Relationship: દુશ્મનને દોસ્ત કઈ રીતે બનાવશો?
દોસ્તોના દિલ તો સૌકોઈ જીતતા હોય છે, પરંતુ જિદંગીમાં ક્યારેક તમને દોસ્ત કરતા દુશ્મન પણ કામ આવે છે. દરેકના જીવનમાં એક સરખા દિવસો અને માણસો રહેતા નથી. સમય ખરાબ આવે ત્યારે દોસ્ત કે ભાઈ-બહેન પણ દુશ્મન બની જાય છે, ત્યારે દુશ્મનની શું વાત કરવી.
વાત દોસ્તની નહીં, પણ વાત કરીએ દુશ્મનની. શાસ્ત્રોમાં પણ કહેવાયું છે કે કોઈ વ્યક્તિ તમારું ખરાબ કરવા ઈચ્છે તો તમે એની સાથે દુશ્મનાવટ ભાવ રાખશો નહીં, પણ પ્રેમપૂર્વક રહો. એ જ રીતે જેમ શિકારી જંગલમાં હરણનો શિકાર કરવા માટે મીઠો સૂર કાઢે છે ત્યારબાદ હરણ મંત્રમુગ્ધ બને છે અને શિકારીના વશમાં આવી જાય છે.
જો કોઈ વ્યક્તિ તમારું અહિત કરે તો તેને કડવા વહેણ સંભળાવશો નહીં. તેની સાથે પણ સારો વ્યવહાર કરો. એમ કરવાથી એક દિવસ એ વ્યક્તિ તમારી બની જશે. તમે આજીવન કોઈના દોસ્ત બની રહેતા નથી એ જ રીતે કોઈ પણ વ્યક્તિ તમારા માટે આજીવન દુશ્મન બની રહેતી નથી. તમારા સારા વ્યવહારને કારણે એક દિવસ તો તમારો દુશ્મન પણ તમારી કદર કરશે.
શાસ્ત્રોમાં જણાવ્યાનુસાર દુશ્મનોને પોતાના બનાવવા માટે તમારો વ્યવહાર પણ વિશેષ અસર કરે છે. જે લોકો તમારા માટે ખરાબ વિચારે છે અને તમારા માટે ખરાબ કરે છે તેના માટે પણ દુશ્મનાવટ રાખશો નહીં.
જો તમારે એમને પાઠ જ ભણાવવો હોય તો તેમની સાથે સારો વ્યવહાર રાખો અને વ્યવહારું બનો. એ દિવસ ચોક્કસ તમારા સારા વ્યવહારનું પરિણામ પણ લાંબા ગાળે સારું મળશે. એ વાત પણ લખી રાખો કે એક દિવસ તમારો દુશ્મન દોસ્ત જેવો બની જશે.
શાસ્ત્રોમાં જે કંઈ કહેવાયું છે એ યથાર્થ છે, જેમાં માનવજીવનના સિદ્ધાંતો છે એના અનુસાર જીવવામાં ચોક્કસ મદદ મળે છે. ટૂંકા ગાળા માટે જે સારું લાગતું હોય તે ક્યારેક લાંબા ગાળે નુકસાન કરનારું પણ હોય છે. વાસ્તવમાં સફળ રહેવું હોય તો તમે તમારા મિત્રો સાથે જે વ્યવહાર કરો છો એવો જ વ્યવહાર તમારા દુશ્મનો સાથે રાખો તો ચોક્કસ સફળ થઈ શકો છો.