અમરનાથ જવા માગો છો તો આજથી કરી લો રજિસ્ટ્રેશન…
દર વર્ષે અમરનાથની યાત્રા ઉનાળામાં શરુ થાય છે અને એનો ઈતિહાસ પણ જૂનો છે. હિંદુ માન્યતા અનુસાર ભગવાન શિવે માતા પાર્વતીને અમર કથા સંભળાવી હતી અને એ જ ગુફા અમરનાથની યાત્રા થાય છે, ત્યારથી આ યાત્રાનું વિશેષ મહત્ત્વ છે. સુરક્ષિત યાત્રા થાય એના માટે પણ સરકાર દર વર્ષે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા રાખે છે, જે આજથી શરુ થઈ છે. અમરનાથની યાત્રાનું રજિસ્ટ્રેશન 14 એપ્રિલથી શરુ થયું છે.
જો તમે જવા ઈચ્છતા હો તો રજિસ્ટ્રેશન પ્રક્રિયા કઈ રીતે ક્યાંથી કરી શકો છો અરજી. તમારી જાણ ખાતર જણાવી દઈએ કે અમરનાથ યાત્રાનું ઓનલાઈન અને ઓફલાઈન રજિસ્ટ્રેશન બંને શરુ થયું છે. આ વખતે અમરનાથની યાત્રા 29મી જૂનથી 19મી ઓગસ્ટ સુધી ચાલશે. અમરનાથ યાત્રા ભાગ લેનારા શ્રદ્ધાળુઓએ સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ www.jksasb.nic.in પર લોગ ઈન કરવું પડશે, જ્યાં તમે ત્યાં એક રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાનું રહેશે. એના માટે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો સાથે આઈડી પ્રુફ માટે આધાર-વોટર અથવા પાસપોર્ટની જરુરિયાત રહે છે.
આ ઉપરાંત, તમારે એક મેડિકલ સર્ટિફિકેટ પણ શ્રાઈન બોર્ડના માન્ય ડોક્ટર પાસેથી લેવાનું જરુરી રહે છે. રજિસ્ટ્રેશન માટે 150 રુપિયાની ફી પણ ભરવાની રહે છે. જોકે, રજિસ્ટ્રેશન ફીમાં પણ ક્યારેક ફેરફાર થતા રહે છે. તમે જ્યારે ફોર્મ ભરો છો ત્યારે તમને ટૂરની પરમિટની એક સોફ્ટ કોપી પણ મળે છે, જેની પ્રિન્ટ યાત્રા વખતે પણ સાથે રાખવી જોઈએ.
જો તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન નહીં કરવા ઈચ્છતા હો તો સરકાર તમને ઓફલાઈન પણ રજિસ્ટ્રેશનની સુવિધા આપે છે. એના માટે તમારી બેંકમાંથી એક યાત્રાનું ફોર્મ લેવાનું રહે છે, જે પંજાબ નેશનલ બેંક, જમ્મુ એન્ડ કાશ્મીર બેંક, યસ બેંક અને એસબીઆઈ બેંકની બ્રાન્ચમાંથી પણ મળે છે. ત્યાં તમે મેડિકલ સર્ટિફિકેટ બતાવીને ફોર્મ ભરી શકો છો, જ્યાં એસએએસબીની વેબસાઈટ પર સત્તાવાર ડોક્ટર અને હોસ્પિટલની લિસ્ટ મળશે. હવે એ વાત જણાવવાની કે કોઈ પણ પ્રાઈવેટ ડોક્ટરનું સર્ટિફિકેટ માન્ય ગણાતું નથી.