June 30, 2025
ધર્મવાસ્તુ ટિપ્સ

Vastu Tips: તમારા ઘરમાં કઈ દિશામાં રાખશો ઘડિયાળ?

Spread the love

જિંદગીમાં સૌથી વધુ બળવાન જો કોઈ હોય તો એ છે સમય. ગુજરાતીમાં તો કહેવાય છે સમય, સમય બળવાન. ખેર, ઘર હોય કે ઘરમાં મૂકવાની અમુક વસ્તુ પણ તેને ચોક્કસ જગ્યા રાખવી કે મૂકવી એના માટે શુભ-અશુભ સંયોગ માનવામાં આવે છે. એ જ રીતે ઘરમાં વોલ ક્લોક રાખવા માટે અલગ અલગ માન્યતા પ્રવર્તે છે, જે યોગ્ય દિશામાં રાખવાનું લાભદાયક છે.
વાસ્તુની દૃષ્ટિએ જોઈએ તો ઘડિયાળ પણ એવું જ કંઈક નક્કી કરે છે, જેને નિર્ધારિત જગ્યાએ રાખવાથી ચોક્કસ તમારી જિંદગીમાં શુભ સંયોગ સર્જાઈ છે. ઘરમાં ઘડિયાળને ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં રાખવાનું યોગ્ય માનવામાં આવે છે. એ દિશામાં રાખવાથી પોઝિટિવ એનર્જી આપે છે. જો તમારા ડ્રોઈંગ રુમ યા બેડ રુમની વાત કરીએ તો એવી રીતે મૂકો કે રાખો કે જેથી રુમના પ્રવેશ સાથે તમને ઘડિયાળ જોવા મળે. આમ છતાં અમુક દિશામાં કે જગ્યાએ મૂકવાથી તમને ફાયદો થતો નથી એ વાતનું ધ્યાન રાખો અને જો ના ખબર હોય તો અમે આપી રહ્યા છીએ મહત્ત્વની ટિપ્સ.
એક તો દક્ષિણ દિશામાં ક્યારેય ઘડિયાળ રાખવી નહીં. વાસ્તુ અનુસાર દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે, જે યમની દિશા છે, તેનાથી નકારાત્મક એનર્જી પૂરી પાડે છે, તેથી તેને શક્ય એટલા અવગણી શકો.
બીજી મહત્ત્વની વાત કરીએ તો ઘડિયાળને ક્યારેય તમારા દરવાજાના સામે અથવા દરવાજાના ઉપર રાખશો નહીં. એની નીચેથી પસાર થતી વખતે તેની આસપાસની ઊર્જા અસર થાય છે. ઉપરાંત, સૂતી વખતે તમારા ઓશિકા યા તકિયાની નીચે ઘડિયાળને રાખશો નહીં. એટલું જ નહીં, તમારા ઘરમાં બંધ પડેલી ઘડિયાળને ચાલુ કરાવો અથવા કાઢી નાખવાનું પણ સારું રહે છે.
કોઈને ક્યારેય વોચ ભેટમાં આપવી જોઈએ નહીં. તમારા માટે બીજી મહત્ત્વની વાત એ કે ક્યારેય તમારી ઘડિયાળ-વોચના ટાઈમને આગળ પાછળ પણ રાખશો નહીં. ચોક્કસ સમય રાખવાનું યોગ્ય માનવામાં આવે છે.
ઘરના ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ દિશામાં ઘડિયાળ રાખવી જોઈએ. એના સિવાય જો ડ્રોઈંગ રુમમાં તમારે ઘડિયાળ રાખવાની ઈચ્છા હોય તો લોલકવાળી રાખવી જોઈએ, જે વધુ શુભ માનવામાં આવે છે. ઉપરાંત, ગોળાકાર ઘડિયાળ પણ શુભ પ્રતીક માનવામાં આવે છે.

(નોંધઃ આ આર્ટિકલ ફક્ત માહિતી રુપે છે, પરંતુ એને વેબસાઈટનો સાથે કોઈ લેવાદેવા નથી.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!