લખપતી સોનાઃ સોનાના ભાવે એક લાખ રુપિયાની ઐતિહાસિક સપાટી પાર કરી
નવી દિલ્હીઃ દેશભરમાં ઉનાળાની ગરમીનો પારો જેમ જેમ ચઢતો જાય છે તેમ શેરબજાર અને સોનાચાંદી બજારમાં જોરદાર ચમકારો જોવા મળી રહ્યો છે, જેમાં આજે સોનાના ભાવ વધીને એક લાખ રુપિયાની સપાટીએ પાર કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં નિરંતર વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે 10 ગ્રામનું સોનું એક લાખ રૂપિયાના વિક્રમી સપાટી પાર છે. જોકે, સોનાના આ ભાવમાં ખરીદી પરનો જીએસટી પણ સામેલ કરવામાં આવ્યા છે. આ સોનાના ભાવમાં ઐતિહાસિક સપાટી પાર કરવાને કારણે વેપારી અને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા છે. દરેક ગ્રાહકના મોંઢે પણ એક જ વાત છે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે સોનું એક લાખ રુપિયાની સપાટી પાર કરશે.
દેશમાં લગ્નની સિઝન પુરબહાર ખીલી છે ત્યારે સોનાચાંદીના ભાવમાં આગ ઓકતી તેજી જોવા મળી છે. વૈશ્વિક માર્કેટમાં ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, અમેરિકન ડોલરમાં ઘટાડો તેમ જ આર્થિક મંદીના ભયને કારણે સોનાના ભાવ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય માર્કેટ એમ બંને જગ્યાએ ઉચકાયા છે. આજે આંતરરાષ્ટ્રીય માર્કેટ હાજર બજારમાં સોનાનો ભાવ ઔંસદીઠ 3,400 ડોલરથી 3,430 અમેરિકન ડોલરની ઐતિહાસિક સપાટી પાર કરી હતી, જ્યારે ગુજરાતના માર્કેટની વાત કરીએ તો ગુજરાતમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામના સિક્કાનો ભાવ 1,01,112 રુપિયા છે. જ્યારે 10 ગ્રામ 24 કેરેટ ગોલ્ડ બારના ભાવ 1,01,087 રુપિયા છે.
ભારતમાં સોનાના બાવમાં ત્રણ ટકા જીએસટી સાથે દસગ્રામદીઠ સોનાનો ભાવ 1,00,116 રુપિયા પર પહોંચ્યો હતો, જે ફ્ચુચર માર્કેટમાં સોનું 98,991 રુપિયાના ભાવે ટ્રેડ થયું છે, જ્યારે ચાંદી 0.62 ટકા વધીને 95,840 કિલોના ભાવે રહી છે. જીએસટી સાથે ચાંદીનો ભાવ પણ કિલોગ્રામે 98,715 રુપિયાના મથાળે પહોંચ્યો છે, જ્યારે પાટનગર દિલ્હીમાં આજે સોનાના ભાવમાં ચમકારો જોવા મળ્યો હતો. નવી દિલ્હીમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 98,510 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનું 90,310 રુપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે.
બીજી બાજુ સોનાના પગલે પગલે ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોમવારે એક કિલો ચાંદીનો ભાવ 99,900 રુપિયા પર પહોચ્યોં હતો, જ્યારે આજે 1 કિલો ચાંદીની કિંમત ₹1,01,100 થઈ છે. અહીં એ જણાવવાનું કે પ્યોર ગોલ્ડની ઓળખ માટે આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ દ્વારા હોલ માર્ક્સ આપવામાં આવે છે, જેમાં ખાસ કરીને 24 કેરેટના સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ 857 અને 18 કેરેટ પર 750 લખેલું છે, જે લેવાનો વિશેષ આગ્રહ રાખવામાં આવે છે.
સોનાના ભાવમાં વધઘટ માટે દુનિયામાં કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી અને વેચાણ કરવાનું પરિબળ જવાબદાર માનવામાં આવે છે. દેશની સેન્ટ્રલ બેંક પાસે પણ સંપૂર્ણ સ્ટોરેજ નથી, જેથી પણ ભાવમાં વધારો થાય ત્યારે ઝડપી અસ્થિરતા આવે છે. ટૂંકમાં, મધ્યસ્થ બેંક તરફથી માગ વધે છે ત્યારે કેન્દ્રીય બેંકો દ્વારા સોનાના ભાવમાં વધારો કરાય છે.