June 30, 2025
એસ્ટ્રોલોજી

29મી માર્ચથી આ રાશિના જાતકોનો શરૂ થશે સોનેરી સમય…

Spread the love

દસ દિવસ બાદ હોળીનો તહેવાર ઉજવવામાં આવશે અને બરાબર એના 15 દિવસ બાદ એટલે કે 29મી માર્ચના ન્યાયના દેવતા શનિદેવ પણ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. આ દિવસથી શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશી રહ્યા છે. મીન રાશિમાં શનિ દેવનું થઈ રહેલું ગોચર ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે. આ રાશિના જાતકોને પારાવાર લાભ થવાની સાથે સાથે ભાગ્યનો પણ સાથ મળી રહ્યો છે. આવો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-

કર્કઃ કર્ક રાશિના જાતકો માટે 29મી માર્ચથી અચ્છે દિન શરૂ થવા જઈ રહ્યા છે. આ રાશિના જાતકોને આખું વર્ષ લાભ મળવા જઈ રહ્યો છે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થવા જઈ રહી છે. સમાજમાં માન-સન્માનમાં વૃદ્ધિ થશે. ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. અટકી પડેલાં કામ પૂરા થશે. શનિની દયા દ્રષ્ટિથી ઘરમાં સુખ-શાંતિનો માહોલ રહેશે.

વૃશ્ચિકઃ: વૃશ્ચિક રાશિના જાતકોને શનિના રાશિ પરિવર્તનને કારણે કરિયર અને કારોબારમાં ખૂબ જ નફો થઈ રહ્યો છે. કોઈ જૂના રોકાણથી પણ સારો લાભ થશે. પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. કોઈ જગ્યાએ અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. નોકરી કરી રહેલાં લોકોને પ્રમોશન વગેરે મળશે. કામકાજને કારણે પ્રવાસ પર જવું પડી શકે છે. કામના સ્થળે તમારા કામની પ્રશંસા થશે.

મકરઃ: મકર રાશિના જાતકોને 2025માં શનિની સાડાસાતીથી મુક્તિ મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. માર્ચ બાદ તમારા બગડેલાં અને અટકી પડેલાં કામ બની રહ્યા છે. નવા કામની શરૂઆત કરવા અનુકૂળ સમય છે. અટકી પડેલાં પૈસા પાછા મળી શકે છે. માતા-પિતાથી સંપૂર્ણ સાથ-સહકાર મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!