July 1, 2025
ગુજરાતટોપ ન્યુઝ

આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થશેઃ 5,084 દાવેદાર મેદાનમાં

Spread the love

ગાંધીનગરઃ ગુજરાતમાં રવિવારે કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને પેટાચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ સંપન્ન થયું અને એની સાથે 5,084 ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં કેદ થયું છે. અધિકારીઓએ ક્યું હતું કે જૂનાગઢ નગર પાલિકા, 66 નગર પાલિકા સહિત ત્રણ તાલુકા પંચાયતની ચૂંટણી થઈ હતી, જ્યારે બોટાદ અને વાંકનેર નગરપાલિકાની પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. એના સિવાય વિભિન્ન કારણસર ખાલી પડેલી અન્ય સ્થાનિક અને શહેરી પાલિકાની 124 સીટ માટે પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.

સ્થાનિક સ્વરાજની પહેલી વખત ચૂંટણી છે, જ્યારે 2023માં ગુજરાત સરકારે પંચાયત, નગર પાલિકાની ચૂંટણીમાં 27 ટકા સીટ અન્ય પછાત વર્ગ માટે અનામત રાખવામાં આવી હતી. અંતિમ તબક્કાનું મતદાન પણ ચાલતું રહ્યું હતું, પરંતુ જૂનાગઢ નગર નિગમનું 44.32 ટકા મતદાન થયું હતું, જ્યારે બોટાદ નગરપાલિકાનું 31 ટકા જેટલું મતદાન થયું હતું.

રાધનપુરમાં ઈવીએમ ખોટકાયા હતા
અમુક શહેરોમાં હિંસાની નાની મોટી ઘટનાઓ વચ્ચે મતદાન એકંદરે શાંતિપૂર્ણ મતદાન થયું હતું. પાટણ જિલ્લામાં રાધનપુરમાં ઈવીએમમાં ખરાબીને કારણે મતદાનની કામગીરીમાં અવરોધ આવ્યો હતો, પરંતુ એના પછી શાંતિપૂર્ણ રીતે મતદાન કરવામાં આવ્યું હતું. વિભિન્ન સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 213 નિર્વિરોધ મતદાન બેઠક પર મતદાન થયું નહોતુ,કારણ કે અમુક સીટ પર ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા હતા, જ્યાં સત્તામાં ભાજપના ઉમેદવાર મેદાનમાં હતા, જેથી ત્યાં જીત જાહેર કરવામાં આવી હતી.


ભચાઉ, જાફરાબાદ, બંટવા અને હાલોલ પર સૌની રહેશે નજર

જૂનાગઢ નગર નિગમના પંદર વોર્ડની 60 સીટમાંથી આઠ સીટનો સમાવેશ થાય છે, જ્યાં છેલ્લી ઘડીએ ચૂંટણીના મેદાનમાંથી હટી ગયા પછી ફક્ત ભાજપના ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. દરમિયાન ભાજપે દાવો કર્યો હતો કે ભચાઉ, જાફરાબાદ, બંટવા અને હાલોલ એમ ચાર નગરપાલિકાની બેઠક પરથી જીત મેળવશે, કારણ કે નિર્વિરોધ જાહેર સીટની સંખ્યા પર પ્રત્યેક નગર પાલિકામાં જરુરી બહુમત કરતા વધુ આંકડા છે. દરમિયાન કોંગ્રેસે દાવો કર્યો હતો કે તેમના ઉમેદવારોને ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની ધમકી આપવામાં આવી હતી, પરંતુ ભાજપે આ દાવાઓને ફગાવ્યા હતા.

36.71 લાખ મતદારે મતદાન કર્યું હતું
ગુજરાતમાં આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 5775 દાવેદાર મેદાનમાં હતા, જેમાંથી કુલ 36.71 લાખ મતદારે મતદાન કર્યું હતું. શનિવારે યોજાયેલ ચૂંટણીમાં નગરપાલિકાની ચૂંટણીમાંમાં ૯૯ જેટલાં ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું, જેના પરિણામ આજે જાહેર કરવામાં આવશે. આજના પરિણામમાં સ્પષ્ટ થઈ જશે કે કયો પક્ષ કેટલા પાણીમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!