June 30, 2025
ધર્મ

આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભઃ માતાજીના આશીર્વાદ માટે શું કરશો, જાણો મહત્ત્વ?

Spread the love

ભારતના આધ્યાત્મિક તહેવારોમાં નવરાત્રી (Navaratri)ને માતાજીની શક્તિઓને દર્શાવે છે, જેમ કે 9 ગ્રહ, 9 તહેવાર, 9 રંગ અને ગર્ભના 9 મહિના 9 દિવસ! જે રીતે માતાના ગર્ભમાં 9 મહિના બાળકનો વિકાસ થાય છે એ જ રીતે નવરાત્રીના નવ દિવસમાં આપણાં દરેક અંગનું શુદ્ધિકરણ થાય છે. નવરાત્રી 9 દિવસનો ઉત્સવ છે. વર્ષમાં ચાર નવરાત્રી આવે છે પણ બેની ઉજવણી કરવામાં આવી છે. ચૈત્ર નવરાત્રી (ચૈત્ર મહિનામાં) અને શરદ નવરાત્રી (અશ્વિન મહિના આવતી નવરાત્રી વિશેષ લોકપ્રિય), જ્યારે માઘ નવરાત્રી (જાન્યુઆરી અને ફેબ્રુઆરી) અને જૂન જુલાઈમાં પણ અષાઢ નવરાત્રી હોય છે, પણ વિશેષ તો શરદ અને ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે.

આજે રવિવારના ચૈત્ર સુધી એકમથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ. માઈ ભક્તો માટે આજથી શરુ થશે નવ દિવસના નવરાત્રી. માતાજીની ભક્તિભાવના માટે આજનો દિવસ મહામુલો ગણાય છે. વર્ષની ચાર નવરાત્રીમાં ચૈત્ર નવરાત્રીનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રીમાં ખાસ કરીને માતાજીની સાધના માટે શ્રેષ્ઠ ગણાય છે. આધ્યાત્મિક ઊર્જા વધારવાની સાથે માતાજીની ઉપાસના કરવા માટે આ નવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે.

માતાજીના ઘટસ્થાપન માટે સવારના 8.13 વાગ્યાથી 9.444 વાગ્યા સુધી રહેશે, લાભ ચોઘડિયામાં સવારના 9.44 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી તેમ જ અમૃત ચોઘડિયામાં સવારના 11.15 વાગ્યાથી બપોરના 12.46 વાગ્યા સુધી કરી શકાય છે. ઘટસ્થાપન પૂર્વ દિશામાં તેમ જ મીઠા વગરની વસ્તુ ખાઈને ઉપાસના કરવી. માતાજી કુળદેવી યા મહાકાળી માતાજીની ઉપાસના કરવું ફળદાયી માનવામાં આવે છે. નવ દિવસ ગાયત્રી ચાલીસા કરી શકે છે. જો કોઈ ઉપવાસ ન કરી શકે તો માતાજીની તસવીર ઉપર ગુલાબ, કમળ કે જાસૂદના પુષ્પો અર્પણ કરીને પણ માતાજીની ભક્તિ કરી શકે છે.

માતાજીની ભક્તિ માટે તમે દીવો પ્રગટાવીને પણ ઉપાસના કરી શકો છો. ઉપાસના વખતે તમે ખાસ કરીને શુભમ કરોતિ કલ્યાણં, આરોગ્યં ધન સંપદામ, શત્રુબુદ્ધિ વિનાશાય, દીપં જ્યોતિ નમોસ્તુતેનો મંત્ર કરી શકો છો. આ નવરાત્રીમાં ખાસ કરીને માતાજીની સાધના તમને અનેક કષ્ટોમાંથી ઉગારીને સુખશાંતિ આપે છે. નવ દિવસ ગાયત્રી ચાલીસા કે દુર્ગા સપ્તશતીના સંપૂર્ણ પાઠ કરવામાં આવે તો પણ મનવાંછિત ફળ મળે છે, જ્યારે જીવનની સમસ્યાઓ પણ દૂર થાય છે.

માતાજીની ભક્તિ માટે નવ દિવસ નવ દેવીની ભક્તિના છે. માતા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, માતા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, માતા સ્કંદમાતા, માતા કાત્યાયની, માતા કાલરાત્રી, મહાગૌરી અને માતા સિદ્ધિદાત્રી છે. આજે તિથિ પ્રમાણે પહેલું નોરતું તેમ જ સોમવારે બીજું અને ત્રીજું નોરતું એકસાથે ગણાશે. નવ દિવસ નવરાત્રીમાં મંગળવારે ચોથું, બુધવારે પાંચમું, ગુરુવારે છઠ્ઠું, શુક્રવારે સાતમું, શનિવારે આઠમું અને રવિવારે રામનવમીના દિવસે નવમું નોરતું ગણાશે. નવ દિવસ માતાજીની સાધના કરવાથી આપણને અનેક કષ્ટોમાંથી ઉગારીને સુખશાંતિ અને સમૃદ્ધિ આપે છે તો ભજી લો આજથી માતાજીને. જય માતાજી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!