કાશ્મીરમાં આર્મીના વાહન પર ગ્રેનેડ એટેકઃ પાંચ જવાન શહીદ
M-4 રાઈફલ આતંકવાદીઓ પાસે કઈ રીતે આવી?
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં આર્મીના વ્હિકલ પર ગ્રેનેડ ફેંકીને હુમલો કરવાના બનાવમાં પાંચ જવાન શહીદ થયા છે. પ્રાથમિક અહેવાલ અનુસાર આ હુમલામાં પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓનો હાથ છે, જેમણે લોકલ ગાઈડનો સપોર્ટ મળ્યો હતો. આતંકવાદીઓ પાસે અમેરિકન બનાવટની એમ-ફોર કાર્બાઈન રાઈફલ હતી. આ રાઈફલનું નિર્માણ અમેરિકામાં કરવામાં આવે છે.
કઠુઆના માચેડી વિસ્તારમાં ગઈકાલે આતંકવાદીઓએ ગ્રેનેડ હુમલો કર્યો હતો, ત્યારબાદ ફાયરિંગ કર્યું હતું. આર્મીના વાહન પર કરવામાં આવેલા હુમલામાં પાંચ જવાન શહીદ થયા છે, જ્યારે પાંચ જવાનને ઈજા પહોંચી હતી. આ વિસ્તારમાં રેકી કરવામાં આવી હતી, જેમાં સ્થાનિક ગાઈડે મદદ કરી હતી. એટલું જ નહીં, હુમલો કરવા માટે આતંકવાદીઓને છુપાવી રાખવામાં મદદ કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. એના પહેલા આર્મી દ્વારા સર્ચ ઓપરેશનમાં અહીંના જ વિસ્તારમાં એક જગ્યાએ કબાટની તિજોરીમાં સુરંગ બનાવીને આતંકવાદીઓ છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું.
#WATCH जम्मू-कश्मीर: कठुआ के माचेडी इलाके में सुरक्षा बलों द्वारा तलाशी अभियान जारी है।
कल जम्मू-कश्मीर के कठुआ जिले के माचेडी इलाके में भारतीय सेना के काफिले पर आतंकवादियों ने हमला किया जिसमें 5 जवानों की जान चली गई थी। pic.twitter.com/j3UcjQdEKb
— ANI_HindiNews (@AHindinews) July 9, 2024
હથિયારો બનાવવામાં અમેરિકા દુનિયામાં નંબર વન કેન્દ્ર માનવામાં આવે છે. સ્ટોકહોમ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટયૂટ પીસ રિસર્ચના અહેવાલ અનુસાર 2013-17 અને 2018-2022ની વચ્ચે અમેરિકાએ હથિયારના નિર્માણ કાર્યમાં 14 ટકાનો વધારો કર્યો હતો.
અમેરિકાએ શાંતિ સમજૂતી કર્યા પછી અફઘાનિસ્તાનમાંથી પાછા ફરતી વખતે 8.84 લાખ આધુનિક હથિયારો અફઘાનિસ્તાનને આપીને આવ્યા હતા, જેમાં એમ16 બંદૂક, એમ-4 કાર્બાઈનનો સમાવેશ થાય છે. હવે આ આતંકવાદીઓ પાસે કઈ રીતે પહોંચી એનો જવાબ તો મળતો નથી, પરંતુ કાશ્મીરમાં કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં આ જ રાઈફલનો ઉપયોગ કરવામાં આવે છે.
એમ-ફોર કાર્બાઈન રાઈફલ 1980ના દાયકામાં અમેરિકામાં નિર્મિત એક હળવી અને ગેસ સંચાલિત ગન છે. અમેરિકન આર્મી માટે મહત્ત્વનું હથિયાર અને તેનો ઉપયોગ 80થી વધુ દેશ કરે છે. એમફોર ગન નજીકની લડાઈ માટે ડિઝાઈન કરવામાં આવી છે, જ્યારે તેનો ઉપયોગ આર્મીના જવાનો મોટા ભાગે કરે છે.
યુનાઈટેડ સ્ટેટસ મરીન કોર્પ્સએ પોતાના અધિકારીઓ (લેફ્ટનન્ટ કર્નલના હોદ્દા) અને અન્ય અધિકારીઓને એમ-9 ગનના બદલે એમ-ફોર કાર્બાઈન લઈ જવાનો આદેશ આપ્યો હતો, તેનાથી અંદાજ લગાવી શકાય છે કે આ રાઈફલનો કેટલો ઉપયોગ અને ક્ષમતા મહત્ત્વની છે. એમફોર રાઈફલનો ઉપયોગ એઆર-15ની સાથે સાથે પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવે છે, જ્યારે તમામ ગનમાં શ્રેષ્ઠ હથિયાર માનવામાં આવે છે.