હેપ્પી બર્થ-ડેઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કઈ વાતથી ડરે છે, ખબર છે?
દેશ જ નહીં, આજે એશિયાના અબજોપતિ અને સવાયા ગુજરાતી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનો જન્મદિવસ છે. 19 એપ્રિલના જન્મેલા મુકેશ અંબાણીનું નામ દુનિયાભરના ઉદ્યોગજગત જ નહીં, પણ હોલીવુડ, બોલીવુડ, શિક્ષણ જગત સાથે ભારતના મહારથીઓમાં પણ જાણીતું છે. મુકેશ અંબાણીને એમ જ નથી કહેવાતા કે એશિયાના ટોચના ક્રમના ધનકુબેર છે. બહુ ટૂંકમાં કહીએ તો તેમની રોજની આવક આશરે 163 કરોડ રુપિયાની છે. આવા કરોડપતિ/અબજોપતિ મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. એટલે 19 એપ્રિલના 1957ના જન્મેલા મુકેશ અંબાણી પાસેથી તેમના જેવી સાહસિકતાની સાથે સરળતા અને અન્ય બાબતનું અનુસરણ કરવું જોઈએ.
લો પ્રોફાઈલ રહેતા મુકેશ અંબાણી છે નિર્યસની
મુકેશ અંબાણીનો આખો પરિવાર લાઈમલાઈટમાં રહે છે, જેમાં દીકરો અનંત-આકાશ હોય કે પત્ની નીતા અંબાણી. યા દીકરી ઈશા યા એમના દીકરા, પણ આજના દિવસે તેમના સ્વભાવની વાત કરીએ તો મુકેશ અંબાણી એકદમ સરળ અને લો-પ્રોફાઈલ છે. એક વખતે તેમણે ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમને જાહેરમાં બોલવાનો ડર રહે છે. ભાગ્યે જ કોઈ કાર્યક્રમમાં જરુર પડે તો બોલે છે બાકી અવોઈડ કરે છે. એટલું જ નહીં, મુકેશ અંબાણીએ ક્યારેય દારુ પણ પીધો નથી. નિર્યસની રહેવાનું પસંદ કરે છે, જ્યારે સોશિયલ મીડિયાથી પણ જોજનો દૂર રહે છે. એટ લિસ્ટ નિર્યસન રહેવાનું કામ કરીએ તો પણ ફાયદો થઈ શકે.
કેમિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું પણ
વ્યક્તિગત બાબત સિવાય જો શિક્ષણની વાત કરીએ તો મુકેશ અંબાણી મુંબઈ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું, ત્યાર પછી તેમણે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે ગયા હતા, પણ રાશ આવ્યું નહીં અને અધવચ્ચે છોડી દીધું, ત્યાર બાદ ધીરુભાઈ અંબાણી સાથે બિઝનેસમાં ઝંપલાવ્યું તે પાછું વળીને જોયું નહોતું.
કૂલ નેટવર્થ 103 અબજ અમેરિકન ડોલરની છે
ધીરુભાઈ અંબાણીના સંપૂર્ણ વારસાને જાળવવામાં મોટા દીકરા મુકેશ અંબાણી સફળ રહ્યા છે. પિતાના નિધન પછી કંપનીની સંપૂર્ણ દેખરેખ અને કમાન સંભાળી હતી. ભાઈ અનિલ અંબાણીથી અલગ થયા પછી પણ તેમના બિઝનેસે જેટલી પ્રગતિ હાંસલ કરી એ અસાધારણ છે, જ્યારે અનિલ અંબાણી એનાથી વધુ દેવામાં ડૂબી ગયા. આજની તારીખે મુકેશ અંબાણીની કંપનીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે કંપનીનો બિઝનેસ રિટેલ ફાઈનાન્સ, ટેલિકોમ, ઓઈલ સહિત અન્ય ક્ષેત્રમાં ફેલાયેલો છે. મુકેશ અંબાણીની કૂલ નેટવર્થ વાત કરીએ તો 103 અબજ ડોલર છે.
1985માં રિલાયન્સ ટેક્સટાઈલમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ કર્યું
1981માં મુકેશ અંબાણીએ પિતા ધીરુભાઈ સાથે રિલાયન્સ ગ્રુપમાં જોડાયા હતા, ત્યાર બાદ ચાર વર્ષ પછી કંપનીનું નામ રિલાયન્સ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝમાંથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કર્યું હતું. ટેક્સટાઈલમાંથી ટેલિકોમ ક્ષેત્રે ઝંપલાવ્યું હતું. તબક્કાવાર બિઝનેસ, પરિવાર વિસ્તરતો ગયો તેમ નવી ક્ષિતિજો હાંસલ કરી હતી. છેલ્લે જીયોના બિઝનેસમાં પણ ચાર ચાંદ લગાવી દીધા હતા. બિઝનેસની પણ વહેંચણી કરીને મોટા દીકરા આકાશને રિલાયન્સ જીયોની કમાન સોંપી છે, જ્યારે દીકરી ઈશાને રિલાયન્સ રિટેલ તો અનંતને ગ્રુપના નવા એનર્જીની બિઝનેસની જવાબદારી સોંપી છે. એનાથી વિશેષ અનંત પોતાના શોખ અને પેશન માટે પણ વનતારાનું પણ નિર્માણ કર્યું છે. પોતાની કંપનીમાં વિના પગારે 365 દિવસ કામ કરનારા રિલાયન્સ સર્વેસર્વા મુકેશ અંબાણીને આજના દિવસે હેપ્પી બર્થડે.