June 30, 2025
વાંચન વૈવિધ્યમહોમ

Amrita Pritam Special: એક દુજે કે લિયે બન્યા નહોતા, અમૃતા, સાહિર અને ઈમરોઝ…

Spread the love

મૈં તુઝે ફિર મિલૂંગી, કહાં કૈસે પતા નહીં, શાયદ તેરી કલ્પનાઓ કી પ્રેરણા બન
તેરે કેનવાસ પર ઉતરુંગી યા તેરે કેનવાસ પર એક રહસ્યમયી લકીર બન
ખામોશ તુઝે દેખતી રહુંગી મૈ તુઝે ફિર મિલુંગી કહાં કૈસે પતા નહીં…

એક લાંબી લોકપ્રિય લવ સ્ટોરીની વાત. આ કવિતા અમૃતા પ્રિતમે ઈમરોઝ માટે લખી હતી. કોણ અમૃતા પ્રિતમ અને કોણ ઈમરોઝનો સવાલ થયો હોય તો પહેલી ઓળખ અમૃતા પ્રિતમની. તો પંજાબના લોકપ્રિય લેખિકા પૈકીના એક ઉત્તમ લેખિકા હતા. 100થી વધુ પુસ્તક લખ્યા અને તેમની લોકપ્રિય આત્મકથાનું નામ હતું ‘પોસ્ટલ સ્ટેમ્પ’.
પોસ્ટલ સ્ટેમ્પથી જાણીતી બની
દુનિયા માટે અમૃતા પ્રિતમની પ્રતિભા રહસ્યમય હતી. રીતિ-રિવાજથી ભિન્ન એટલે લગ્ન પછી છૂટાછેડા. એના પછી એક શાયર સાથે એક તરફી પ્રેમ, લગ્ન વિના એક વ્યક્તિ સાથે જીવન વિતાવી દેવું. અનેક ઉતાર-ચઢાવ વચ્ચેની પ્રેમથી ખદબદ જીવન જીવનાર એટલે અમૃતા પ્રિતમ. ‘પોસ્ટલ સ્ટેમ્પ’ સિવાય ભારત પાકિસ્તાનના ભાગલા માટે લખાયેલી નોવેલ ‘પિંજર’ પણ લોકપ્રિય બની હતી.
સાહિર લુધિયાનવીને કરતા પ્રેમ
જાણીતા ગીતકાર સાહિર લુધિયાનવીને પ્રેમ કરનારા અમૃતા પ્રિતમે તેમના અસ્તિત્વ અને પછી ઘણું બધુ લખ્યું પણ હકીકત એ હતી બંને એકબીજાના થઈ શક્યા નહોતા. સાહિરની ગેરહાજરીમાં અમૃતાને બીજી કોઈ છત મળી હતી તો ઈમરોજની હતી. ઈમરોજ પર પણ અમૃતા પ્રિતમે પણ કહ્યું હતું કે સાહિર મારી જિંદગી માટે પૂરું આકાશ હતો તો ઈમરોજ મારા ઘરની છત. બસ ખુશ થઈ ગઈ ઓળખ, પણ ઘરની છત માટે પણ અમૃતાએ જાણે અજાણે ઘણું બધુ લખ્યું હતું. એક દુજે કે લિયે નહીં બન્યા નહોતા છતાં આ ત્રણેય પાત્રો સાહિત્ય અને ફિલ્મોમાં પણ અમર બની ગયા. ગયા વર્ષે મુંબઈમાં 97 વર્ષની જૈફ વયે ઈમરોજનું નિધન થયું અને એ ત્રણેય પાત્રો ફરી સજીવન થઈ ગયા હતા.
Amruta and Imroz (Source Hindustan Times)
લીવ ઈન રિલેશનશિપમાં રહ્યા
એકદમ આધુનિક કવિયિત્રી આજથી 60-70 વર્ષ પહેલા લીવ ઈન રિલેશનશિપ કલ્ચરમાં અમૃતા પ્રિતમ ઈમરોઝ સાથે થયા રહ્યા હતા. બંને વચ્ચે સાત વર્ષનું અંતર હતું. પ્રેમ, સંબંધ અને એનાથી આગળની દુનિયાને બાખૂબી જીવ્યા હોય તો અમૃતા પ્રીતમ હતા, જાણે સાક્ષાત પ્રેમની મૂર્તિ. કહેવાય છે કે અમૃતાએ આજીવન સાહિરને પ્રેમ કર્યો હતો અને ઈમરોઝે આજીવન અમૃતાને.
વેપારી સાથે લગ્નજીવન તૂટ્યું
31 ઓગસ્ટ 1919માં પંજાબના ગુજરાનવાલામાં અમૃતા પ્રિતમનો જન્મ થયો હતો. છ વર્ષની ઉંમરે એક પ્રીતમ સિંહ નામના વેપારી સાથે લગ્ન થયું હતું અને એના પછી કલમ પકડી, જેમાં લગ્ન તૂટ્યું પણ કલમે આજીવન સાથે આપ્યો હતો. 16 વર્ષની ઉંમરે અમૃત લહરેંનું નામનું પુસ્તક પ્રકાશિત થયું હતું. લગ્ન પછી પણ અમૃતાએ સાહિરને પ્રેમ કરી બેઠી હતી. ઈશ્ક કે લીએ એક મુલાકાત કાફી હૈ એ વાતે હકીકતમાં લાહોરના એક મુશાયરામાં બંને એકબીજાને મળ્યા અને અમૃતા સાહિરને મળ્યા અને બસ એક લવ સ્ટોરીનો જન્મ.
સાહિરની અડધી સિગારેટ પીતા
બંને જ્યારે એકબીજાને મળતા ત્યારે જાણે આંખોથી દિલની વાતો કરતા. મજાની વાત તો એ હતી કે બંનેની મુલાકાતમાં બંને કસ મારીને સિગારેટ પીતા અને સાહિરના ગયા પછી જે સિગારેટના ઠૂંઠા રહેતા એનાથી અડધી સિગારેટ અમૃતા પીતા હતા. કહેવાય છે કે સાહિરના હાથની અડધી સિગારેટ પીતી વખતે અમૃતાએ જે અનુભવ્યું હતું એ પણ લખ્યું હતું હું સાહિરની સિગારેટના બચેલી સિગારેટને રાખતી અને અડધી સિગારેટ પછી પીતી હતી. એ સિગારેટને જ્યારે હાથમાં રાખતી ત્યારે સાહિરના હાથોને પકડી રહી હોવાનું લાગતું હતું અને એ જ રીતે સિગારેટ પીવાની આદત લાગી ગઈ હતી.
પદ્મશ્રી વિજેતા અમૃતાનું નિધન 31 ઓક્ટોબરે
તેમનું લેખન એટલુ ઉત્તમ હતું કે પંજાબી નોવેલનો હિન્દીમાં અનુવાદ કરવામાં આવ્યો હતો. સાહિત્યમાં યોગદાન માટે પદ્મશ્રી અને પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા. એટલું જ નહીં, વિદેશમાં પણ તેમને ડોક્ટરેટની પદવીથી નવાજવામાં આવ્યા હતા. 31 ઓક્ટોબર, 2005માં તેમનું નિધન થયું હતું. જન્મ અને મરણ પછી પણ પદ્મશ્રી વિજેતા અમૃતા પ્રિતમ આજે પણ એમની લવસ્ટોરીને લઈ જીવંત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!