી ફાયદો થાય છે
નિષ્ણાતોના જણાવ્યાનુસાર જાપાનીઝ વોકિંગ ટેક્નિકથી રોજ પંદરથી 30 મિનિટ તેનું પાલન કરો અને એમ કરવાથી શરીરનું બ્લડ સુગર, કોલેસ્ટ્રોલ, સ્ટ્રેસ લેવલ અને પાચન એકદમ બરાબર થાય છે. રોજના 10,000 પગલા ચાલવાથી આરોગ્ય તંદુરસ્ત રહે છે. અમુક લોકો તો રેગ્યુલર ચાલવાનું રાખે છે, પરંતુ ફરિયાદ કરે છે કે વજન ઉતરતું નથી કે આળસ દૂર થતી નથી. તેમનું બ્લડ પ્રેશર અને ડાયબિટીસ કંટ્રોલમાં આવતું નથી. આ સંજોગોમાં જાપાનીઝ વોકિંગ ટેક્નિકને ફોલો કરવાથી ફાયદો થાય છે.
ઈન્ટરવલ વોકિંગના પણ થાય છે અનેક ફાયદા
ઈન્ટરવલ વોકિંગમાં ચાલતી વખતે ગતિમાં થોડો ફેરફાર કરવાનો રહે છે, પરંતુ એના ફાયદા કમાલના છે. એમાં થાક્યા વિના શરીરમાં એનર્જી વધે છે, જ્યારે ઊંઘ પણ સારી થાય છે અને વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ જાપાની ટેક્નિકથી તંદુરસ્ત રહેવાના અનેક ફાયદા થઈ શકે છે. ઈન્ટરવલ વોકિંગ મતલબ એક જ સમયે બે ગતિમાં ચાલવાનું. એક તો થોડા ફાસ્ટ અથવા થોડા ધીમે. ત્રણ મિનિટ સુધી ફાસ્ટ અને ત્રણ મિનિટ સુધી ધીમા ચાલવાનું હોય છે. પાંચથી છ રાઉન્ડ એટલે 30-40 મિનિટ સુધી આ પ્રકારે સાઈકલ ચલાવ્યા પછી પણ કસરત થાય છે.
એનર્જી બુસ્ટ કરવા સાથે વજન પર અસર થાય
નિયમિત રીતે ફરવાથી અનેક લોકોને થાક લાગતો હોય છે, પરંતુ ઈન્ટરવલ વોકિંગથી શરીરને સીધી એનર્જી મળે છે. આ પ્રકારની એનર્જીથી લગભગ 20 ટકા વધુ એનર્જી મળે છે. એનાથી શરીરમાં તાજગી અનુભવાય છે. સવારે યા સાંજે કરવાથી મન શાંત રહે છે, જ્યારે કામ કરવામાં વધુ સ્ફૂર્તિ આવે છે. ઉપરાંત, ઈન્ટરવલ વોકિંગથી બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.