હવે ‘નવા’ વાઈરસે દુનિયાની કરી ઊંઘ હરામ, જાણો કઈ બલા છે?
નોરોવાઈરસના લક્ષણ જણાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો
કોરોના વાઈરસ પછી નવા નવા વાઈરસ દેખા દે છે, તેનાથી યુરોપ-અમેરિકામાં ખળભળાટ મચી ગયો છે. કોરોના વાઈરસને કારણે છેલ્લા બે-ત્રણ વર્ષમાં અનેક લોકોનાં મોત થયા છે, ત્યારે દર મહિને એક નવા વાઈરસને કારણે પ્રશાસન એલર્ટ થઈ જાય છે. જોકે હવે નોરોવાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે, તેનાથી આરોગ્ય વિભાગની એજન્સી પણ સતર્ક બની છે, ત્યારે જાણીએ આ નવો વાઈરસ શું બલા છે.
નોરોવાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે, જે મુદ્દે હોસ્પિટલના અધિકારીઓ અર્જન્ટ વોર્નિંગ પણ જારી કરી છે, જ્યારે સામાન્ય લોકોમાં સંક્રમણ રોકવા માટે હોસ્પિટલમાં એડમિટ કરવાનું પ્રમાણ ઓછું થાય એના માટે તાકીદ કરી છે. આ વાઈરસને કોન્ટેજિયસ વાઈરસ અને વિન્ટર વોમિટિગ બગ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનાથી અચાનક ડાયરિયા અને વોમિટિંગનું કારણ બને છે.
એક અંદાજ પ્રમાણે આ વર્ષના સાત અઠવાડિયામાં લગભગ 400થી વધુ કેસ નોંધાયા છે, તેનાથી પબ્લિક હેલ્થ ઓથોરિટીઝે પણ સાવધ બની છે, કારણ કે જીII.17 વેરિયન્ટનું સંક્રમણ વધી રહ્યું છે. નોરોવાઈરસના વધતા સંક્રમણ યુકે, યુરોપ અને અમેરિકામાં લોકોમાં ડરનો માહોલ ઊભો થયો છે, તેથી જાણી લઈએ કે હકીકતમાં આ વાઈરસ ચિંતાજનક છે.
નોરોવાઈરસ એક વાઈરલ ઈન્ફેક્શન છે, જે દર્દીના આંતરડામાં સોજો લાવે છે, જ્યારે તેના અનેક લક્ષણ પેટના દુખાવા સંબંધિત પણ છે. અમુક લોકોને આ પ્રકારની પીડા થાય છે, જે થોડા દિવસમાં રિકવર થઈ જાય છે. આમ છતાં નોરોવાઈરસ એ બાળકો, વૃદ્ધો અને નબળી ઈમ્યુનિટીવાળા માટે જોખમ ઊભું કરી શકે છે. અમુક કિસ્સામાં નોરોવાઈરસ સંક્રમિત દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની નોબત પણ આવે છે.
નોરોવાઈરસના લક્ષણોની વાત કરીએ તો વોમિટ આવવી, ઝાડા થવા, તાવ આવવો, માથામાં દુખાવો અને થાક લાગવો વગેરે બાબત છે. નોરોવાઈરસ હાયલી કોન્ટેજિયસ છે. 100થી ઓછા કણ પણ બીમારીના સંકેત આપે છે, જ્યારે તેના ફેલાવા માટે ક્લોઝ કોન્ટેક્ટ, દૂષિત ફૂડ અને ઈન્ફેક્ટેડ લોકો દ્વારા તૈયાર કરવામાં આવેલું ફૂડથી ફેલાવો થાય છે. સાજા થયા પછી પણ બે અઠવાડિયા સુધી વાઈરસ ફેલાય છે, જ્યારે આ વાઈરસ ક્રૂઝ, શિપ, સ્કૂલ અને કેર સેન્ટરમાં જોવા મળે છે. નોરોવાઈરસથી બચવા માટે ખાસ કરીને સાદું ભોજન લેવું તેમ જ દિવસભર હાઈડ્રેટેડ રહો તેમ જ નોર્મલ રુટિનમાંથી પાછા ફરો ત્યાં સુધી શરીરને ભરપુર આરામ આપો.