ઈઝરાયલના કોઈ ગામની યાદ અપાવે એવું ગુજરાતમાં આવેલું છે ગોલ્ડન વિલેજ, ના ખબર હોય તો ચાલો જઈએ…
આધુનિકતાના ઉદાહરણરૂપ રફાળા ગામ, જ્યાં સોનાની જેમ ચમકે રસ્તા, ઘરો અને સંસ્કૃતિ
ગુજરાતમાં ફરવા લાયક ટૂરિસ્ટ અને રિલિજિયસ સ્પોટમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, પરંતુ રાજ્યમાં એક એવું અનોખું ગામ છે, જ્યાં બધુ જ સોનાનું હોય. જેમ કે ગામનો ગેટ, ગામનો ઘુમ્મટ, ગામની પંચાયત, ગામના માર્કેટ, ગામના મકાનો અને ગામની દીવાલો પણ ગોલ્ડન છે. રાજસ્થાનમાં જયપુર હોય કે ઉદેપુરની ઓળખ રંગથી કરવામાં આવી છે, જ્યારે ગામની ઓળખ પણ તેની અદ્યતન સુવિધાથી થાય છે અને કર્તાહર્તાની પણ વાત કરીનું. યસ, ગુજરાતના ગોલ્ડન ગામની વાત કરીએ. આ ગામ બ્રિટન કહો કે અમેરિકા કે પછી ઈઝરાયલના કોઈ ગામમાં ફરતા હોય એ પ્રકારે આધુનિક અને સુરક્ષાસભર જણાશે. ચાલો એ ગામની વિશેષતા હવે જાણી જ લઈએ.
અમરેલી જિલ્લાના બગસરાથી લગભગ બાર કિલોમીટરના અંતરે આવેલું રફાળા ગામ ગોલ્ડન ગામ તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર પણ પછાત ગામડા અને તૂટેલા રોડની જ કલ્પના કરવામાં આવતી હતી તે બધુ હવે ભૂતકાળ બની ગયું છે. હવે ગુજરાતના અનેક શહેરો જ નહીં, ગામડા પણ આધુનિક પંથે છે. ગામના વતની અને જાણીતા ડાયમંડ કિંગ સવજીભાઈ ધોળકિયાએ પોતાના ગામની કાયાપલટ કરવાનું વિચાર્યું અને અમલ કરવાનું પાલન કર્યું. સ્થાનિક લોકોના પ્રયાસથી આજે આ ગોલ્ડન ગામ ગુજરાત જ નહીં, સમગ્ર દુનિયામાં ગોલ્ડન ગામ તરીકે ઓળખાય છે, જ્યાંની સુરક્ષા વ્યવસ્થા ઈઝરાયલના ગામ જેવી એમ કહેવામાં કોઈ અતિશ્યોક્તિ નથી.
ગામની વિશેષાની વાત કરીએ તો ગામની તમામ માર્કેટ, ગલીઓ, તમામ ઘરની દીવાલોને ગોલ્ડન કલરથી રંગવામાં આવી છે અને તેને જોનાર પણ બે ઘડી તો લાગે કે જાણે સોનાની દીવાલો હશે. પણ એ હકીકત નથી. રફાળા ગામની પંચાયત પણ ભવ્ય છે. આધુનિક સુવિધાસભર ગામની પંચાયતનું નામ સંસદ ભવનનું રાખ્યું છે. ગામના રસ્તાઓ પણ ચોખ્ખા અને સ્વચ્છતા માટે તકેદારી રાખવામાં આવે છે. ગામના મુખ્ય દરવાજાનું નામ સરદાર ગેટ રાખવામાં આવ્યું છે. રસ્તાઓ પેવર બ્લોકથી તૈયાર કરવામાં આવ્યા છે.
ગામમાં પીવાના પાણીની અલગ પાઈપલાઈન સાથે અંડરગ્રાઉન્ડ ગટરની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી પાણીનો બગાડ થાય નહીં. ગામની દીકરીને પરણાવ્યા પછી દીકરીની યાદ માટે લાડલી ભવન બનાવ્યું છે, જ્યાં સાસરેથી આવ્યા પછી દીકરીના હાથના થાપા અને ફોટોગ્રાફ લઈને તેમની યાદમાં રાખવમાં આવે છે. આ પરંપરા 50 વર્ષ જૂની છે, જ્યાં અમુક દીકરીઓ હવે તો વૃદ્ધ પણ થઈ ગઈ છે. 500થી વધુ દીકરીઓના થાપા સાચવવામાં આવ્યા છે, જ્યારે અહીંના લોકોની કામગીરી ખેતીવાડી છે.
ગામમાં 200 પરિવાર છે, જ્યાં લોકોને આધુનિક સુવિધા મળે છે. ગામના તમામ રસ્તા, ગલીઓમાં રાષ્ટ્રભાવના જગાવતા સ્મારકો, સુંદર મંદિરોની સાથે સાથે ગામ આખામાં સીસીટીવી કેમેરા, એસી બસ સ્ટેન્ડ વગેરે સુવિધા ઊભી કરી છે. આ ગામને જોવા માટે જિલ્લામાંથી જ નહીં, હવે સમગ્ર ભારતમાંથી લોકો જોવા આવે છે. ગામમાં એનાઉન્સમેન્ટની સિસ્ટમ છે, તેનાથી જાહેર મેળા યા આયોજનની જાહેરાતો કરવામાં આવે છે, જેથી લોકોને જાણ થાય છે.