June 30, 2025
ઈન્ટરનેશનલટોપ ન્યુઝ

Boycott: ભારતે પાકિસ્તાન સાથે તુર્કી, અઝરબૈઝાનને પાઠ ભણાવવો પડશે

Spread the love


પાકિસ્તાનના દોસ્ત તુર્કીને એક પછી ઝટકા, મહારાષ્ટ્ર, ગુજરાત પછી રાજસ્થાને આપ્યો ફટકો

નવી દિલ્હી: છેલ્લાં થોડાં વર્ષોથી તુર્કી અને અઝરબૈઝાન પાકિસ્તાનના ઢાળે આવીને ભારત વિરોધી વલણ અપનાવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતના વિરોધમાં નિવેદનો આપવાનો કે જમ્મુ-કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું સમર્થન કરવાનું આ દેશોનું વલણ હવે ગંભીર બની ગયું છે. પહલગામ હુમલા પછી પાકિસ્તાનના ખોળામાં બેસનારા અઝરબૈઝાન અને તુર્કીનો ભારતે વ્યૂહાત્મક નીતિ અપનાવીને સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે તો અક્કલ ઠેકાણે આવશે.

વિશ્વભરમાં ચાલી રહેલા રાજકીય પરિવર્તનો વચ્ચે હવે ભારતે પણ નવું વલણ અપનાવવાનું હવે જરુરી બન્યું છે. ભારત સરકારે તુર્કી અને અઝરબૈઝાન સાથે વ્યૂહાત્મક અને આર્થિક સ્તરે પોતાના સબંધોની પુનર્મૂલ્યાંકન કરવાની તૈયારી દર્શાવી છે. પાકિસ્તાનને સમર્થન આપવા મુદ્દે મહારાષ્ટ્રમાં પુણેના વેપારીઓએ તુર્કીનો બહિષ્કાર કરવાનું શરુ કર્યા પછી ગુજરાતમાંથી પણ સમર્થન મળ્યું છે. હવે રાજસ્થાનમાં પણ શરુઆત થઈ છે.

વિદેશ નીતિ વિશેષજ્ઞોના મતે ભારત હવે માત્ર પાકિસ્તાન પર જ નહીં, પણ તેના સમર્થક દેશો પર પણ સીધો દબાવ બનાવવા માટે પગલાં લઈ શકે છે. તુર્કી અને અઝરબૈઝાનને અભ્યાસપૂર્ણ રીતે વિદેશ નીતિ દ્વારા જવાબ આપવો આજના સમયમાં આવશ્યક બની ગયું છે. ગુજરાતમાં ટૂર ઓપરેટર્સે તુર્કીની સામે મહત્ત્વનો નિર્ણય લીધો છે, જ્યારે બુકિંગ પણ બંધ કર્યું છે. તુર્કી સિવાય અઝરબૈઝાનનો પણ બહિષ્કાર કરીને પ્રવાસીઓનું બુકિંગ રદ કર્યું છે. અઝરબૈઝાનમાં અમદાવાદથી ડાયરેક્ટ બાકુની ફ્લાઈટ હતી, જ્યારે ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં ફરવા જતા હતા, ત્યારે એડવાન્સ બુકિંગ રદ કર્યું હોવાનું જણાવ્યું હતું.

ગુજરાતના માફક ઉદયપુર માર્બલ પ્રોસેસર કમિટીએ પણ તુર્કીમાં માલ આયાત નહીં કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાંથી 14થી 18 લાખ ટન માલ આયાત કરવામાં આવે છે, જ્યારે 70 ટકા માલસામાન તુર્કીનો હોય છે. મોટી સંખ્યામાં તુર્કીથી સામાન આવે છે તો અમે તુર્કીને સપોર્ટ કરીએ છીએ, પરંતુ જે ભારતના વિરોધી છે, તેથી વેપારમાં રોક લગાવીએ તો દેશને પણ મેસેજ જશે. દેશના અન્ય હિસ્સાના લોકોને પણ તુર્કીનો વિરોધ કરવાનો અનુરોધ કરીશું. માર્બલ જ નહીં, પરંતુ અન્ય સામાન

જમ્મુ-કાશ્મીર મુદ્દે તુર્કી દ્વારા આપવામાં આવતા નિવેદનો અને અઝરબૈઝાન તરફથી પાકિસ્તાનને મળતું સમર્થન હવે ભારતમાં ગંભીરતાથી લેવામાં આવી રહ્યું છે. તમામ રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ભારતે હવે દુશ્મન જ નહીં, પણ દુશ્મન દેશોને સમર્થન આપનારાઓને જડબાતોડ સંદેશ આપવો પડશે. એટલું જ નહીં, કુદરતી આફતમાં પણ મદદ કરવાનું અવગણવા પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!