June 30, 2025
ગુજરાતટોપ ન્યુઝરમત ગમત

પૂર્વ ક્રિકેટર Ajay Jadeja જામનગરના રાજવી પરિવારના ઉત્તારાધિકારી જાહેર

Spread the love

ભારતીય ક્રિકેટનો રાજવી પરિવાર હોય કે ઉદ્યોગજગત સાથે સારો એવો સંબંધ રહ્યો છે. મનુસર અલી પટૌડી હોય કે પછી અજય જાડેજા કે રવિન્દ્ર જાડેજા. પણ ક્રિકેટ હોય કે અન્ય રમત પરંતુ તેનો રાજકારણ સાથે સંબંધ જોડાતા વાર લાગતી નથી. વાત કરીએ ગુજરાતના બાપુ અને ક્રિકેટની દુનિયામાં આગવી ઓળખ ઊભી કરનારા અજય જાડેજાની. પૂર્વ ક્રિકેટર અજય જાડેજાને જામનગરના રાજવી પરિવારના આગામી ઉત્તરાધિકારી તરીકે જાહેરાત કરવામાં આવી છે.
અફઘાનિસ્તાન ટીમના કોચ પણ છે જાડેજા
ગત ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના કોચ તરીકે અજય જાડેજા કામગીરી કરી હતી. અફઘાનિસ્તાને અન્ય ટીમની સાથે અસાધારણ પ્રદર્શન નોંધાવીને અજય જાડેજાની કામગીરીની નોંધ લેવામાં આવી હતી. સૌથી મોટી વાત એ હતી કે અજય જાડેજાએ એક રુપિયાની ફી લીધી નહોતી. અજય જાડેજાની સ્કિલ સાથે દરિયાદિલીની પણ આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી હતી.
અજય જાડેજા નવાનગરના જામ સાહેબ જાહેર
જામનગરના રાજવી પરિવારના મહારાજ શત્રુશલ્યસિંહજીએ કહ્યું હતું કે આજના દશેરાના દિવસે પાંડવોએ 14 વર્ષના અજ્ઞાતવાસ સફળતાપૂર્વક પૂરા કરીને વિજય અનુભવ્યો હતો. આજે હું વિજયનો અનુભવ કરું છું, કારણ કે અજય જાડેજાને મારા ઉત્તરાધિકારી અને નવાનગરના આગામી જામ સાહેબ બનાવવવાનું નક્કી કર્યું છે, જે જામનગરના લોકો માટે મોટા આશીર્વાદસમાન છે. આ જવાબદારી સ્વીકારવા બદલ હું અજય જાડેજાનો આભાર માનું છું.
1540માં નવાનગર રજવાડાની કરી સ્થાપના
જામનગરના રાજવી પરિવારનો ઈતિહાસ જાડેજા વંશના રાજા જામ રાવલ સાથે જોડાયેલો છે. 1540માં નવાનગર રજવાડાની સ્થાપના કરી હતી. તેમણે રંગમતી અને નાગમતી નદીના કિનારે એક કિલ્લો-મહેલની સાથે આશાપુરા માતાજીનું મંદિર બનાવ્યું હતું. જામ રાવલની સાથે 36 રાજપુત કચ્છથી જામનગર આવ્યા હતા. જામ રાવલ જામ ‘હાલાના’ વંશજ હતા, તેથી આજે આ વિસ્તારને હાલાર પણ કહેવાય છે. સ્થાનિક ભાષામાં જામ શબ્દનો અર્થ સરદાર થાય છે. આજે ગુજરાતના જામનગરમાં ભારતીય આર્મી, એર ફોર્સ અને નૌકાદળનો પણ બેઝ કેમ્પ છે. અહીં ચાર જૈન મંદિર પણ વિશેષ જાણીતા છે.
જાડેજા પરિવારનો ક્રિકેટ સાથે જૂનો સંબંધ
જામનગરના રાજવી પરિવારનો ક્રિકેટ સાથે જૂનો સંબંધ છે. જાણીતી રણજી ટ્રોફી અને દલિપ ટ્રોફીનું નામ ક્રમશઃ જાડેજાના પરિવાર કેએસ રણજીતસિંહજી અને કેએસ દલીપસિંહના રાખવામાં આવ્યું હતું. આ જ પરિવાર સાથે સંબંધ ધરાવનારા અજય જાડેજાએ 1992થી 2000 સુધી ભારતીય ક્રિકેટ ટીમમાં હતા. એ વખતે 15 ટેસ્ટ અને 196 વન-ડે મેચ રમ્યા હતા. ક્રિકેટની કારકિર્દીમાં સૌથી યાદગાર પળ પૈકી 1996ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઈનલમાં પહોંચાડી હતી, જેમાં પાકિસ્તાન સામે ભારતને જીત અપાવી હતી. એ મેચમાં જાડેજાએ 25 બોલમાં 45 રન બનાવ્યા હતા, જેમાં વકાર યુનિસની છેલ્લી બે ઓવરમાં 40 રન ફટકાર્યા હતા. જાડેજાની બેટિંગ સાથે ફિલ્ડિંગની પણ નોંધ લેવાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!