June 30, 2025
ટોપ ન્યુઝ

ઈમરજન્સીના 50 વર્ષ: PM મોદીએ લોકોને ઈમરજન્સીના અનુભવ શેર કરવાની કરી અપીલ

Spread the love

દેશમાં આજે ઈમર્જન્સીના પચાસ વર્ષ પૂરા થયા. પચાસ વર્ષ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના અનુભવ અંગે લખ્યું હતું અને લોકોને અપીલ કરી હતી કે જે લોકોના પરિવારે ઈમરજન્સી વખતે મુશ્કેલીઓ આવી હોય તેઓ પોતાના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરે. આ અનુભવો શેર કરવાથી યુવા પેઢીને ઈમરજન્સીના કાળા અધ્યાયની ખબર પડશે. ભાજપના તમામ નેતાએ ઈમરજન્સીને વખોડી હતી, જ્યારે કોંગ્રેસના નેતાએ પણ પ્રતિક્રિયા આપી હતી.

સંવિધાનની હત્યા દિવસનું સેલિબ્રેશન
પીએમ મોદીએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સ પર એક પછી અનેક પોસ્ટ લખી છે, જેમાં ઈમરજન્સીમાં તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારના અત્યાચાર અંગે વાત કરી છે. લોકશાહીના ઈતિહાસના કાળા અધ્યાયમાંથી એક, ઈમજરન્સી લાગુ કર્યાના પચાસ વર્ષ પૂરા થયા. ભારતના લોકો એને સંવિધાનની હત્યાના દિવસ તરીકે ઉજવે છે.

ઈમરજન્સીના દિવસોમાં ઘણું શીખવા મળ્યું
પીએમ મોદીએ લખ્યું કે જ્યારે ઈમરજન્સી લગાવવામાં આવી ત્યારે ત્યારે હું આરએસએસનો યુવા પ્રચારક હતો. ઈમરજન્સીના વિરોધમાં આંદોલન પણ મારા માટે એક શીખવાનો અનુભવ હતો. મારી સાથે અનેક લોકોને એ સમયગાળા દરમિયાન શિખવા મળ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું છે કે મને એ વાતનો આનંદ છે કે બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશને અનુભવોને સંકલિત કરીને એક પુસ્તક લખી છે, જેની પ્રસ્તાવના એચડી દેવગૌડાએ લખી છે, જે પોતે ઈમરજન્સીના વિરોધી આંદોલન પૈકીના એક દિગ્ગજ હતા.


તમારા અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરો
સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ લખ્યું છે ધ ઈમરજન્સી ડાયરીઝમાં ઈમરજન્સીના વર્ષોની મારી યાત્રાનું વર્ણન છે. લોકશાહીના એ અધ્યાયના ભોગ બનેલા લોકોને હું અપીલ કરું છું કે જે કોઈ પરિવારે યાતના ભોગવી છે તેમના અનુભવો સોશિયલ મીડિયા પર શેર કરે. એનાથી યુવાનોમાં 1975થી 1977 સુધીના શરમજનક ઈતિહાસ અંગે લોકોમાં જાગૃતકતા આવશે. દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ વગેરે પણ ઈમરજન્સીને વખોડી હતી.

ઈમરજન્સીમાં અનેક કલ્યાણકારી યોજનાનો અમલ થયો
ઈમરજન્સી અંગે કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યુ હતું કે ઈમરજન્સી સેડ પાર્ટ હતો, પરંતુ એ ઓપન ઈમરજન્સી હતી. આજે ઈમરજન્સી જાહેર કરી નથી, પરંતુ આજે તો એનાથી ખરાબ પરિસ્થિતિ છે. કોઈ પણ જગ્યાએ જુઓ પરિસ્થિત વધુ ખરાબ છે, કોઈ પણ ઈન્ડેક્સમાં ફ્રીડમ ઓફ પ્રેસ, રિલિજિયસ, ટોલરન્સ બે-ચાર જ ઈન્ડિકેટર છે, જેનાથી ખબર પડે છે કે દેશમાં લોકશાહી છે કે નહીં. ઈમરજન્સી વખતે બધી બાબત ખરાબ નહોતી. દલિત-આદિવાસીઓના વિકાસની વાત હતી. 20 મુદ્દા લાગુ પાડવામાં આવી, જેમાં જમીન વગરના લોકોને જમીન મળી હતી. અનેક કલ્યાણકારી કામ કરવામાં આવ્યા હતા, જે ભૂતકાળમાં ક્યારેય થયા નહોતા.

આજે પણ કોંગ્રેસની નિયત તાનાશાહીવાળી
દરમિયાન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ આ અધ્યાય મુદ્દે કોંગ્રેસની ટીકા કરી હતી. નડ્ડાએ કહ્યું કે 25 જૂન, 1975ના અડધી રાતના તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ દેશમાં આંતરિક અશાંતિનું નિર્માણ થવાનું બહાનું આપીને ઈમરજન્સી લાદી હતી અને બંધારણની હત્યા કરી હતી. 50 વર્ષ પછી પણ કોંગ્રેસની માનસિકતા બદલાઈ નથી અને આજે પણ એની નિયત સરમુખ્યત્યારશાહીવાળી છે.

આ પણ વાંચો

ઈમરજન્સીના 50 વર્ષઃ લોકશાહીના કાળાં અધ્યાયને ભૂલી ના શકાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!