June 30, 2025
રમત ગમત

IND VS BAN: ચિત્તે કી ચાલ, બાજ કી નજર ઔર જડ્ડુ કી…’બાપુ’ પર ઓવારી ગયો સૂર્યાકુમાર યાદવ…

Spread the love

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ટેસ્ટ સિરીઝ પૈકી ગઈકાલથી પહેલી ટેસ્ટ શરુ થયા. ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમના ઓપનર ધુરંધરોએ ધબડકો નોંધાવ્યો હતો. મિડલ ઓર્ડરમાં રવિચંદ્રન અશ્વિન અને રવિન્દ્ર જાડેજાએ ટીમને મજબૂત પીઠબળ આપ્યું અને સન્માનજનક રીતે રમત રમ્યા.
બંને ઓલરાઉન્ડર ફોર્મમાં આવીને રમવાને કારણે બાંગ્લાદેશની ટીમનું ભારત પર હાવિ થવાનું સપનું ચકનાચૂર કરી નાખ્યુ હતું. વિરાટ કોહલી, રોહિત શર્મા, શુભમન ગિલની વિકેટ પડ્યા પછી યશસ્વી જયસ્વાલે મહત્ત્વનું પ્રદર્શન કર્યુ હતું, પણ ટકી શક્યો નહોતો. 144 રનના સ્કોરે ભારત છ વિકેટ ગુમાવી ચૂક્યું હતું, ત્યાર બાદ ટીમને અશ્વિન અને જાડેજાએ બાજી સંભાળી જ નહીં, અશ્વિને ઈતિહાસ રચતા સેન્ચુરી (112 બોલમાં 86) ફટકારી હતી, જ્યારે જાડેજાએ 117 બોલમાં 86 રને નોટ આઉટ રહીને રમતમાં છે, પરંતુ બંને બેટરે ભારતીય ટીમને જીવતદાન આપતા નવો ઈતિહાસ રચ્યો છે.
રવિન્દ્ર જાડેજાએ ટવેન્ટી-20માંથી નિવૃત્તિ જાહેર કરીને ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે, ત્યારે ટીમના ધુરંધર ક્રિકેટર અને ટવેન્ટી-20ના કેપ્ટન રહી ચૂકેલા સૂર્યાકુમાર યાદવે રવિન્દ્ર જાડેજા ઉર્ફે બાપુ પર ઓવારી ગયો હતો અને શાયર બનીને તારીફના ફૂલ બાંધ્યા હતા. રવિન્દ્ર જાડેજા અને અશ્વિને ટેસ્ટ મેચરમાં રમીને સેહવાગ અને સચિનની જોડી લોકોને યાદ અપાવી હતી.
બંને આખી બાજી પલટી નાખતા તમામ લોકોની પ્રશંસાના હકદાર બન્યા હતા. સૂર્યાકુમાર યાદવે તો લખ્યું હતું કે ચિત્તે કે ચાલ, બાજ કી નજર ઔર જડ્ડુ ભાઈ કી તલવાર પર સંદેહ નહીં કરતે, કભી ભી માત દે સકતે હૈ. અશ્વિનને લઈને લખ્યું હતું કે માફ કરના એશ ભાઈ બહુ બડે પ્લેયર હો યાર, લેકિન?
suryakumar yadav story
ટીમ ઈન્ડિયાએ પહેલા દિવસે અશ્વિન અને જાડેજાને કારણે છ વિકેટે 339 રનનો સ્કોર કર્યો હતો, જ્યારે બાંગ્લાદેશની ટીમ સંઘર્ષ કરવો પડ્યો હતો. સૂર્યાના સિવાય વિરેન્દ્ર સેહવાગ, માઈકલ વોન, વસીમ જાફરે પણ અશ્વિન અને જાડેજાના વખાણ કરવા લાગ્યા હતા. હવે એ જોવાનું રહેશે કે 195 રનની ભાગીદારી પછી હવે કેટલા આગળ વધશે એ જોવાનું રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!